Posts

Showing posts from February, 2021

સુષ્મા સ્વરાજ

 રાજનીતિની ગિરિમાળા : સુષ્મા સ્વરાજ                   (૧૯૫૨- ૨૦૧૯ ) આજે તારીખ ૧૪ ફેબ્રુઆરી અને મુઘલ બાદશાહ બાબુર , રંગના કવિ સોમાલાલ શાહ , પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખ ,સ્વતંત્રતા સૈનિક મોહનલાલ ધારિયા , બ્રિટીશ અર્થશાસ્ત્રી રોબર્ટ માલ્થાસ , સિને તારિકા મધુબાલા અને રાજનીતિની ગિરિમાળા સમાન સુષ્મા સ્વરાજનો જન્મદિવસ છે .  હરિયાણાના અંબાલામાં જન્મેલા  તેજસ્વી છાત્રા સુષ્મા સ્વરાજે બી.એ , એલ .એલ.બી સુધીનો અભ્યાસ કર્યો  અને  એ.બી .વી.પી થી જાહેરજીવનનો પ્રારંભ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના વકીલ સુષ્મા સ્વરાજ જયપ્રકાશ નારાયણ પ્રેરિત સંપૂર્ણ ક્રાંતિ આંદોલનના સમર્થક  અને કટોકટીના વિરોધી રહ્યાં હતાં . વિદ્યાર્થી અવસ્થામાં કોલેજમાં શ્રેષ્ઠ છાત્રા , શ્રેષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ એન.સી .સી કેડેટ રહ્યાં હતાં . સુષ્મા સ્વરાજની રાજકીય વિકાસયાત્રા ધારાસભ્ય , એકાધિક વખત સાંસદ , રાજ્યના પ્રધાન , સુચના અને પ્રસારણ મંત્રી , દિલ્હીના મુખ્યમંત્રી અને વિદેશમંત્રી લગી વિસ્તરી હતી .દિલ્હીના પહેલાં મુખ્યમંત્રી અને શ્રેષ્ઠ સાંસદ સુષ્મા સ્વરાજ ...

અચ્યુત પટવર્ધન

૫ ફેબ્રુઆરી સતારાના સિંહ : અચ્યુત પટવર્ધન  ( ૧૯૦૫ -૧૯૯૨ ) આજે તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ સમાજવાદી નેતા અચ્યુત પટવર્ધનનો  જન્મદિવસ અને ગઝલકાર આસીમ રાંદેરી  અને ઇતિહાસકાર થોમસ કાર્લાઈલની પુણ્યતિથિ છે .  ધનિક પરિવારમાં ૬ સંતાનોમાં બીજા પુત્ર તરીકે જન્મેલા અચ્યુત પટવર્ધન અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતક થયાં હતાં .અર્થશાસ્ત્રના પ્રોફેસર પટવર્ધન થિયોસોફીથી ગાઢ રીતે પ્રભાવિત થયાં હતા. યુરોપના દેશોના પ્રવાસો અને વાંચનથી તેઓ પર સમાજવાદી વિચારોનો ઊંડો પ્રભાવ પડ્યો હતો . અચ્યુત પટવર્ધન ભારતીય સમાજવાદી પક્ષના સ્થાપક સભ્ય પણ બન્યાં હતાં . તેઓ સવિનય કાનુન ભંગ આંદોલન અને હિન્દ છોડો આંદોલનના સક્રિય સૈનિક હતાં સત્યાગ્રહમાં  ભાગ લેવા બદલ જેલની સજા પણ થઈ હતી ..સતારા સત્યાગ્રહના મુખ્ય નેતા અચ્યુત પટવર્ધને ત્યાં સમાંતર સરકારની સ્થાપના પણ કરી હતી .અચ્યુત પટવર્ધન ૧૯૫૦ પછી રાજનીતિમાંથી સન્યાસ લઈ પુનામાં સ્થાયી થયાં હતાં .  ૧૦૦ થી વધુ પુસ્તકો અને પેમ્ફલેટ લખનાર પટવર્ધનનાં કોમ્યુનલ ટ્રાઈગલ ઓફ ઇન્ડિયા ( હિંદનો કોમી ત્રિકોણ ) અને આઈડીયોલોજી એન્ડ પર્સ્પેકટીવ ઓફ સોશ્યલ ચેન્જ ઇન ...

પંડિત ભીમસેન

પંડિત ભીમસેન જોશી{૧૯૨૨-૨૦૧૧} ભારતીય શાસ્ત્રીય સંગીત પર્મ્પરાને સુદ્રઢ બનાવનાર પંડિત ભીમસેન જોશીનો આજે જન્મદિન છે.કર્ણટક  ગડગ પાસેંના રોણ ગામે જન્મેલા ભીમસેન માતા-પિતાના સોળ સંતાનોમાં સૌથી મોટા હતા. બચપણમાં જ માં નું અવસાન થતા તેમનો ઉછેર સાવકી માએ કર્યો હતો.પંડિતજીએ બાલ્યાવસ્થામાં કિરાના ધરાનાના ગાયક અબ્દુલ કરીમ ખાને ગાતા જોઈ ગાયકીની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.હાર્મોનિયમ અને તાનપુરાની સંગત કરાતા શાસ્ત્રીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી .  ૧૧ વર્ષની ઉમરે શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે  ઘર છોડી ત્રણેક વર્ષ ઉત્તર ભારતમાં ફર્યા,ખિસ્સામાં પૈસા ન હોય તો ઉછીના પૈસે પણ રેલ્વેમાં મુસાફરી કરતા.આખરે ધારવાડમાં સવાઈ ગાંધર્વ મહારાજના રૂપમાં તેમને ગુરુ મળી ગયા. કિરાના ધરાનાને અપનાવ્યો. ૧૯૪૧ થી ૨૦૦૦ એટલેકે લગભગ ૫૯ વર્ષ સુધી સંગીત ક્ષેત્રે સક્રિય રહેનાર પંડિત ભીમસેને પહેલો કાર્યક્રમ ૧૯ વર્ષની વયે આપ્યો હતો.તાનની ગતિ,તેનો સુર વગેરે તેમણે સ્વરના વિશેષ અભ્યાસથી પ્રાપ્ત કરી હતી. પંડિતજીએ શુદ્ધ કલ્યાણ,મિયા કી તોડી,પુરીયા ધનાશ્રી ,મુલતાની,દરબારી અને રામકલી વગેરે રાગમાં મહારથ હાંસલ કરી હતી.તેમનું "મ...