રમેશ પારેખ
- Get link
- X
- Other Apps
છ અક્ષરનું નામ : રમેશ પારેખ ( ૧૯૪૦ - ૨૦૦૬ )
આજે તારીખ ૨૭ નવેમ્બર અને આઝાદ ભારતના પહેલાં સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર , બૃસલી ,ઉદ્યોગપતિ નાનુભાઈ અમીન , હાસ્યકાર બકુલ ત્રિપાઠી , હરિવંશરાય બચ્ચન અને કવિ રમેશ પારેખનો જન્મદિન છે .
આજે તારીખ ૨૭ નવેમ્બર અને આઝાદ ભારતના પહેલાં સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર , બૃસલી ,ઉદ્યોગપતિ નાનુભાઈ અમીન , હાસ્યકાર બકુલ ત્રિપાઠી , હરિવંશરાય બચ્ચન અને કવિ રમેશ પારેખનો જન્મદિન છે .
અમરેલીમાં જન્મેલાં રમેશ મોહનલાલ પારેખ ૧૯૫૮માં મેટ્રિક થઇ સરકારી નોકરીમાં જોડાયા હતાં . કવિ , વાર્તાકાર , બાળ સાહિત્યકાર રમેશ પારેખે ખડિંગ , ત્વ , વિદાન સુદ બીજ , સનનન , ક્યાં , સ્તનપૂર્વક , છાતીમાં બારસાખ , ચશ્માના કાચ પર જેવાં અનેક પુસ્તકો લખ્યાં છે .
મૂળભૂત રીતે કવિ એવાં રમેશ પારેખનો કાવ્યમિજાજ જુઓ :
" ત્રાજવે તોળ્યા હતાં એ નખશીખ હલકા નીકળ્યા ,
શખ્શ - જે રહેતાં હતાં બહુ ભારમાં , "
" પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર "
" ત્રાજવે તોળ્યા હતાં એ નખશીખ હલકા નીકળ્યા ,
શખ્શ - જે રહેતાં હતાં બહુ ભારમાં , "
" પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર "
રમેશ પારેખની ' ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે , તમને ફૂલ દીધાનું યાદ ' જેવી અનેક રચનાઓ ચિરસ્મરણીય છે .
આપણી ભાષાના આ દિગ્ગજ કવિએ ગીતોને લોકગીતોની કક્ષાએ પહોચાડયા છે .રમેશ પારેખના સર્જનોને નર્મદ ચંદ્રક , રણજીતરામ સુવર્ણચંદ્રક , ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક જેવાં અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે .
ચિત્રકલા અને સંગીતપ્રેમી તથા ગુજરાતી કવિતાને નવી ઊંચાઈ પર લઈ જનાર રમેશ પારેખનું
૨૦૦૬ના રોજ રાજકોટ ખાતે અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૭ નવેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment