ગની દહીંવાલા
- Get link
- X
- Other Apps
ગઝલના બુલબુલ : ગની દહીવાલા ( ૧૯૦૮ - ૧૯૮૭ )
આજે તારીખ ૧૭ ઓગસ્ટના રોજ ગુજરાતી ભાષાના મોટા ગજાના ગઝલકાર ગની દહીવાલા ,રંગભૂમિના નટ અને દિગ્દર્શક બરજોર પટેલ , સર્વોદય કાર્યકર કાંતિભાઈ શાહ ,નવલકથાકાર અમૃતલાલ નાગરનો જન્મદિન અને ક્રાંતિકાર મગનલાલ ઢીંગરાની પુણ્યતિથિ છે .
આજે તારીખ ૧૭ ઓગસ્ટના રોજ ગુજરાતી ભાષાના મોટા ગજાના ગઝલકાર ગની દહીવાલા ,રંગભૂમિના નટ અને દિગ્દર્શક બરજોર પટેલ , સર્વોદય કાર્યકર કાંતિભાઈ શાહ ,નવલકથાકાર અમૃતલાલ નાગરનો જન્મદિન અને ક્રાંતિકાર મગનલાલ ઢીંગરાની પુણ્યતિથિ છે .
ગની દહીવાલાનું આખુનામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીવાલા હતું . સુરતમાં જન્મેલાં ગની દહીવાલા ગુજરાતી ત્રણ ચોપડી સુધીજ ભણ્યા હતાં .તેમનો વ્યવસાય દરજીકામ હતો . સુરતમાં તેઓએ સ્વરસંગમ નામની સંસ્થાની સ્થાપના કરી હતી .મહા ગુજરાત ગઝલ મંડળના ગની દહીવાલા સ્થાપક સભ્ય હતાં .
ગુજરાતી સાહિત્ય સર્જન ક્ષેત્રે ગઝલને પોતાના સર્જનનું ખાસ ક્ષેત્ર બનાવનાર ગની દહીવાલાએ ગાતાં ઝરણાં , મહેંક , મધુરપ , ગનીમત , નિરાંત ,ફાંસ ફૂલની અને ગનીભાઈનાં શ્રેષ્ઠ કાવ્યો જેવાં કાવ્ય ગ્રંથો લખ્યાં છે . ભીખારણનું ગીત અને ચાલ મજાની આંબાવાડી તેમની જાણીતી રચનાઓ છે .
ગની દહીંવાળાએ નાટકો પણ લખ્યા છે .તેમના નાટકને ગુજરાત સરકારનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું .દહીંવાળાની ગઝલોમાં ઈશ્કનાં દર્દની વિવિધ અને વિશિષ્ટ મુદ્રાઓ ઉપસી આવે છે . આધ્યાત્મિકતા કરતાં
પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એ તેમની ગઝલનો વિશેષ છે .
ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભ સમાન ગની દહીવાલાનું ૫ માર્ચ ૧૯૮૭ના રોજ અવસાન થયું હતું
" ન ધરા સુધી ન ગગન સુધી ,
નહીં ઉન્નતિ ન પતન સુધી ,
અહીં આપણે તો જવું હતું ,
ફકત એકમેકના મન સુધી "
તેમની જાણીતી પંક્તિ છે.
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૭ ઓગસ્ટ ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment