નીરવ પટેલ


વંચિતોનો વહીવંચો : નીરવ પટેલ (  ૧૯૫૦ - ૨૦૧૯ )
            આજે તારીખ ૨ ડિસેમ્બર વિશ્વ ગુલામી નાબુદી દિવસ તથા મામાસાહેબ ફડકે ,ગઝલકાર આસીમ નાન્દેરી અને દલિત કવિ , અનુવાદક , સંપાદક નીરવ પટેલનો જન્મદિવસ છે . 
             દસક્રોઈ તાલુકાના ભુવાલડી ગામે જન્મેલા નીરવભાઈ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીમાં અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક અને પીએચ .ડી થયાં હતાં . વ્યવસાયે બેંક અધિકારી નીરવ પટેલે ગુજરાતી દલિત પોએટ્રી પર પીએચ.ડીની પદવી હાંસલ કરી હતી .કોલેજકાળથી જ કાવ્યલેખનનો પ્રારંભ કરનાર નીરવભાઈની કવિતાનો કેન્દ્રીય સૂર અન્યાય-અત્યાચાર ,શોષણ અને સામાજિક ભેદભાવનો વિરોધ રહ્યો છે .
              દલિત કવિતાના કડખેદ ગણાયેલા નીરવ પટેલે બર્નિંગ ફ્રોમ બોથ ધિ એન્ડ , વ્હોટ ડીડ આઈ ડુ ટુ બી બ્લેક એન્ડ બ્લુ તથા બહિષ્કૃત ફૂલો જેવાં કાવ્ય ગ્રંથો લખ્યાં  છે .તેઓએ આક્રોશ , કાળો સુરજ , સર્વનામ , સ્વમાન અને વાચા જેવાં સામયિકોનું સંપાદન પણ કર્યું હતું .
              નીરવ પટેલની કવિતા મહેન્દ્ર ભગત પ્રાઈઝ , ગુજરાત સરકારનો સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી તથા કેન્દ્રીય દલિત સાહિત્ય દ્રારા પુરસ્કૃત થઇ છે .તેમની કવિતાઓ ભારતની બીજી ભાષાઓમાં પણ અનુદિત  થઇ છે .
" ગામ હોય ત્યાં ફૂલવાડો હોય , 
આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતા હતા " 
જેવી અનેક સબળ કાવ્યપંક્તિઓના સર્જક , બ્લેક લિટરેચરનાં આરૂઢ અભ્યાસી અને કવિતાને સામાજિક આંદોલનમાં તબદીલ કરનાર નીરવ પટેલનું ૧૫ મે ૨૦૧૯ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
 સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૨ ડિસેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ



Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ