Posts

Showing posts from August, 2020

ગની દહીંવાલા

ગઝલના બુલબુલ : ગની દહીવાલા ( ૧૯૦૮ - ૧૯૮૭ )            આજે તારીખ ૧૭ ઓગસ્ટના રોજ ગુજરાતી  ભાષાના  મોટા ગજાના ગઝલકાર ગની દહીવાલા ,રંગભૂમિના નટ અને દિગ્દર્શક બરજોર પટેલ , સર્વોદય કાર્યકર કાંતિભાઈ શાહ ,નવલકથાકાર અમૃતલાલ નાગરનો જન્મદિન અને ક્રાંતિકાર મગનલાલ ઢીંગરાની પુણ્યતિથિ છે .             ગની દહીવાલાનું આખુનામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીવાલા હતું . સુરતમાં જન્મેલાં ગની દહીવાલા ગુજરાતી ત્રણ ચોપડી સુધીજ ભણ્યા હતાં .તેમનો વ્યવસાય દરજીકામ હતો . સુરતમાં તેઓએ સ્વરસંગમ નામની સંસ્થાની સ્થાપના કરી હતી .મહા ગુજરાત ગઝલ મંડળના ગની દહીવાલા સ્થાપક સભ્ય  હતાં .               ગુજરાતી સાહિત્ય સર્જન ક્ષેત્રે ગઝલને પોતાના સર્જનનું ખાસ ક્ષેત્ર બનાવનાર ગની દહીવાલાએ ગાતાં ઝરણાં , મહેંક , મધુરપ , ગનીમત , નિરાંત ,ફાંસ ફૂલની અને ગનીભાઈનાં શ્રેષ્ઠ કાવ્યો જેવાં કાવ્ય ગ્રંથો લખ્યાં છે . ભીખારણનું ગીત અને ચાલ મજાની આંબાવાડી તેમની જાણીતી રચનાઓ  છે .                ...

ચંદ્રકાંત બક્ષી

            આજે તારીખ ૨૦ ઓગસ્ટ અને આજીવન સંશોધક રસિકલાલ પરીખ , નારાયણ ગુરુ , રાજીવ ગાંધી અને ચંદ્રકાંત બક્ષીનો જન્મદિવસ તથા  લોક સંગીતજ્ઞ હેમુ ગઢવી ,અવિનાશ વ્યાસ , રાજનેતા સનત મહેતા અને રશિયન સામ્યવાદી નેતા લિયોન ટ્રોટસ્કીની પુણ્યતિથિ છે.              ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુરમાં અને  અભ્યાસ  એમ.એ , એલ.એલ .બી સુધીનો .કલકતામાં  વ્યવસાય કરતાં સાહિત્ય સર્જન શરુ કર્યું .બક્ષી મુંબઈમાં ઈતિહાસ અને રાજનીતિ શાસ્ત્રના  અધ્યાપક , આચાર્ય અને પત્રકાર પણ રહ્યાં હતા .              તેઓની વિશેષ ઓળખ સાહિત્યકાર અને કટાર લેખક તરીકેની હતી .સાહિત્ય સર્જન ક્ષેત્રે ચંદ્રકાંત બક્ષીએ પડઘા ડૂબી ગયા , રોમાં ,એકલતાના કિનારા ,આકાર ,અતીતવન , પેરેલિસિસ , એક સાંજની મુલાકાત , હું કોનારક શાહ ,બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ , ચદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો , તવારીખ , વાતાયન જેવાં નવલકથા , વાર્તા , ઈતિહાસ અને રાજકારણ જેવાં અનેક વિષયો પર ૧૮૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે . તેમણે બક્ષીનામાશીર્ષકથી ત્રણ ભાગમ...

માસ્તર કરીમ મહમદ

વિસરાયેલા વિદ્વાન : કરીમ મહમદ માસ્તર                 ( ૧૮૮૪  - ૧૯૬૨ )     આજે તારીખ ૧૮ ઓગસ્ટના રોજ મરાઠા સેનાપતિ બાજીરાવ પહેલાં , કરીમ મહમદ માસ્તર ,લીનાબેન મંગળદાસ , કુલપતિ એન.વી .વસાણી સંગીતકાર વિષ્ણુ દિગંબર પલુસ્કર અને બ્રિટીશ પ્રધાન મંત્રી જ્હોન રસેલનો જન્મદિવસ છે .      વહોરા પરિવારમાં જન્મેલાં કરીમ મહમદે નડિયાદમાં વકીલાત અને જુનાગઢ સદર અદાલતમાં જજ તરીકે કામ કર્યું હતું .૧૯૪૮માં નિવૃત થયા પછી તેઓએ અધ્યયન અને સંશોધન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું .તેઓનું વિશેષ સ્મરણ મહા ગુજરાતના મુસલમાનો , પંચસુરા અને મુસલમાન વકફ આક્ટ જેવાં પુસ્તકોના લેેેખન માટે થાય છે .       મહા ગુજરાતના મુસલમાનો નામનો બે ભાગમાં લખાયેલો ગ્રંથ આજે પણ  માહિતીપૂર્ણ અને પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે .તેમનું પંચસુરા નામનું પુસ્તક ઇસ્લામ વિશેની શાસ્ત્રીય માહિતી આપે છે .       ૨૧ ડીસેમ્બર ૧૯૬૨ ના રોજ ૭૮ વર્ષની વયે કરીમ મહમદ માસ્તરનું અવસાન થયું હતું .તેમની સર્જન શક્તિ કવિતામાં પણ પ્રતિબિમ્બિત થાય છે : " અશ્રુ સરે છે આં...