Posts

Showing posts from September, 2020

જયકુમાર શુકલ

       અલવિદા જયકુમાર શુક્લ ( 1933 - 2020)              ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઇતિહાસકારો પૈકીના એક ડોકટર જયકુમાર શુકલએ તાજેતરમાં વિદાય લીધી. દેવગઢ બારિયા ખાતે જન્મેલા જયકુમાર અત્યંત ખંતીલા અધ્યાપક અને સંશોધક હતાં. અમદાવાદની જાણીતી એચ. કે આર્ટ્સ કોલેજમાં  વર્ષો સુધી ઇતિહાસના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ રહેલાં શુકલ સાહેબ અત્યંત મૃદુભાષી અને માનવતાવાદી અભિગમ ધરાવતા હતાં.             ૧૯૪૨ ની " હિંદ છોડો લડતમાં અમદાવાદનું પ્રદાન " શીર્ષકથી પોતાની ઈતિહાસ સંશોધનયાત્રા શરૂ કરનાર જયકુમારભાઈએ ગુજરાતના ઇતિહાસમાં માતબર અને ગુણવત્તા સભર યોગદાન આપ્યું છે. બેંતાલીસમાં ગુજરાત , બેંતાલીસમાં અમદાવાદ અને ગુજરાતમાં હોમરુલ આંદોલન વગેરે તેમના અણીશુદ્ધ ઈતિહાસ ગ્રંથો છે. તે સિવાય દેશી રાજ્યોનું વિલીનીકરણ, રાષ્ટ્રસમૂહના દેશોનો ઇતિહાસ, મુઘલકાલીન રાજકીય સિદ્ધાંતો ,સોવિયેત રશિયાનો ઈતિહાસ ,અર્વાચીન ઇતિહાસકારો અને તેમનું ઇતિહાસ લેખન , ભારતના રાજ્યો વગેરે પણ તેમના મહત્વપૂર્ણ યોગદાન છે.          ...

મણિલાલ નભુભાઈ

                    સરંક્ષણવાદ :        મણિલાલ નભુભાઈ દ્રિવેદી (૧૮૫૮-૧૮૯૮)         આજે રુબિન ડેવિડ, હરીન્દ્ર દવે અને ૧૯મા સૈકામાં પાશ્રાત્ય પ્રવાહમાં ગુજરાતમાં થઇ રહેલા સુધારા સામે ભારતીય દ્રષ્ટિકોણથી સુધારાનો અભિગમ આપનાર ,પ્રકાંડ પંડિત મણિલાલ નભુભાઈ દ્રિવેદીનો જન્મદિવસ અને બળવંતરાય મહેતાની પુણ્યતિથિ છે .         નડિયાદમાં જન્મેલા મણિલાલે અભ્યાસ નડીયાદ અને મુંબઈમાં કર્યો હતો .૧૮૭૬મા આખી મેટ્રિકની પરીક્ષામાં બીજે ક્રમે પાસ થયા હતા .મણિલાલ નભુભાઈને ઈતિહાસ ,ફિલસુફી ,અંગ્રેજી અને ગુજરાતી જેવા વિષયો સાથે વિશેષ મમત્વ હતું .માધ્યમિક શાળામાં શિક્ષક ,શાળાઓના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર અને ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર બન્યા હતા જ્યાં ગાંધીજી તેમનાં વિદ્યાર્થી હતા. મુંબઈ યુનિ.માંથી સંસ્કૃતના પરીક્ષક નીમાંનાર તેઓ સહુ પહેલા ગુજરાતી હતા .         મણિલાલે "શિક્ષા શતક ,માલતી માધવ (અનુ.),કાન્તા ,પૂર્વ દર્શન,નારીપ્રતિષ્ઠા,રાજયોગ ,પ્રેમ જીવન ,પ્રાણ વિનિ...

વિનોબા ભાવે

ભૂદાનયાત્રી : વિનોબા ભાવે (૧૮૯૫-૧૯૮૨)      આજે તારીખ ૧૧ સપ્ટેમ્બરના રોજ વિનોબા ભાવે ,પુપુલ જયકર ,લાલા અમરનાથ અને મહમંદ કરીમ ચાગલાનો જન્મદિવસ છે અનેઅનસૂયા બેન સારાભાઈ ,જ્યોતીન્દ્ર દવે અને મહાદેવી વર્માની પુણ્યતિથિ છે.       વિનોબા ભાવેનો જન્મ મહારાષ્ટ્રના ગગોદામાં ભક્તિભાવવાળા અને રાષ્ટ્રવાદી પરિવારમાં થયો હતો . ૧૯૧૬મા વિનોબાએ હિમાલયમાં તપ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ બનારસમાં મહાત્મા ગાંધીના ક્રાંતિકારી ભાષણને સાંભળ્યા પછી હિમાલયમાં જવાનું માંડી વળ્યું હતું .        ૨૧ વર્ષની વયે અમદાવાદમાં પહેલી વાર ગાંધીજીને મળ્યા અને આજીવન ગાંધીવાદી બની રહ્યા .ગાંધીજી તેમાના માટે કહેતા કે " વિનોબા આશ્રમના દુર્લભ રત્નોમાના એક છે અને તેઓ  અહી કશું મેળવવા માટે નહિ પણ અર્પણ કરવા આવ્યા છે .સ્વરાજ્ય યાત્રી ,પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી (૧૯૪૦),રાષ્ટ્રીય અધ્યાપક ,ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી ,ભૂદાનયાત્રી એમ અનેક રીતે વિનોબા ભાવેનું સ્મરણ થાય છે .         વિનોબાએ આઝાદી બાદ  તારીખ ૧૮ એપ્રિલ ૧૯૫૧ના રોજ  તેલંગાના રાજ્યના પ...

રૂપસિંઘ

હોકીના જાદુગર  :રૂપસિંહ (૧૯૧૦-૧૯૭૭)         આજે તારીખ ૮ સપ્ટેમ્બર અને ફ્રેંચ નોબલ વિજેતા નાટ્યકાર ફેડરિક મીસ્ત્રલ ,ભૂપેન હજારિકા ,આશા ભોંસલે અને હોકીના જાદુગર રૂપસિંહનો જન્મદિવસ છે           મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલા રૂપસિંહ  હોકીના પહેલા જાદુગર ધ્યાનચંદના નાનાભાઈ હતા .લાંબો અને કદાવર દેહ ધરાવતા રૂપસિંહનો હોકી પ્રત્યેનો લગાવ મોટાભાઈ ધ્યાનચંદના કારણે કેળવાયો હતો .૧૯૩૨મા ઓલમ્પિક હોકી ટીમમાં તેમની પસંદગી થઇ પરંતુ યોગ્ય કપડા નહિ હોવાથી ના પાડી દીધી પરંતુ તેમના પિતાજીએ શૂટ બનાવી આપતા ઓલિમ્પિક ખેલવા ગયા હતા .         રૂપસિંહ ૧૯૩૨મા અમેરિકાના લોસ એન્જલ્સ અને ૧૯૩૬મા જર્મનીના બર્લિન ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમના સભ્ય હતા .૧૯૩૨મા અમેરિકા સામે તેમણે એકલાએ ૧૨ ગોલ  કર્યા હતા .ઓલમ્પિકમાં પણ રુપસિંહે ધ્યાનચંદ કરતા વધુ ગોલ  કર્યા છે .         તેમના હોકી કૌશલ્યનો કોઈ જવાબ ન હતો .બોલ પર એવો તો પ્રહાર કરતા કે સામેના ખેલાડીને ઈજા થવાનો ભય રહેતો .તેથી તેમના માટે કહેવાતું પણ ખરું કે તમે રમવા માટે...

સુનિલ ગંગોપાધ્યાય

સુનીલ ગંગોપાધ્યાય ( ૧૯૩૪  -૨૦૧૨ )      આજે તારીખ ૭ સપ્ટેમ્બર અને નિર્માતા - દિગ્દર્શક મહેબુબખાન , ઈંગ્લેન્ડના રાણી ઈલીઝાબેથ પ્રથમ , પારસી મહિલા તબીબ બાનુ જહાંગીર કોયાજી ,નામાંકિત શિક્ષણશાસ્ત્રી , વિઠ્ઠલ કામત , બંગાળના મૂર્ધન્ય સાહિત્યકાર  સુનીલ ગંગોપાધ્યાયનો જન્મદિવસ તથા ગઝલકાર મનહર ' દિલદાર ' ની પુણ્યતિથિ છે .        ફરીદપુરમાં જન્મેલા સુનીલ ગંગોપાધ્યાયે કોલકાતા યુનિ.માંથી બંગાળી સાથે અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો .કવિતા ,લઘુકથા , નવલકથા , યાત્રા વૃતાંત અને બાળકથાઓ વિષયક ૨૦૦ થી વધુ પુસ્તકો લખનાર સુનીલ ગંગોપાધ્યાય કવિતાને પોતાનો પ્રથમ પ્યાર ગણતા હતાં .          પ્રથમ આલો ( First light) ,સેઇ સોમોય (Those days )વગેરે તેઓની અત્યંત જાણીતી કૃતિઓ છે .  સુનીલ ગંગોપાધ્યાયની નીરા  કવિતા શુન્ખલા ઘણી લોકપ્રિય રહી હતી . ગંગોપાધ્યાય કીર્તિવાસ પત્રિકાના સંપાદક પણ રહ્યાં હતા . તેઓ નીલ લોહિત ,સનાતન પાઠક અને નીલ ઉપાધ્યાય ઉપનામથી લખતાં હતાં .         બંગાળી સાહિત્યમાં નવી શૈલી પેશ કરનાર સુનીલ ગંગોપાધ્યાયનું...