પ્રિયબાળા શાહ
સંસ્કૃતિવિદ :
પ્રિયબાળા શાહ (૧૯૨૦ -૨૦૧૧ )
આજ તારીખ ૧૩ જાન્યુઆરીના રોજ ગુજરાત-ભારતના જાણીતા સંશોધક ડોકટર
પ્રિયબાળાબેન જીવણલાલ શાહનો જન્મદિવસ છે .
અમદાવાદમાં જન્મેલા પ્રિયબાળા શાહે શિક્ષણ અમદાવાદમાં જ લીધું હતું ૧૯૫૦મા "વિષ્ણુધર્મોત્તર પુરાણ "શીર્ષકથી પીએચ.ડીની પાડવી હાંસલ કરી હતી ગુજરાતી ,હિન્દી ,સંસ્કૃત,અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓ જાણતા પ્રિયબાળા શાહે" દિ સન ઈમેજીસ " શીર્ષક
તળે ડી.લિટ્ટની ડિગ્રી પણ મેળવી હતી .ઉચ્ચ સંશોધન માટે તેઓએ દેશ-વિદેશમાં ગહન અધ્યયન અને ચિંતન કર્યું હતું .તેમની જ્ઞાનપિપાસાની પશંસા તો યુરોપીય
વિદ્વાનો એ પણ કરી હતી .
વ્યવસાયી રીતે પ્રિયબાળાબેન અમદાવાદની રામાનંદ કોલેજ ( આજની એચ .કે .કોલેજ ) માં અધ્યાપક અને રાજકોટની વીરબાઈ કોલેજમાં આચાર્ય રહ્યા હતા .
પ્રિયબાળા શાહે શ્રી વિષ્ણુધર્મોત્તર ,પથ્થર બોલે છે , શ્રી અને સંસ્કૃતિ ,ચાંદલો -બિંદી -તિલક , ટેમ્પલસ ઓફ ગુજરાત ટ્રેડીશનલ વેર ઓફ ઇન્ડિયન વુમન , હિંદુ મૂર્તિ વિધાન , તિબેટ , જૈન મૂર્તિ વિધાન જેવા ૧૭ થી વધુ પુસ્તકો લખ્યા છે .તેમના સંપાદિત પુસ્તકોની સંખ્યા પણ ૧૦ કરતા વધુ છે .
સીદી ,સાદી અને રસપ્રદ શૈલીમાં લખાણ એ તેમના લેખનની વિશેષતા છે .આ બધા દ્રારા ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસકાર તરીકે પ્રિયબાળાબેને
પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું છે .ગુજરાતની સંસ્કૃતિ અને ઈતિહાસ વિષે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આ વિદુષીનું ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ અવસાન
થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૩ જાન્યુ.૨૦૧૯
Comments
Post a Comment