Posts

Showing posts from November, 2024

પહેલું પુસ્તક વેચવાના મારા પ્રયાસો

અરુણ વાઘેલા                    ૪. પહેલું પુસ્તક વે(વહેં)ચવાના મારાં પ્રયાસો  પહેલો પ્રેમ , પહેલાં લગ્ન , પહેલું બાળક અને પહેલી નોકરીની જેમ જ પહેલાં પુસ્તકની સર્જન – લેખન પ્રક્રિયા , પ્રકાશન વેળાનો ધખારો કે ઉન્માદ ,પહેલાં પુસ્તકનું પ્રકાશિત થઇ આપણા હાથમાં આવવું વગેરેનો રોમાંચ પણ સાવ નોખો જ હોય છે . મને મારાં ઇતિહાસના પુસ્તકના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાય મળેલી . મારું પુસ્તક પ્રકાશિત થતાં વેંત આખું ગુજરાત તેને વધાવી લેશે ,તેની પ્રતો ચપોચપ વેચાઈ જશે અને મારું નવું પુસ્તક કયારે બહાર પડશે તેની ગુજરાત આખું કાગડોળે રાહ જોશે , તેની ચૌરે અને ચૌટે ચર્ચા થશે , દેશની અને વિદેશી ભાષાઓમાં તેનાં અનુવાદો થશે અને મારી સામે વિદ્યાકીય સન્માનોની હારમાળા સર્જાશે ! એવી કલ્પનાઓની હારમાળા હું પારકી આશ સદા નિરાશની જેમ સ્વયંભુ સર્જી દેતો . પુસ્તક લખી નાંખ્યા પછી તેને છપાવવા માટે ટાઈપ કરવું પડે અને એટલે પ્રિન્ટીંગમાં આપવું પડે ! પ્રિન્ટરને આપ્યાં પછી હું ખુબ જ અધીરો બની ગયો હતો . પ્રિન્ટરને ત્યાં દિવસમાં બેવાર આંટા મારતો , મારા આંટાફેરાથી...

કવિતા વિકાસ પરિષદની સભા

૧૩.  કવિતા વિકાસ પરિષદની સભા (હાસ્ય નાટિકા) {પાત્રો : દિલેર દાદરા નગર હવેલીવાલા (કવિતા વિકાસ પરિષદના પ્રમુખશ્રી),કવિ ખુશમિજાજ (મહામંત્રી,કવિતા વિકાસ પરિષદ),કવિતાકારો:આતુર અમદાબાદી , ફાયર હૈદ્રાબાદી ,જુનૈદ ઝુનઝુનવાલા ,ઉસ્તાદઅલીખાં અને યુવા કવિયત્રી શૃંગારરત્ના તથા બીજા ૧૨૦ કવિઓ(જેમાં કવિતા વિકાસ પરિષદના ૫૬ ઉપપ્રમુખો , ઝોન મુજબ ચાર-ચાર સહમંત્રીઓ , એક ખજાનચી અને ૬૦ કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે .) પોતપોતાનાં થેલામાં ઠાંસી ઠાંસીને ભરેલી કવિતાઓથી સુસજ્જ છે .} સ્થળ : મહાનગર , માનવવસતિથી સેંકડો માઈલ દુર નિર્જન વગડો  (સુત્રોચ્ચાર સાથે ટોળાનું આગમન થાય છે .) ‘ બંધ , કરો ,બંધ કરો ,........ ગુજરાતી કવિતાની મજાક બંધ કરો ’ ‘ સાહિત્ય સમાજનું દર્પણ છે ....., દર્પણ છે ....દર્પણ છે ’ ‘ સમાજમાં કવિતાને સન્માનજનક સ્થાન કોણ અપાવશે ?, અમે અપાવીશું , અમે અપાવીશું  ’ ( શોરબકોર ધીમો થતાં) યુવા કવિ ખુશમિજાજ : આ આપણા પ્રમુખ દાદરા નગર હવેલીવાળા કેમ હજુ દેખાતા નથી ? કવિ આતુર અમદાબાદી : અનિયમિત આવવા માટે તેઓ ઘણાં નિયમિત છે . ખુશમિજાજ : એક કવિ થઇ કવિતા વિકાસ પરિષદના પ્રમુખ વિષે આવું અશોભનીય ન બોલાય !...