સત્યજિત રે
શો મેન : સત્યજીત રે ( ૧૯૨૧ - ૧૯૯૨ ) આજે તારીખ ૨ મે ના રોજ મહાન ફિલ્મ સર્જક સત્યજીત રે , ગુજરાતી સાહિત્યકાર ચુનીલાલ વર્ધમાન શાહ અને રશિયાની મહાન સામ્રાજ્ઞી કેથેરીન દિ ગ્રેટનો જન્મદિવસ છે . કોલકાતામાં કળાપ્રેમી પરિવારમાં જન્મેલા સત્યજીત રે એ પ્રેસિડેન્સી કોલેજ , કોલકાતા યુનિ . અને વિશ્વ ભારતીમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું . સત્યજીત રેની કારકિર્દી ચિત્રકાર તરીકે શરુ થઇ હતી .લંડન પ્રવાસ દરમિયાન ઇટાલિયન નિર્માતાની ફિલ્મથી પ્રભાવિત થઇ ફિલ્મોના નિર્માણના ક્ષેત્રે આવ્યા હતા .તેઓએ ફિલ્મ નિર્માણના ક્ષેત્રે નિર્માતા પટકથા લેખન , ગીતકાર જેવી અનેક જવાબદારીઓ વહન કરી હતી . પોતાની ફિલ્મ સર્જન કારકિર્દી દરમિયાન માનવીય અભિગમ દર્શાવતી ...