Posts

Showing posts from April, 2020

મહર્ષિ કર્વે

જહા ચાહ વહાં રાહ : મહર્ષિ કર્વે (૧૮૫૮ - ૧૯૬૨)             આજે ઘોંડું કેશવ કર્વનો જન્મદિન છે. પૈતૃક ગામ મહારાષ્ટ્રના કોંકણ દરિયાકાંઠાનું મરૂડ પણ જન્મ મોસાળ શેરવલીમાં થયો હતો. તેમની પહેલાના ત્રણ ભાઈઓ બચપણમાં જ મૃત્યું પામતા માતા બાળક ઘોંડુના સ્વાસ્થય વિશે સતત ચિંતિત રહેતા હતા. પણ ચિંતિત માને કયાં ખબર હતી કે પુત્ર ૧૦૪ વર્ષ જીવશે અને ઇતિહાસમાં નામ અંકિત કરશે.           સામાન્ય પરિવારના ઘોન્ડુ એ અનેક વિપદાઓ વચ્ચે અભ્યાસ કર્યો.૧૫ માં વર્ષે રાધાબાઈ સાથે લગ્ન થયા પછી મુંબઈ ભણવા ગયા. ત્યાં ખર્ચ કાઢવા ટ્યુશન કરતાં પણ તેમાંથી ૧ રૂપિયો ધર્માદામાં આપતાં. પિતાના અવસાન પછી માતા પરના વૈધવય  અસહ્ય બંધનો એ તેમને સમાજ સુધારાની દિશા ચીંધી હતી.           નાની મોટી નોકરીઓ કરતાં પૂનાની ફર્ગ્યુશન કોલેજમાં ગણિતના અધ્યાપક બન્યાં. સમાજ સુધારા માટે પોતાનાથી દાખલા ઊભા કરવા જોઈએ તે ન્યાયે પત્ની અને બહેનને વેકેશનમાં ભણાવતા. તેમનો સૈાથી મોટો દાખલો તે ૧૧ માર્ચ ૧૮૯૩ ના રોજ આનંદીબાઈ   સાથે કરેલાં વિધવાલગ્ન. આ પુનઃ લગ્ને પશ...

સ્નેહરશ્મિ

            આજે તારીખ ૧૬ એપ્રિલ. આજના દિવસે જ ૧૮૬૮ નાં વર્ષે પંચમહાલના ૫ નાયક આદિવાસીઓને અંગ્રેજોએ ફાંસીના માંચડે લટકાવી દીધા હતા . આજના દિવસે જ મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી સ્નેહરશ્મિનો જન્મ થયો હતો .            સ્નેહરશ્મિનું મૂળ નામ ઝીણાભાઈ રતનજી દ્દેસાઈ અને જન્મસ્થળ વલસાડ જિલ્લામાં ચીખલી ખાતે. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ચીખલીમાં મેળવ્યું.૧૯૨૦ માં અસહકારનું આંદોલન શરૂ થતાં અભ્યાસ પડતો મૂકી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા.           વિદ્યાપીઠના સ્નાતક થઈ અધ્યાપક બન્યાં.૧૯૩૦ માં "સત્યાગ્રહ પત્રિકા"નું સંપાદન સંભાળ્યુ. મુંબઇ રાષ્ટ્રીય શાળામાં આચાર્ય બન્યાં.૧૯૩૮ માં અમદાવાદમાં ચી. ન. વિદ્યાવિહારના આચાર્યપદે જોડાયાં .૧૯૪૨ માં હિંદ છોડો આંદોલન માં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો.            આઝાદીના સૈનિક કરતાં સ્નેહરશ્મિ સાહિત્યકાર તરીકે વધુ જાણીતા  છે. અર્ધ્ય , અણદીઠ જાદુગર, પનઘટ, સોનેરી ચાંદ રૂપેરી સૂરજ, અતીતની પાંખમાંથી, કેવળ બીજ, ગાતાં આસોપાલવ, તૂટેલા તાર, મોટી બહેન, હીરાના લટકણિયા...

My Publications

૧ . ઇતિહાસ અન્વેષણા  , ૨૦૦૧ ૨ .ઇતિહાસ દર્પણ ,૨૦૦૬  ૩ .પંચમહાલ જીલ્લામાં ગાંધીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓ અને સ્વાતંત્ર્ય સૈનિકો ,૨૦૦૭ ૪ .પંચમહાલનાં આદિવાસીઓની વિકાસયાત્રા ,૨૦૦૯ ,૨૦૧૬ ૫ .ભીલ સેવા મંડળ ,૨૦૧૦ ૬. વિસરાયેલા શહીદો : પંચમહાલનાં નાયક       આદિવાસીઓનો આઝાદીનો જંગ , ૨૦૧૧ ,૨૦૧૬ (આ પુસ્તકનો હિન્દી અનુવાદ - વિસ્મૃત શહીદ નામે થયો છે ,૨૦૧૯)  ૭ .આઝાદીના  જંગનો આદિવાસી રંગ : ૧૭ નવેમ્બર ૧૯૧૩ ,માનગઢ  હત્યાકાંડ ,૨૦૧૨ ,૨૦૧૫ ,૨૦૧૭ ૮ .ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ ,૨૦૧૩ ,૨૦૧૬ ૯ . મહાગુજરાત આંદોલન ,૨૦૧૬ ૧૦ . ગુજરાત યુનિવર્સિટી : વિદ્યાનું વટવૃક્ષ ,૨૦૧૬ ૧૧ .સાંસ્થાનિક  ગુજરાતની આદિવાસી ચળવળો ,૨૦૧૯ ૧૨ . ગુજરાતની અનુસૂચિત જનજાતિની ચળવળો        ( સંપા. ૨૦૧૯) ૧૩ . ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત : ડાંગ દરબાર ,૨૦૨૦

ચં. ચી. મહેતા

ચંદ્રવદન મહેતા (૧૯૦૧..૧૯૯૨ )              આજે તારીખ ૬ એપ્રિલ ગુજરાતના ઉચ્ચ દરજ્જાના નાટ્યકાર, કવિ અને ચરિત્રકાર ચંદ્રવદન મહેતાનો જન્મદિન છે.             ગુજરાતના વિદ્યાજગતમાં ચં. ચી. મહેતા તરીકે પસિધ્ધ છે. સુરતમાં જન્મેલાં ચંદ્રવદન મહેતા નાનપણથી જ તીવ્ર જીજ્ઞાસાવૃતિ ધરાવતાં હતાં. પ્રાથમિક શિક્ષણ વડોદરા , માધ્યમિક શિક્ષણ સુરતથી અને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજથી સ્નાતક થયા હતા . કોલેજ પુરી કરી શિક્ષક બન્યાં .             નાટકના અનહદ શોખને  કારણે આકાશવાણીમાં નોકરી સ્વીકારી. મુંબઇ અને અમદાવાદ આકાશવાણીમાં નિયામકના હોદ્દે પણ રહ્યા હતાં. આકાશવાણીની નોકરીએ તેમનાં નાટકના શોખને ઊર્જા પૂરી પાડી હતી. રંગભૂમિની સૂઝ અને તખ્તાને જીવંત કરતાં અનેક નાટકો ચંદ્રવદન મહેતા એ રચ્યાં છે.જેમાં આગગાડી, ધરા ગુર્જરી, મેના પોપટ, રમકડાંની દુકાન, શેતલને કાંઠે, કપૂરનો દીવો , હોહોલિકો મુખ્ય છે.           તેમનાં નાટકોએ ગુજરાતમાં થિએટર મુવમેન્ટનો પાયો નાંખ્યો હતો. તેમનો"ઇલા કાવ્યો"કાવ્...

માખણલાલ ચતુર્વેદી

    કર્મવીર : માખણલાલ ચતુર્વેદી (૧૮૮૯..૧૯૬૮)               પંડિતજી તરીકે પંકાયેલા માખણલાલ ચતુર્વેદીનો આજે જન્મદિવસ છે.             મધ્યપ્રદેશના હોશંગાબાદ પાસે બવાઇ ગામે જન્મેલા માખનલાલ ૧૬મા વર્ષે શિક્ષક બન્યાં હતાં. સંસ્કૃત અને અંગ્રેજીનો મજબૂત પાયો બનાવી તેઓએ જ્ઞાનજગતમાં પ્રવેશ કર્યોં.આ સમયે દેશમાં ગાંધીયુગ  શરૂ થયો હતો પણ ચતુર્વેદીજી તો એ પહેલાં થી જ લોકમાન્ય ટિળકના રાષ્ટ્રવાદી વિચારોથી પ્રભાવિત થઈ ચૂકયા હતા. ગણેશશંકર વિદ્યાર્થી સાથે ગાંધીજીને મળ્યાં.              ૧૯૧૯માં " કર્મવીર" સામયિકનું સંપાદન હાથમાં લીધું અને ગુલામીની ઝંઝીરો તોડવા આહ્વાન કર્યું. રાષ્ટ્રવાદી પ્રવુતિઓને કારણે અસહકાર, સવિનય કાનૂનભંગ ઉપરાંત બીજાં આંદોલનમાં ભાગ લઇવાડાઓમાં પ્રજાકીય જાગૃતિ આણવા પ્રજા મંડળનું ગઠન કર્યું.               માખણલાલ ચતુર્વેદી સ્વાતંત્ર્ય સૈનિક ઉપરાંત કવિ, નિબંધકાર , પત્રકાર અને નાટ્યકાર પણ હતાં. એક ભારતીય આત્મા નામથી તેઓ કવિતા લખતાં. દીપ સે...

અમૃતલાલ પઢિયાર

સૌરાષ્ટ્રના સાધુ : અમૃતલાલ પઢિયાર                         (૧૮૭૦ - ૧૯૧૯)        ૩ એપ્રિલના દિવસે સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રવર્તક સહજાનંદ સ્વામિ , જનરલ માણેકશા અને  " સૌરાષ્ટ્રના સાધુ "તરીકે બીરદાવાયેલા અમૃતલાલ સુંદરજી પઢિયારનો જન્મદિન છે.         ચોરવાડમાં જન્મેલા અમૃતલાલે માંડ પાંચમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો પણ અપાર જીજ્ઞાસાવૃત્તિ હોવાથી લખવાનો છંદ લાગ્યો હતો. શરૂના કઠિન દિવસોમાં ચણા ફાકીને પણ ગુજરાન ચલાવ્યું હતું.          આર્ય વિધવા શીર્ષકથી પુસ્તક પ્રકાશિત કર્યું અને  રૂઢિચુસ્તોનો ખોફ વહોરી લીધો. મુંબઇ ગયા ત્યાંજ સ્થાયી થવાનું નક્કી કર્યું. દરમિયાન મુંબઈમાં માંદા પડ્યા અને ચોરવાડ પાછા આવ્યા. વૈદકનો અભ્યાસ કરી વૈદ તરીકે પંકાયા. સમાંતરે છાપા અને સામયિકોમાં લેખો લખી લેખક તરીકે પ્રસ્થાપિત થયા . ફરી મુંબઇ ગયા અને શેઠ લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં નોકરીએ રહ્યા. શેઠને ત્યાં છાપા વાંચી સંભાળવતા  .          જામે જમશેદ, ...