Posts

Showing posts from July, 2020

સિકંદર

૨૦ જુલાઈ એલેકઝાંડર દિ ગ્રેટ :સિકંદર ( ઈ.સ.પૂર્વે ૩૫૬ - ૩૨૩ ) "પિતાજી તમે જ બધું જીતી લેશો તો મારા ભાગમાં જીતવા માટે શું રહેશે ?,જેવી દંતકથનાત્મક વાતો જેની સાથે સંકળાયેલી છે તે એલેકઝાડર અને આપણી ભાષામાં સિકંદર તરીકે ઓળખાતા ગ્રીક સેનાપતિનો આજે જન્મ દિવસ છે. આખું નામ એલેકઝાડર ત્રીજો ઓફ મેસેડોન હતું.ઈ.સ.પૂર્વે ૩૩૩ માં મેસેડોનિયામાં દરીયસ ત્રીજાને હરાવી રાજ્ય સ્થાપ્યું અને સમયના વહેંણ  સાથે સામ્રાજ્ય પણ ઉભું કર્યું.તેનું સ્વપ્ન આખી દુનિયા જીતવાનું હતું. ઈ.સ પૂર્વે ૩૨૬-૨૭મા તે ભારત વિજય માટે આવ્યો .ઝેલમ અને ચિનાબ નદીઓ વચ્ચે રાજ કરતા પોરસ સાથેના તેના યુદ્ધની ચર્ચા ભારતમાં સવિશેષ થાય છે.સિકંદરે પણ  પોરસ અને તેના બહાદુર સૈનિકોની પસંશા કરી છે.ખરેખર તો પોરસના પરાક્રમથી પ્રભાવિત થઇ સિકંદર ભારતમાં આગળ વઘવાનું વિચારી શક્યો ન હતો. વાયવ્ય ભારતથી જ તે મેસેડોનિયા પરત ફરવા નીકળ્યો પણ પહોચી ન શક્યો પહેલા તેનો પ્રિય અશ્વ બીસોફોલસ અને પછી ૧૩ જુન ૩૨૩ નાં રોજ સિકંદરનું બેબીલોન (આજનું ઈરાક )ખાતે મેલેરિયાથી અવસાન થયું હતું.મૃત્યુ પહેલા તેણે કહેલું કે મારી દફનવિધિ વખતે મારા હાથ કોફીનમાંથી બહાર રાખજો જેથ...

ડેવિડ થોરો

            ડેવિડ થોરો (૧૮૧૭-૧૮૬૨)                                    આજે શાંતિનું નોબલ પારિતોષિક પામનાર મલાયા યુસુફજાઈ ,વિચારક હેનરી ડેવિડ થોરો ,સાહિત્યકાર પાબ્લો નેરુદા અને ગુજરાતી સંશોધક અને સાહિત્યકાર શ્રીકલ્યાણરાય જોશીનો જન્મદિવસ છે .                         આજે જન્મેલા મહાનુભાવોમાંથી આપણે પરિચય કરીએ અમેરિકન કવિ નિબંધકાર અને દાર્શનિક હેનરી ડેવિડ થોરોનો .થોરોનો જન્મ અમેરિકાના મેસેચ્યુંસેટસ રાજ્યના કન્કર્દ ખાતે થયો હતો.તેમનો બાહ્ય દેખાવ એવો હતો કે એકવાર તેમને જોનાર થોરોને ભૂલી શકતા નહિ .                 હાર્વડ કોલેજમાં ક્લાસિક,તત્વજ્ઞાન,ગણિત અને વિજ્ઞાનના વિષયો સાથે તેઓ સ્નાતક થયા હતા.હેનરી ડેવિડ થોરોનું સ્મરણ ખાસ કરીને તેમના પુસ્તકો અને પર્યાવર...

ગુરુદત્ત

  ભારતના ઓર્સન વેલ્સ: ગુરુદત્ત (૧૯૨૫ - ૧૯૬૪)         આજે તારીખ ૯ જુલાઇ અને રશિયાના પહેલાં શાસક ( ઝાર ) પીટર દિ ગ્રેટ અને ભારતનાં ઓર્સન વેલ્સ તરીકે પણ ઓળખાણ પામેલાં ગુરુદત્તનો જન્મદિવસ છે.          બેંગ્લોરમાં જન્મેલાં ગુરુદત્તનું મૂલનામ વસંતકુમાર શિવશંકર પાદુકોણ હતું. તેમના પિતા સ્કૂલમાં હેડ માસ્તર હતાં. ગુરુદત્તના જન્મ સમયે માતાની વય ૧૬ વર્ષ હતી. ગુરુદત્તનું બચપણ કોલકતામાં વીત્યું હતું જ્યાં બંગાળી સંસ્કૃતિનો તેમના પર એટલો તો પ્રભાવ પડયો કે તેઓએ જન્મનું નામ બદલી ગુરુદત્ત રાખી લીધું.         તેમનાં દાદી હાથની આંગળીઓથી દિવાલ પર વિવિધ મુદ્રામાંથી આકૃત્તિઓ ઉપસાવતાં તે ગુરુદત્તના અભિનય વર્ગનું પહેલું પ્રશિક્ષણ હતું. પછી તો નૃત્ય, નાટક અને સંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી. ફિલ્મી દુનિયામાં આવતાં પહેલાં ટેલિફોન ઓપરેટર તરીકે પણ કામ કર્યું હતું.         અભિનેતા , નિર્દેશક, નિર્માતા અને કોરિયોગ્રાફર  ગુરુદત્તે શરૂમાં જરુર પડતાં અભિનય કરવાની ફરજ પડી હતી. પછી તો ૧૯૫૦-૬૦નો દાયકો ગુરુદત્તના નામે રહ્ય...