સુનિલ ગંગોપાધ્યાય


સુનીલ ગંગોપાધ્યાય ( ૧૯૩૪  -૨૦૧૨ )
     આજે તારીખ ૭ સપ્ટેમ્બર અને નિર્માતા - દિગ્દર્શક મહેબુબખાન , ઈંગ્લેન્ડના રાણી ઈલીઝાબેથ પ્રથમ , પારસી મહિલા તબીબ બાનુ જહાંગીર કોયાજી ,નામાંકિત શિક્ષણશાસ્ત્રી , વિઠ્ઠલ કામત , બંગાળના મૂર્ધન્ય સાહિત્યકાર  સુનીલ ગંગોપાધ્યાયનો જન્મદિવસ તથા ગઝલકાર મનહર ' દિલદાર ' ની પુણ્યતિથિ છે . 
      ફરીદપુરમાં જન્મેલા સુનીલ ગંગોપાધ્યાયે કોલકાતા યુનિ.માંથી બંગાળી સાથે અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો .કવિતા ,લઘુકથા , નવલકથા , યાત્રા વૃતાંત અને બાળકથાઓ વિષયક ૨૦૦ થી વધુ પુસ્તકો લખનાર સુનીલ ગંગોપાધ્યાય કવિતાને પોતાનો પ્રથમ પ્યાર ગણતા હતાં .
         પ્રથમ આલો ( First light) ,સેઇ સોમોય (Those days )વગેરે તેઓની અત્યંત જાણીતી કૃતિઓ છે .  સુનીલ ગંગોપાધ્યાયની નીરા  કવિતા શુન્ખલા ઘણી લોકપ્રિય રહી હતી . ગંગોપાધ્યાય કીર્તિવાસ પત્રિકાના સંપાદક પણ રહ્યાં હતા . તેઓ નીલ લોહિત ,સનાતન પાઠક અને નીલ ઉપાધ્યાય ઉપનામથી લખતાં હતાં .
        બંગાળી સાહિત્યમાં નવી શૈલી પેશ કરનાર સુનીલ ગંગોપાધ્યાયનું સ્મરણ બંગાળી સાહિત્યના સંરક્ષક તરીકે પણ થાય છે .તેમનું સરસ્વતી સન્માન ,આનંદ પુરસ્કાર , હિંદુ સાહિત્ય પુરસ્કાર , સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માન થયું હતું. ગંગોપાધ્યાય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યાં હતાં .
           બંગાળી સાહિત્યના માર્ગસ્તંભ સમાન સુનીલ ગંગોપાધ્યાયનું ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૭૮  વર્ષની વયે હદયરોગના હુમલાથી  કોલકાતામાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ