ચંદ્રકાંત બક્ષી


            આજે તારીખ ૨૦ ઓગસ્ટ અને આજીવન સંશોધક રસિકલાલ પરીખ , નારાયણ ગુરુ , રાજીવ ગાંધી
અને ચંદ્રકાંત બક્ષીનો જન્મદિવસ તથા  લોક સંગીતજ્ઞ હેમુ ગઢવી ,અવિનાશ વ્યાસ , રાજનેતા સનત મહેતા અને રશિયન સામ્યવાદી નેતા લિયોન ટ્રોટસ્કીની
પુણ્યતિથિ છે.
             ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુરમાં અને  અભ્યાસ  એમ.એ , એલ.એલ .બી સુધીનો .કલકતામાં  વ્યવસાય કરતાં સાહિત્ય સર્જન શરુ કર્યું .બક્ષી મુંબઈમાં ઈતિહાસ અને રાજનીતિ શાસ્ત્રના  અધ્યાપક , આચાર્ય અને પત્રકાર પણ રહ્યાં હતા . 
            તેઓની વિશેષ ઓળખ સાહિત્યકાર અને કટાર લેખક તરીકેની હતી .સાહિત્ય સર્જન ક્ષેત્રે ચંદ્રકાંત બક્ષીએ પડઘા ડૂબી ગયા , રોમાં ,એકલતાના કિનારા ,આકાર ,અતીતવન , પેરેલિસિસ , એક સાંજની મુલાકાત , હું કોનારક શાહ ,બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ , ચદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો , તવારીખ , વાતાયન જેવાં નવલકથા , વાર્તા , ઈતિહાસ અને રાજકારણ
જેવાં અનેક વિષયો પર ૧૮૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે . તેમણે બક્ષીનામાશીર્ષકથી ત્રણ ભાગમાં આત્મકથા લખી છે . 
           ગુજરાતી સાહિત્યમાં લેખનનો નવાચારી અભિગમ શરુ કરનાર બક્ષી સર્જનમાં  ઘટનાના બેતાજ બાદશાહ ગણાતા હતાં .ચંદ્રકાંત બક્ષી મુંબઈના શેરીફ પણ રહ્યાં હતાં .
            લેખન મારાં માટે મનોવિકાર કે આત્મરતિ નથી તેમ કહેનાર ચંદ્રકાંત બક્ષીનું ૨૫ માર્ચ ૨૦૦૬ના રોજ ૭૩ વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું હતું . વિશાળ ચાહક વર્ગ ધરાવતાં બક્ષી દિવ્ય ભાસ્કરના કટાર લેખક હતાં .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૦ ઓગસ્ટ ૨૦૨૦ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ