મોરારજી દેસાઈ
- Get link
- X
- Other Apps
રાજપુરુષ : મોરારજી દેસાઈ ( ૧૮૯૬ - ૧૯૯૫ )
આજે તારીખ ૨૯ ફેબ્રુઆરી અને અંગ્રેજી મહિના પ્રમાણે દર ચાર વર્ષે જેઓની જન્મતારીખ આવે છે તેવા મોરારજી દેસાઈ ,ભારતના પ્રથમ એડવોકેટ જનરલ જમશેદજી બહેરામજી કાંગા અને ખિસ્તી વડા ધર્મગુરુ પોપ જોન પોલ ત્રીજાનો જન્મદિન છે.
આજે તારીખ ૨૯ ફેબ્રુઆરી અને અંગ્રેજી મહિના પ્રમાણે દર ચાર વર્ષે જેઓની જન્મતારીખ આવે છે તેવા મોરારજી દેસાઈ ,ભારતના પ્રથમ એડવોકેટ જનરલ જમશેદજી બહેરામજી કાંગા અને ખિસ્તી વડા ધર્મગુરુ પોપ જોન પોલ ત્રીજાનો જન્મદિન છે.
વલસાડ જીલ્લાના ભડેલી ગામે જન્મેલા મોરારજી રણછોડજી દેસાઈએ સાવરકુંડલા ,વલસાડ અને મુંબઈની વિલ્સન કોલેજથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું .તેઓની વ્યવસાયી અને રાજકીય કારકિર્દી ગોધરામાં ડેપ્યુટી કલેકટર ,મુંબઈ સરકારમાં પ્રધાન , કેન્દ્ર સરકારમાં વેપાર-નાણા પ્રધાન , ભારતના નાણાપ્રધાન અને ભારતના વડાપ્રધાન સુધી રહી હતી.
મોરારજી દેસાઈ ૧૯૩૦માં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા . દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો . આઝાદી પછી ભારતના રાજકારણમાં મોખરાનું સ્થાન ધરાવતા મોરારજી દેસાઈએ ડિસે .૧૯૬૯મા અલગ કોંગ્રેસ અને ૧૯૭૭મા જનતા પક્ષની રચના કરી હતી . વચ્ચે ગુજરાતના અલગ રાજ્યની રચના સામે ઉપવાસ પર પણ ઉતર્યા હતા .
કટોકટી પછી ૨૪ માર્ચ ૧૯૭૭ થી ૨૮ જુલાઈ ૧૯૭૯ સુધી મોરારજી દેસાઈ ભારતના વડાપ્રધાન રહ્યા હતા . તેઓના પ્રધાનમંત્રીકાળ દરમિયાનની પ્રજા કલ્યાણકારી રીતરસમોને લોકો આજે પણ યાદ કરે છે .
મોરારજી દેસાઈએ મારું જીવન વૃતાંત નામથી ત્રણ ભાગમાં આત્મકથા,પોલીસ પ્રજાનો મિત્ર બની રહે ,કરવેરા શા માટે ,લોકશાહી સમાજવાદ ,સડા વિનાનો વહીવટ અને કાયદાથી કોઈ પર નથી જેવા પુસ્તકો લખ્યા છે .
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ,ભારત રત્ન અને કુદરતી જીવન પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા મોરારજીભાઈ દેસાઈનું ૧૦ એપ્રિલ ૧૯૯૫ના રોજ ૯૯ વર્ષની વયે અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment