Posts

Showing posts from September, 2024

કોઈપણ પુસ્તકના શરૂઆતના પાના

                                                        અરુણ વાઘેલા              કોઈપણ પુસ્તકના શરૂઆતના પાનાં  લેખનું શીર્ષક ‘ શરૂઆતના પાનાં ’ એટલે જેમાં પુસ્તકની મુખ્ય વાંચનસામગ્રીનો સમાવેશ થતો નથી તેવાં પાનાં સમજવા . (વાચક તરીકે તમને લાગે કે વોટ્સએપ યુગમાં અને અનુકોરોના સમયમાં વાંચવાની વાત તો દુર રહી પુસ્તકો કે ગ્રંથાલયો સામે જોવાની પણ કોઈને ફુરસદ નથી ત્યારે હું આવી વાત કેમ કરી રહ્યો છું , પણ ઇતિહાસના અધ્યાપક તરીકે મારું માનવું છે કે સાંપ્રત સાથે લાગુ ન પડે તેમ ન લાગે તો તેવી બાબતોમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સમજવું.) કોઈપણ પુસ્તકના આવા પાનામાં પુસ્તકનું પૂંઠું , પ્રકાશકનું નામ , કોપીરાઈટ ,કીમત ,અર્પણપત્રિકા , લેખકનું નિવેદન , કોઈએ શરમના માર્યા પ્રસ્તાવના લખી હોય તો તે વગેરેનો સમાવેશ થાય .હવે વિગતવાર જોઈએ . પ્રાચીન સંસ્કૃત સાહિત્ય વિષે કહેવાય છે કે તેમાં કર્તા મોટેભાગે પોતાનું નામ અજ્ઞાત રાખતા અને જ્ઞાનસર્જન...

સાભાર પરત ,હાસ્યલેખ

                     અરુણ વાઘેલા                        સાભાર પરત     સરકારી કર્મચારીઓએ તેમના નવા પગારધોરણ અને એરિયર્સની અને કોઈ નવયુવાને તેની પ્રેયસીની રાહ નહિ જોઈ એટલી મે એની જોઈ હતી .મને લાગ્યું કે એ સમય રંગેચંગે આવી પહોચ્યો છે .ખુદા કે ઘર દેર હૈ પર અંધેર નહિ હૈ ની વાતમાં મારો વિશ્વાસ વધવા લાગ્યો .આટલી વાત પછી કોઈ સરકારી નોકરીયાતને લાગશે કે આ ભાઈ પગારવધારા કે સરકારે જાહેર કરેલાં મોંઘવારીના હપ્તાની વાત કરતો હશે ?કોઈ યુવાન મારામાં જુલિયેટ , વિજાણંદ કે મજનું શોધવાનો પ્રયત્ન કરશે .કોઈ પરણેલો પુરુષ પત્નીનું પિયરગમન સમજી બેસશે .તો કોઈ સાહિત્યિક સંસ્થાઓના પુરસ્કારની પ્રક્રિયાને નહિ સમજી શકેલો નવોદિત સાહિત્યકાર મને કોઈ સાહિત્યિક ઇનામ-ફીનામ મળવાનું હશે એમ માની લેશે .પણ આવું કશું જ ન હતું મે ઘણા સમય પહેલાં સાહિત્યના સામયિકમાં પ્રકાશન માટે મોકલેલા લેખ છપાવાનો છે કે નહિ તેના હાં કે ના નો જવાબ આવવાનો હતો , એ વખતે બોર્ડર ફિલ્મના સૈનિકોએ ડાકિયાની રાહ જોઈ ન હતી એથી વધુ રા...