સિકંદર અને પોરસ
યુદ્ધસ્ય કથા રમ્યા
સિકંદર અને પોરસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬)
આધારભૂત રીતે સિંધુ ખીણની સભ્યતાથી શરુ થતો ભારતીય ઈતિહાસ વૈદિક સમય વળોટી મહાભારત-રામાયણનો મહાકાવ્યયુગ ભોગવી ઈતિહાસયુગમાં પ્રવેશે છે.ઈતિહાસ યુગના ઉષ:કાળે ભારતીય સમાજ પહેલું યુદ્ધ જુએ છે અને તે ગ્રીક સમ્રાટ સિકંદર અને બાહુબલી પોરસ વચ્ચેનું યુદ્ધ.(ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬)એલેક્ઝાંડર ફીલીપનો આ પુત્ર અને મહાન ફિલસૂફ એરીસ્ટોટલનો શિષ્ય સીકદર ૨૦ વર્ષની વયે મેસેડોનિયાનો શાસક બન્યો. સમ્રાટ બન્યા પછી વિશ્વવિજયની કામના સાથે નીકળી પડ્યો.ભારતવિજય એના માટે એટલે પણ જરૂરી હતો કે તેના પિતા ફિલિપ પણ ભારત જીતી શક્યા ન હતા,બીજું કે વિશ્વવિજયના ભાગરૂપે ડેરીયસ સામ્રાજ્યના દુર પૂર્વના ભાગ સુધી પહોચી સાગરની સમસ્યા હલ કરવા ઈચ્છતો હતો ,આ ભુગોળ ગ્રીસના ભૂગોળશાસ્ત્રીઓને પણ ચકકરમાં નાંખતી હતી. હિંદુકુશ પર્વતમાળા વટાવી કાબુલ પહોચ્યો વચ્ચેના પ્રદેશોના રાજાઓ શશીગુપ્ત,આમ્ભી અને સંજયે એ સિકંદરની પ્રચંડ શક્તિઓ પિછાણી શરણાગતિ સ્વીકારી. કહેવાતા યોદ્ધાઓ ઝુક્યાપણ ત્યાની આદિજાતિઓ અને જંગલી પશુઓ સિકંદરને સરળતાથી શરણે ન થયા જંગલી પશુઓ અને ખાસ તો વાંદરાઓએ સિકંદરનો રસ્તો રોક્યો વાંદરાઓને જોઇને તો સિકદરના સૈનિકો રીતસર ડરી જ ગયા હતા સ્થાનિક નદીઓ પણ ચોમાસામાં ઉફાન પર આવી સિકંદરનો રસ્તો રોકાતી હતી..સિકંદરે અહી પહેલી વાર મોર પણ જોયા તે મોરના સૌન્દર્યથી એટલો તો પ્રભાવિત થયો કે પોતાના સૈનિકોને મોરને ન મારવાની આજ્ઞા કરી હતી.
વાયવ્ય ભારતના સરહદી રાજ્યોના રાજાઓની શરણાગતિ અને તેમના તરફથી મળેલી ભેટસોગાદોથી ઉત્સાહિત થયેલા સિકંદરે પોરસને ભેટસોગાદો અને આદેશના ભાવ સાથે ઝેલમ કાંઠે હજાર થવા ફરમાન કર્યું પણ સાડા છ ફૂટ ઉંચો,સોહામણો અને હિંમત અને બહાદુરીના પર્યાય સમા પોરસને એ મંજુર ન હતું.પરિણામ સિકંદર અને પોરસનું મહાયુદ્ધ.સિકંદરે પોરસ પર આક્રમણ કરતા પહેલા પાંચ નદીઓ પાર કરી લશ્કર સાથે ઝેલમના કાંઠે ખડો થયો.પોરસના ૫૦ હજાર સૈનિકો સામે સિકંદર પાસે માત્ર ચુનંદા ૫ હજાર સૈનિકો જ હતા.પણ સિકંદર પાસે પોરસની તુલનામાં આધુનિક શસ્ત્રો હતા ગ્રીકો આ સમયે તલવારોનો ઉપયોગ શરુ કરી ચુક્યા હતા અને તેમની વ્યૂહરચનાઓ તો કાબિલેદાદ હતી જ. પોરસ અને તેના સૈન્યનો બુલંદ હોંસલો અને પુરબહાર વહેતી ઝેલમને જોઈ સિકંદરે તેની વ્યૂહરચના બદલી .ઝેલમ પાર કરવી અઘરી હતી ત્યારે પોતાના સૈન્યને ૨૦ માંઈલ દુર આવેલા એક નાના દ્રીપ પર લઇ જઈ વરસાદી વાતાવરણમાં ઝેલમ પાર કરી પોરસની લગોલગ આવી પહોચ્યો.પ્રથમ દિવસે પોરસપુત્ર એ સિકદર સામે યુદ્ધ છેડ્યું તેમાં ૪૦૦ સૈનિકો સાથે પોરસનો પુત્ર માર્યો ગયો.પોરસનું લશ્કર હાથી,રથ અને પદાતિ લશ્કર હતું.કુરીનાના મેદાનમાં લડાયેલા યુદ્ધમાં વરસાદને કારણે પોરસની સેના માટે વિશાલ ધનુષ્યો પર કમાન ચડાવવી શક્ય ન હતી રથ પણ કીચડમાં ફસડાઈ પડ્યા અધૂરામાં પૂરું સિકંદરે પોરસના હાથીઓ પર વિશાલ ભાલોઓથી હુમલા કરી, તેમની સુંઢ કાપી પાગલ કરી દીધા પગલાયેલા હાથીઓએ પીછેમૂડ કરી ખુદ પોરસની સેનાનો કચ્ચરઘાણ વાળી દીધો,પોરસની સેનામાં નાસભાગ મચી ગઈ.છેલ્લું યુદ્ધ ૮ કલાક ચાલ્યું તેમાં ૧૮ હજાર ભારતીય સૈનિકો અને સિકંદરના અંદાજે ૪૦૦ સૈનિકો વીરગતિને પામ્યા અંતે સિકંદરની વલ્લભધારી અને અશ્વસેનાએ પોરસ પર હલ્લો બોલાવ્યો પણ એકલવીર પોરસ મહાકાય હાથી પરથી હજુ પણ ઝઝૂમી રહ્યો હતો. શરીર પર નવ જગ્યાએ ઝખ્મી થવા છતાં તેનો જુસ્સો બરકરાર હતો આખરે તેને બંદી બનાવી સિકંદર સામે પેશ કરવામાં આવ્યો .સિકંદરે વિશ્વ વિજેતાની અદાથી પોરસને પૂછયું “બોલ તારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે ?”-“એક જીતેલો રાજા હારેલા રાજા સાથે કરે છે તેવો “-પોરસ ઉવાચ.પોરસના સાહસ,સ્વાભિમાન અને બહાદુરીથી પ્રભાવિત થઇ કહેવાય છે કે સિકંદરે તેનું રાજ્ય પરત કર્યું પણ તેની પાછળ આટલું કારણ પર્યાપ્ત નથી વાસ્તવમાં તો સિકદર આવા બાહુબલી રાજાને મિત્ર બનાવી ભારતમાં આગળ વધવા માંગતો હતો પણ તેનું એ સ્વપ્ન સાકાર ન થયું કારણકે પોરસની બહાદુરીથી અંજાઈ ગયેલા સિકંદરના સેનાપતિઓને આગળના ભારતના રાજાઓ અને તેના લશ્કરની કલ્પના કંપાવી રહી હતી.તેથી પોતાના સૈન્યમાં જ વિદ્રોહ ન પેદા થાય તે હેતુથી સિકંદરે સ્વદેશ પાછા ફરવાનું મુનાસિફ માન્યું .
ઈ.સ પૂર્વે ૩૨૭માં સિકંદરના ભારત અભિયાનનો અંત આવ્યો આ ઘટના ભારતના ઈતિહાસકારો ઉપરાંત સાહિત્ય સર્જકો માટે પણ મનભાવન વિષય રહ્યો છે સેંકડોની સંખ્યામાં ઈતિહાસકારો અને સર્જકોએ સિકંદરના ભારત અભિયાનને પોતપોતાની રીતે મુલવ્યું છે. સામ્રાજ્યવાદી ઇતિહાસકાર વી.એ સ્મિથે તો તેના “પ્રાચીન ભારતનો ઈતિહાસ “ગ્રંથમાં ૭૨ પાના ભરી માત્ર સિકંદર અને યુરોપના વકીલ હોય તેમ વાત કરી છે .વાસ્તવમાં સિકંદર અને ગ્રીકો જે ઝડપે ભારતમાં આવ્યા હતા તે જ ઝડપે પાછા ગયા હતા
૧૯ મહિનાના ભારત નિવાસે ભારતના સમાજજીવનને ખાસ્સું પ્રભાવિત કર્યું હતું ભારતની સરહદ પર બુફફેલા (સિકંદરનો ઘોડો જ્યાં મર્યો હતો તે સ્થળ )અને નીકાયા (વિજય સ્થળ)નામના બે નવા નગરોનું નિર્માણ ,ભારતમાં ગ્રીક છાવણીઓની રચના ,ભારતીયોના ખગોળવિદ્યાના જ્ઞાનમાં અભિવુંદ્ધી ભારત અને ગ્રીસ વચ્ચે સાંસ્કૃતિક સંબધોનું સ્થાપન, સિકંદર પહેલા અણધડ અને બેડોળ બનતા ભારતીય સિક્કાઓનો સુડોળ અને ચોક્કસ આકારના બનવા વગેરે સિકંદરના આ યુદ્ધની અસરો હતી.માત્ર બે વર્ષના આ ટૂંકા ગાળાએ ભારત અને ગ્રીસ બંને દેશોના ઈતિહાસ પર અમીટ છાપ છોડી હતી.હવે ભારત-ગ્રીસ વચ્ચે યુદ્ધોની સાથે મૈત્રીની બુનિયાદ પણ રચાવાની હતી .એવું તો શું થવાનું હતું મહાન ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કે પોરસના સમયમાં બચાવની મુદ્રામાં રહેલું ભારત તેનો આક્રમક મિજાજ દેખાડે છે.તેની વાત હવે પછી મહાન ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ વચ્ચેના યુદ્ધમાં (ઈ.સ. પૂર્વે ૩૦૫)કરીશું .
અરુણ વાઘેલા
On Tue, Jun 19, 2018 at 1:28 PM, Arun Vaghela <arun.tribalhistory@gmail.com> wrote:
યુદ્ધસ્ય કથા રમ્યા
સિકંદર અને પોરસનું યુદ્ધ
(ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬)
આધારભૂત રીતે સિંધુ ખીણની સભ્યતાથી શરુ થતો ભારતીય ઈતિહાસ વૈદિક સમય વળોટી મહાભારત-રામાયણનો મહાકાવ્યયુગ ભોગવી ઈતિહાસયુગમાં પ્રવેશે છે.ઈતિહાસ યુગના ઉષ:કાળે ભારતીય સમાજ પહેલું યુદ્ધ જુએ છે અને તે ગ્રીક સમ્રાટ સિકંદર અને બાહુબલી પોરસ વચ્ચેનું યુદ્ધ.(ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬)એલેક્ઝાંડર ફીલીપનો આ પુત્ર અને મહાન ફિલસૂફ એરીસ્ટોટલનો શિષ્ય સીકદર ૨૦ વર્ષની વયે મેસેડોનિયાનો શાસક બન્યો. સમ્રાટ બન્યા પછી વિશ્વવિજયની કામના સાથે નીકળી પડ્યો.ભારતવિજય એના માટે એટલે પણ જરૂરી હતો કે તેના પિતા ફિલિપ પણ ભારત જીતી શક્યા ન હતા,બીજું કે વિશ્વવિજયના ભાગરૂપે ડેરીયસ સામ્રાજ્યના દુર પૂર્વના ભાગ સુધી પહોચી સાગરની સમસ્યા હલ કરવા ઈચ્છતો હતો ,આ ભુગોળ ગ્રીસના ભૂગોળશાસ્ત્રીઓને પણ ચકકરમાં નાંખતી હતી. હિંદુકુશ પર્વતમાળા વટાવી કાબુલ પહોચ્યો વચ્ચેના પ્રદેશોના રાજાઓ શશીગુપ્ત,આમ્ભી અને સંજયે એ સિકંદરની પ્રચંડ શક્તિઓ પિછાણી શરણાગતિ સ્વીકારી. કહેવાતા યોદ્ધાઓ ઝુક્યાપણ ત્યાની આદિજાતિઓ અને જંગલી પશુઓ સિકંદરને સરળતાથી શરણે ન થયા જંગલી પશુઓ અને ખાસ તો વાંદરાઓએ સિકંદરનો રસ્તો રોક્યો વાંદરાઓને જોઇને તો સિકદરના સૈનિકો રીતસર ડરી જ ગયા હતા સ્થાનિક નદીઓ પણ ચોમાસામાં ઉફાન પર આવી સિકંદરનો રસ્તો રોકાતી હતી..સિકંદરે અહી પહેલી વાર મોર પણ જોયા તે મોરના સૌન્દર્યથી એટલો તો પ્રભાવિત થયો કે પોતાના સૈનિકોને મોરને ન મારવાની આજ્ઞા કરી હતી.
વાયવ્ય ભારતના સરહદી રાજ્યોના રાજાઓની શરણાગતિ અને તેમના તરફથી મળેલી ભેટસોગાદોથી ઉત્સાહિત થયેલા સિકંદરે પોરસને ભેટસોગાદો અને આદેશના ભાવ સાથે ઝેલમ કાંઠે હજાર થવા ફરમાન કર્યું પણ સાડા છ ફૂટ ઉંચો,સોહામણો અને હિંમત અને બહાદુરીના પર્યાય સમા પોરસને એ મંજુર ન હતું.પરિણામ સિકંદર અને પોરસનું મહાયુદ્ધ.સિકંદરે પોરસ પર આક્રમણ કરતા પહેલા પાંચ નદીઓ પાર કરી લશ્કર સાથે ઝેલમના કાંઠે ખડો થયો.પોરસના ૫૦ હજાર સૈનિકો સામે સિકંદર પાસે માત્ર ચુનંદા ૫ હજાર સૈનિકો જ હતા.પણ સિકંદર પાસે પોરસની તુલનામાં આધુનિક શસ્ત્રો હતા ગ્રીકો આ સમયે તલવારોનો ઉપયોગ શરુ કરી ચુક્યા હતા અને તેમની વ્યૂહરચનાઓ તો કાબિલેદાદ હતી જ. પોરસ અને તેના સૈન્યનો બુલંદ હોંસલો અને પુરબહાર વહેતી ઝેલમને જોઈ સિકંદરે તેની વ્યૂહરચના બદલી .ઝેલમ પાર કરવી અઘરી હતી ત્યારે પોતાના સૈન્યને ૨૦ માંઈલ દુર આવેલા એક નાના દ્રીપ પર લઇ જઈ વરસાદી વાતાવરણમાં ઝેલમ પાર કરી પોરસની લગોલગ આવી પહોચ્યો.પ્રથમ દિવસે પોરસપુત્ર એ સિકદર સામે યુદ્ધ છેડ્યું તેમાં ૪૦૦ સૈનિકો સાથે પોરસનો પુત્ર માર્યો ગયો.પોરસનું લશ્કર હાથી,રથ અને પદાતિ લશ્કર હતું.કુરીનાના મેદાનમાં લડાયેલા યુદ્ધમાં વરસાદને કારણે પોરસની સેના માટે વિશાલ ધનુષ્યો પર કમાન ચડાવવી શક્ય ન હતી રથ પણ કીચડમાં ફસડાઈ પડ્યા અધૂરામાં પૂરું સિકંદરે પોરસના હાથીઓ પર વિશાલ ભાલોઓથી હુમલા કરી, તેમની સુંઢ કાપી પાગલ કરી દીધા પગલાયેલા હાથીઓએ પીછેમૂડ કરી ખુદ પોરસની સેનાનો કચ્ચરઘાણ વાળી દીધો,પોરસની સેનામાં નાસભાગ મચી ગઈ.છેલ્લું યુદ્ધ ૮ કલાક ચાલ્યું તેમાં ૧૮ હજાર ભારતીય સૈનિકો અને સિકંદરના અંદાજે ૪૦૦ સૈનિકો વીરગતિને પામ્યા અંતે સિકંદરની વલ્લભધારી અને અશ્વસેનાએ પોરસ પર હલ્લો બોલાવ્યો પણ એકલવીર પોરસ મહાકાય હાથી પરથી હજુ પણ ઝઝૂમી રહ્યો હતો. શરીર પર નવ જગ્યાએ ઝખ્મી થવા છતાં તેનો જુસ્સો બરકરાર હતો આખરે તેને બંદી બનાવી સિકંદર સામે પેશ કરવામાં આવ્યો .સિકંદરે વિશ્વ વિજેતાની અદાથી પોરસને પૂછયું
“બોલ તારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે ?”-
“એક જીતેલો રાજા હારેલા રાજા સાથે કરે છે તેવો “
પોરસ ઉવાચ.
પોરસના સાહસ,સ્વાભિમાન અને બહાદુરીથી પ્રભાવિત થઇ કહેવાય છે કે સિકંદરે તેનું રાજ્ય પરત કર્યું પણ તેની પાછળ આટલું કારણ પર્યાપ્ત નથી વાસ્તવમાં તો સિકદર આવા બાહુબલી રાજાને મિત્ર બનાવી ભારતમાં આગળ વધવા માંગતો હતો પણ તેનું એ સ્વપ્ન સાકાર ન થયું કારણકે પોરસની બહાદુરીથી અંજાઈ ગયેલા સિકંદરના સેનાપતિઓને આગળના ભારતના રાજાઓ અને તેના લશ્કરની કલ્પના કંપાવી રહી હતી.તેથી પોતાના સૈન્યમાં જ વિદ્રોહ ન પેદા થાય તે હેતુથી સિકંદરે સ્વદેશ પાછા ફરવાનું મુનાસિફ માન્યું .
ઈ.સ પૂર્વે ૩૨૭માં સિકંદરના ભારત અભિયાનનો અંત આવ્યો આ ઘટના ભારતના ઈતિહાસકારો ઉપરાંત સાહિત્ય સર્જકો માટે પણ મનભાવન વિષય રહ્યો છે સેંકડોની સંખ્યામાં ઈતિહાસકારો અને સર્જકોએ સિકંદરના ભારત અભિયાનને પોતપોતાની રીતે મુલવ્યું છે. સામ્રાજ્યવાદી ઇતિહાસકાર વી.એ સ્મિથે તો તેના “પ્રાચીન ભારતનો ઈતિહાસ “ગ્રંથમાં ૭૨ પાના ભરી માત્ર સિકંદર અને યુરોપના વકીલ હોય તેમ વાત કરી છે .વાસ્તવમાં સિકંદર અને ગ્રીકો જે ઝડપે ભારતમાં આવ્યા હતા તે જ ઝડપે પાછા ગયા હતા
૧૯ મહિનાના ભારત નિવાસે ભારતના સમાજજીવનને ખાસ્સું પ્રભાવિત કર્યું હતું ભારતની સરહદ પર બુફફેલા (સિકંદરનો ઘોડો જ્યાં મર્યો હતો તે સ્થળ )અને નીકાયા (વિજય સ્થળ)નામના બે નવા નગરોનું નિર્માણ ,ભારતમાં ગ્રીક છાવણીઓની રચના ,ભારતીયોના ખગોળવિદ્યાના જ્ઞાનમાં અભિવુદ્ધી ભારત અને ગ્રીસ વચ્ચે સાંસ્કૃતિક સંબધોનું સ્થાપન, સિકંદર પહેલા અણધડ અને બેડોળ બનતા ભારતીય સિક્કાઓનો સુડોળ અને ચોક્કસ આકારના બનવા વગેરે સિકંદરના આ યુદ્ધની અસરો હતી.માત્ર બે વર્ષના આ ટૂંકા ગાળાએ ભારત અને ગ્રીસ બંને દેશોના ઈતિહાસ પર અમીટ છાપ છોડી હતી.હવે ભારત-ગ્રીસ વચ્ચે યુદ્ધોની સાથે મૈત્રીની બુનિયાદ પણ રચાવાની હતી .
એવું તો શું થવાનું હતું મહાન ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કે પોરસના સમયમાં બચાવની મુદ્રામાં રહેલું ભારત તેનો આક્રમક મિજાજ દેખાડે છે.તેની વાત હવે પછી મહાન ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ વચ્ચેના યુદ્ધમાં (ઈ.સ. પૂર્વે ૩૦૫)કરીશું .
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર, વેબસાઈટ, અમદાવાદ
Comments
Post a Comment