Posts

Showing posts from July, 2022

એકલવ્ય : દોલજીભાઈ ડામોર

ડૉ. અરુણ વાઘેલા ઉત્તર ગુજરાતનાં સ્વાતંત્ર્યવીર : દોલજીભાઈ ડામોર રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતનો પૂર્વ પટ્ટીનો અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર પણ ઘણો સક્રિય હતો . અલબત્ત ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગાંધીવાદી રાષ્ટ્રવાદી આંદોલનો તથા રચનાત્મક પ્રવૃત્તિઓના સંદર્ભમાં વિચારતા દક્ષિણ ગુજરાત અને પંચમહાલની તુલનાએ ઉત્તર ગુજરાતમાં તેની ગતિ અને વ્યાપ ધીમા જણાય છે. તેના અનેકવિધ કારણો હતા. 1919 થી 1923 દરમિયાન ચાલેલી મોતીલાલ તેજાવતની એકી ચળવળને અપવાદ ગણીએ તો ઉત્તર ગુજરાતનું આદિવાસીક્ષેત્ર મોટાપાયા પરની રાજકીય ગતિવિધિઓથી અલિપ્ત રહ્યું હતું. અલબત્ત, ગાંધીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓ, તેના થાણાઓ અવશ્ય સ્થાપ્યા હતા અને તેને ફળસ્વરૂપે આદિવાસીઓમાંથી નાના પાયા પર નેતૃત્વ ઉદય થયો હતો. તેમાંના એક શ્રી દોલજીભાઈ ડામોરનો પરિચય અત્રે રજૂ કરવામાં આવ્યો છે.દોલજીભાઇ ડામોર આઝાદીના આંદોલન ઉપરાંત લાંબા સેમી સુધી ગુજરાતનાં જાહેરજીવનમાં સંકળાયેલા રહ્યા હતા . દોલજીભાઈ લખમાજી ડામોરનો જન્મ ફાગણ સુદ ૧૪ સંવત ૧૯૭૦ના રોજ (ઈ.સ. ૧૯૧૪) થયો હતો. તેમની ચોથી પેઢીએ ડામોર લખમાજી જોધાજી ધંધાસણમાં સ્થળાંતર કરી વસ્યા હતા. તે...

ડોટર ઓફ સરદાર : મણિબહેન પટેલ

ડોટર ઓફ સરદાર: મણિબહેન પટેલ મુંબઈની બે મહિલાઓ દિલ્હી કોઈ કામ પ્રસંગે ગઈ હતી ત્યાં એક બીજા સાદાં-સીધાં અને સાદગીના પર્યાય સમા મહિલાને મળી તેમને જ્યાં જવું હતું ત્યાં લઈ જવા ટેક્સીમાં પરાણે બેસાડયા. મધ્યમ કદના, દુબળાપાતળા, ભીનો વાન અને શ્વેત ખાદીધારી મહિલાને તેમના સબંધીને ત્યાં જ છોડી બે મહિલાઓ એ જ ટેક્સીમાં પરત ફરી. ટેક્સી ડ્રાઈવરે એ મહિલાઓને પૂછ્યું...  ‘યે માજી કૌન થી?’ ‘વહ મણિબહેન થી!’ ‘સરદાર પટેલ કી સુપુત્રી મણિબહેન?’ ‘હા, વહી મણિબહેન’ આટલા સંવાદ પછી ટેક્સી ડ્રાઈવર નીચે ઉતર્યો અને મણિબહેન પટેલ જે રસ્તા પર ચાલીને ગયા હતા ત્યાંની ધૂળ માથે ચડાવી. આ પ્રસંગ હતો મણિબહેન પટેલના જીવનના ઉતરાર્ધનો પણ તેના  પાયામાં હતું ગાંધી અને સરદારના વિચારોનું જીવનભરનું ભાથું. ૧૯૦3ના એપ્રિલ મહિનામાં ત્રીજી તારીખે તેમનો જન્મ થયો હતો. પાંચ વર્ષના થયા ત્યાં તો માતા ઝવેરબા પરલોક સીધાવ્યા.  ‘બાળકોને નવી માનું દુ:ખ નહી આપું’ તેવી ભાવિ વિચારણા સાથે સરદાર પટેલ આખી જીંદગી બીજા લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું. અને પોતે બંને બાળકોના પિતાની સાથે માતાની જવાબદારી પણ અદા કરી. નમાયી દીકરી એ પિતા સરદારના સથવા...

મૃદુલા સારાભાઈ

ડૉ. અરુણ વાઘેલા રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામની નારીશક્તિ : મૃદુલાબહેન સારાભાઈ અમદાવાદના મિલ ઉધોગનો ઈતિહાસ જેટલો રાષ્ટ્રવાદી અને ગૌરવશાળી છે એટલી જ મિલમાલિક સારાભાઇ પરિવારની રાષ્ટ્રવાદીતા સુવિદિત છે.અંબાલાલ સારાભાઇ, અનસૂયાબેન સારાભાઇ, અને મૃદુલાબેન સારાભાઇ અમદાવાદના મિલ માલિક પરિવારના રાષ્ટ્રવાદી તારલાઓ હતા. અમદાવાદનો સારાભાઇ પરિવાર અને રાષ્ટ્રવાદી આંદોલન પરસ્પર પર્યાય સમાન હતા. આજે મિલ માલિક સારાભાઇ કુટુંબની રાષ્ટ્રવાદી પરંપરામાં મૃદુલાબેન સારાભાઇની વાત કરીએ. મૃદુલાબહેનનો જન્મ સને ૧૯૧૧ના મેની છઠ્ઠી તારીખે અમદાવાદમાં શેઠ શ્રી. અંબાલાલ સારાભાઈ અને સરલાદેવીને ત્યાં તેમના આઠ બાળકો પૈકીના એક બાળક તરીકે થયો હતો.અનસૂયાબેન સારાભાઇ તેમના ફોઇ અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇ તેમના ભાઈ થતાં હતાં. વિદ્યાર્થી અવસ્થામાં ઘરેથી ‘અંજલિ’ નામનું સામયિક બહાર પાડતા હતા. તેમના પિતાશ્રીને ગાંધીજી સાથે નિકટનો સંબંધ હોવાથી તેમ જ દેશના આગેવાનો તેમને ત્યાં ઉતરતા હોવાથી મૃદુલાબહેન પર રાષ્ટ્રીય ભાવનાની અસર શરૂઆતથી જ પડેલી. નાનપણથી જ તેમનામાં બ્રિટિશવિરોધી વૃત્તિ હોવાથી ઉંમરલાયક થતાં અને ખાસ કરીને ગાંધીજી તથ...