પ્રમુખ સ્વામિ


        સંત શિરોમણી : પ્રમુખ સ્વામિ મહારાજ
                      ( ૧૯૨૧ - ૨૦૧૬ )
          આજે તારીખ ૭ ડીસેમ્બરના રોજ લોકસેવક ભોગીલાલ ધીરજલાલ લાલા , ખ્યાતનામ ફિલ્મ સર્જક દલસુખ પંચોલી ,ભાષાશાસ્ત્રી નોમ ચોમ્સ્કી અને સંત શિરોમણી પ્રમુખ સ્વામિ મહારાજનો  જન્મદિન અને વિદ્યાગૌરી નીલકંઠની પુણ્યતિથિ છે .
           જુના વડોદરા રાજ્યના ચાણસદ ગામે  શાંતિલાલ પટેલ તરીકે જન્મેલાં પ્રમુખ  સ્વામિ બાલ્યાવસ્થાથી જ પ્રામાણિક , પરીપક્વ અને તેજસ્વી હતાં . કિશોર અવસ્થામાં ક્રિકેટ , તરણ અને ગાવાનો શોખ ધરાવતા પ્રમુખ સ્વામિએ ૨૨ નવેમ્બર ૧૯૩૯ના રોજ શાસ્ત્રીજી મહારાજ પાસેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લીધી . 
             આધ્યાત્મિક વિકાસના ચડતાં ક્રમમાં ૧૯૫૦માં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા ( BAPS) નાં  ગુરુ બન્યાં હતાં .BAPSનાં પ્રમુખ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયને આંતરાષ્ટ્રીય ફલક  પર લઇ જવામાં તેઓનું મોટું યોગદાન છે . ૧૭ હજારથી વધુ ગામોનો પ્રવાસ અને અઢી લાખથી વધુ પરિવારોની પ્રત્યક્ષ મુલાકાત પછી પ્રમુખ સ્વામિનું આધ્યાત્મિક કલેવર ઘડાયું હતું . દેશ - વિદેશમાં સેંકડોની સંખ્યામાં મંદિરો બંધાવી તેઓએ આધ્યાત્મિકતાની જ્યોત પ્રજ્જવલિત રાખી હતી . ધાર્મિકતાની સાથે પુર , ધરતીકંપ અને દુષ્કાળ જેવી કુદરતી આપદાઓમાં પ્રમુખ સ્વામિનું પ્રદાન સરાહનીય રહ્યું હતું .સાંપ્રદાયિક સૌહાર્દનાં વિકાસમાં પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી .
             યુવાનોમાં ચારિત્ર્યશીલતા અને નીતિમત્તાના પ્રખર આગ્રહી , બધાનાં ભલામાં આપણું ભલું છે  જેવી વાણી કથનાર , સંતોને પ્રોફેસર સમાન ગણાવતા અને વિશાળ અનુયાયી વર્ગ ધરાવતાં પ્રમુખ સ્વામિ મહારાજનું દેહાવસાન ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ સાળંગપુર ખાતે થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૭ ડિસેમ્બર ૨૦૨૦ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ