Posts

Showing posts from October, 2020

રણજિતરામ મહેતા

    સાહિત્ય પરિષદનાં જન્મદાતા : રણજીતરામ મહેતા                              (૧૮૮૧ - ૧૯૧૭ )        આજે તારીખ ૨૫ ઓક્ટોબર અને ચિત્રકાર પિકાસો ,,  પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા , ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી દારાશા નોસેરવાન અને વાર્તાકાર ,નિબંધકાર અને લોકસાહિત્યના અભ્યાસી એવા  રણજીતરામ વાવાભાઈ મહેતાનો  જન્મદિવસ અને સાહિત્યકાર સાહિર લુધ્યાનવી  અને સ્વાધ્યાય આંદોલનના જનક પાંડુરંગ શાસ્ત્રીની પુણ્યતિથિ  છે .           સુરતમાં જન્મેલા રણજીતરામ મહેતાએ   અભ્યાસ પાલીતાણા અને અમદાવાદમાં કર્યો  હતો .અમદાવાદમાં તેમના ઘરે યોજાતી મિત્રોની સાહિત્ય ગોષ્ટીઓ દ્રારા તેમની સાહિત્ય રુચિ ઘડાઈ હતી .રણજીતરામ ૧૯૦૩મા સ્નાતક થઇ ઉમરેઠમાં આચાર્ય તરીકે નિમાયા હતા શિક્ષક માટે હોવા યોગ્ય અવાજનો પોતાને અભાવ લાગતો હોવાથી તે નોકરી છોડી અમદાવાદમાં સ્થાયી થયા હતા .           રણજીતરામમાં સાહિત્ય સર્જનની સાથે સંસ્થાકીય પ્રવુતિઓન...

શયદા

શયદા : હરજી લવજી દામાણી ( ૧૮૯૨ - ૧૯૬૨ ) " મને આ જોઇને હસવું હજારોવાર આવે છે , પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે "  જેવી અનેક લોકભોગ્ય પંક્તિના સર્જક અને શયદા ( પ્રેમ સાથે પાગલ )નાં તખલ્લુસથી લખતાં હરજી લવજી દામાણીનો આજે જન્મદિવસ છે . ધંધુકા તાલુકાના પીપળી ગામે જન્મેલા શયદા માત્ર ચોથી ચોપડી સુધી ભણ્યા હોવા છતાં ગઝલ સાહિત્યના ક્ષેત્રે અનેક નવતર પ્રવુતિના પ્રણેતા બન્યાં હતાં . શયદાએ ગુલ્ઝારે - શાયરી -શયદા ,દીપકના ફૂલ ,ચિતા , કુમળી કળી ,અમીના ,છેલ્લી રોશની , બહાદુરશાહ ઝફર ,દુઃખીયારી , ચાંદની રાત , મોટી ભાભી , વાંઝણી વાવ , આગ અને અજવાળા , શાહજાદી કાશ્મીરા ,પંખીડો ,અને કેરીની મોસમ જેવાં ગઝલ , વાર્તા , નાટક અને નવલકથાના પુસ્તકો લખ્યાં છે . ભાવવાહી શૈલીમાં ગઝલપાઠ કરતાં શયદાનું ગુજરાતી ગઝલોને લોકપ્રિય બનાવવામાં બહુ મોટું યોગદાન છે .તેમની ગઝલોમાં ભાષાની સરળતા અને વિચારોની ગહનતા છે .પોતાની ગઝલો માટે શયદાએ લખ્યું છે કે " ગિરા ગુર્જરી ! આ નથી શેર મારાં ,  હૃદયનાં છે ટુકડા , ચરણે ધરું છું ."   શયદા બે ઘડી મોજ સામયિકના સ્થાપક તંત્રી અને ગઝલ સામયિકના પણ તંત્રી રહ્યાં હતાં .  ...

જ્યોતીન્દ્ર દવે

     હાસ્યેન્દ્ર  : જ્યોતીન્દ્ર દવે (૧૯૦૧ - ૧૯૮૦ )  " યજમાનના ઘેર મહેમાન આવ્યા ,યજમાન તરતજ કોટ પહેરી બેસી ગયા ,મહેમાને પૂછ્યું આપ કયાંક બહાર જઈ રહ્યા હો તો હું પછી આવીશ ,યજમાન કહે ના,ના આતો તમે મારા સુકલકડી શરીરને બરાબર જોઈ શકો તે માટે કોટ પહેરી લીધો ",આ યજમાન એટલે જ્યોતીન્દ્ર દવે અને મહેમાન એટલે સ્વ.વિનોદ ભટ્ટ .અને  "મને હસવું આવે છે તેમ નહિ પણ મને જ્યોતીન્દ્ર   આવે છે " એવું જે હાસ્યકાર માટે કહેવાતું હતું તેવા  આપણી ભાષાના મહાન હાસ્યકાર જ્યોતીન્દ્ર હરિશંકર દવેનો  આજે જન્મદિવસ છે  . સુરતમાં જન્મેલા જ્યોતીન્દ્ર દવે ૧૯૧૯મા મેટ્રિક ,૧૯૨૩મા  વિનયન સ્નાતક અને ૧૯૨૫મા અનુસ્નાતક થયા હતા .જ્યોતીન્દ્રની વ્યવસાયી કારકિર્દી શરૂમાં પત્રકાર પછી શિક્ષક અને છેલ્લે અધ્યાપક તરીકે રહી હતી .  હાસ્યનિબંધોને સર્જનના ખાસ ક્ષેત્ર તરીકે પસંદ કરનાર જ્યોતીન્દ્ર પોતાની વિશિષ્ટ સર્જનશૈલીના બળે ગાંધીયુગીન નિબંધકારોમાં સૌથી લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર તરીકે નીવડી આવ્યા હતા .રંગતરંગ - ૬ ભાગ ,મારી નોંધપોથી ,હાસ્યતરંગ , પાનના બીડા ,અલ્પાત્માનું આત્મપુરાણ...

ભૃગુરાય અંજારીયા

    દુરાધ્ય વિવેચક :ભૃગુરાય અંજારિયા (૧૯૧૩ - ૧૯૮૦ )     આજે તારીખ ૬ ઓક્ટોબર અને ગુજરાતી સાહિત્યના નીવડેલા સંશોધક અને વિવેચક ભૃગુરાય દુર્લભજી અંજારિયા ,માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફીન્સ્ટન્ટ ,હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભજનલાલ અને અભિનેતા વિનોદ ખન્નાનો જન્મદિવસ છે .ગાંધીયુગીન ગુજરાતી વિવેચનના ઓછા જાણીતા સંશોધક ભુગુરાયનો જન્મ રાજકોટમાં થયો હતો પણ પિતા જામનગરમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હોવાથી પ્રાથમિક શિક્ષણ ત્યાં લીધું હતું ,ભ્રુગુરાયે મેટ્રીકની પરીક્ષા રાજકોટથી પસાર કરી હતી .૧૯૩૫માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે સ્નાતકની પદવી હાંસલ કરી હતી ,એજ વિષયો સાથે અનુસ્નાતક અભ્યાસ માટે  મુંબઈ યુનિ.માં જોડાયા હતા પણ અધુરો છોડવો પડ્યો હતો આરોહ-અવરોહવાળા જીવનમાં સતત સ્થળાંતરો કરતા રહ્યા .વચ્ચે જેતપુરમાં રાષ્ટ્રસેવાના કાર્યમાં પણ પરોવાયા હતા . મુંબઈ નિવાસ દરમિયાન ચિલ્ડ્રન એકેડેમી અને ફાર્બસ ગુજરાતી સભા સાથે સંકળાયા હતા .ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી અને "ત્રૈમાસિકના સંપાદક તરીકે સ્તુત્ય કામગીરી અદા કરી હતી .અંજારિયા ૧૯૭૭માં મુંબઈની મીઠીબાઈ ક...

કિશોરલાલ મશરુવાળા

                કિશોરલાલ મશરુવાળા            આજે તારીખ ૫ ઓક્ટોબરના રોજ  ગાંધી વિચારણા સમર્થ ભાષ્યકાર કિશોરલાલ મશરૂવાળા , સાહિત્યકાર ભગવતીચરણ વર્મા અને ફ્રેંચ ચિંતક દેનિસ દીદેરોનો જન્મદિવસ અને ગુજરાતના પ્રથમ મહિલા કેળવણીકાર હરકુંવર શેઠાણી અને પત્રકારત્વના મોભી રામનાથ ગોએન્કાની પુણ્યતિથિ છે .            મુંબઈમાં જન્મેલા કિશોરલાલે મુંબઈમાં જ શિક્ષણ લઇ સ્નાતક અને એલ.એલ.બી ની પદવી મેળવી હતી .વકીલાતની  ધીકતી પ્રેકટીશ  દરમિયાન ગોપાલકૃષ્ણ ગોખલેની જાહેરજીવનની  અને શ્રીમતી એની બેસન્ટનાં હોમરુલ આંદોલન સાથે જોડાયા હતાં .ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહ વખતે વકીલાત છોડી ચંપારણ ગયાં હતાં .તે પછીની આઝાદીની મોટાભાગની લડતો અને ગાંધી પ્રેરિત રચનાત્મક કાર્યક્રમોમાં કિશોરલાલે સક્રિય યોગદાન આપ્યું હતું . સત્યાગ્રહો દરમિયાન જેલવાસ પણ વેઠ્યો હતો .              કિશોરલાલ મશરૂવાળાએ રામ અને કૃષ્ણ , ઈશુ ખ્રિસ્ત , બુદ્ધ અને મહાવીર , જીવન શોધન , સમૂળી ક્રાંતિ , ગાંધી વિ...

શિવાજી ગણેશન

અભિનેતા - રાજનેતા : શિવાજી ગણેશન               ( ૧૯૨૮ - ૨૦૦૧ )            આજે તારીખ ૧ ઓક્ટોબરના રોજ   રાણી જોધાબાઈ ,સાઉથના સુપરસ્ટાર શિવાજી ગણેશન ,પંડિત હદયનાથ કુન્જરું , મઝરૂહ સુલતાનપૂરી અને રચનાત્મક કાર્યકર જયાબેન શાહનો જન્મદિવસ તથા મણીલાલ નભુભાઈ દ્રિવેદીની પુણ્યતિથિ છે .               તમિલનાડુ થન્જાવુંર પાસે ઓરાથાનાડુંમાં જન્મેલા શિવાજી ગણેશન દક્ષિણ ભારતમાં ફિલ્મ અભિનેતા અને રાજકારણી તરીકે વિષે જાણીતા છે .ભરત નાટયમ ,કથ્થક અને મણિપુરી નૃત્યથી પરિચિત ગણેશનની અભિનયયાત્રા ૧૯૫૨મા તમિલ ફિલ્મ પરાશક્તિથી થઇ હતી .તે પછી કુંડુકિલ્લી , વીરાપંડિયા ,સંગીલી ,કટ્ટાબોમન ,પાસમલાર,મુલ્લુંમમલારુમ ,કલ્યાનામ ,પન્નીયમ ,બ્રહ્મચારી ,શાબાશ મીના ,ઓટી વેરાઈ ,ઉરાવું ,ગલાટા કલ્યાનામ ,મનોહર ,કાલ્વનામ ,કાલ્વનીન કધાલી જેવી ૨૮૮ જેટલી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા .              તેઓએ તમિલ ઉપરાંત તેલુગુ ,કન્નડ ,મલયાલમ અને હિન્દી ફિલ્મો પણ કરી હતી .વિશિષ્ટ અવાજ અ...

રોબર્ટ કલાઈવ

           ભારતમાં બ્રિટીશરાજનો સંસ્થાપક :                 રોબર્ટ કલાઇવ (૧૭૨૫-૧૭૭૪)            "એક યુવાન પોતાની બેકારીથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહતો હતો ,તેને બચાવી કોઈએ  કહ્યું : એક જહાજ લંડનથી મદ્રાસ જાય છે તેમાં બેસી જા તને કામધંધો મળી જશે ,અને યુવાન એને અનુસર્યો .મદ્રાસ આવી જકાત કારકુનના રૂપમાં કારકિર્દી શરુ કરી એક પછી એક સીડીઓ ચડતો ૧૭૫૧ સુધીમાં તો બ્રિટીશ સેનામાં કેપ્ટન તરીકે નિયુક્ત થયો અને યોગ્યતાના બળ પર બંગાળમાં ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીનો ગવર્નરના હોદ્દા સુધી પહોચી ગયો .સાહસ ,કુટનીતિ ,કર્મઠતા ,પરિશ્રમ તથા રાષ્ટ્રભક્ત એવા આ યુવાન એટલે ભારતમાં અંગ્રેજીરાજનો પાયો નાંખનાર રોબર્ટ કલાઇવ .            આજે તેનો અને કવિ મનહરલાલ ચોકસી ,રાજ્યશાસ્ત્રી કીર્તિદેવ દેસાઈ ,પ્રથમ સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રાનો જન્મદિવસ છે .બ્રિટનમાં  સ્ટીચે ડ્રાયટનમાં માતા-પિતાના ૧૩ સંતાનો પૈકીનો એક ક્લાઈવ ભારત આવી "બ્રિટીશ સામ્રાજ્યનો સૂર્ય કદી આથમતો નથી "ની પ્રકિયાનો પ્...

વિઠ્ઠલભાઇ પટેલ

 વીર : વિઠ્ઠલભાઈ :૧૮૭૩ -૧૯૩૩ )                આજે તારીખ ૨૭ સપ્ટેમ્બર અને  મહાન સંવિધાનવિદ અને સ્વતંત્રતા સેનાની શ્રીમાન વિઠ્ઠલભાઈ પટેલ. ,સર્વોદયી મીરાંબહેન ભટ્ટનો જન્મદિવસ અને ગાંધીવાદી કાર્યકર બબલભાઇ મહેતા અને રાજા રામમોહન રાયની પુણ્યતિથિ છે.              ખેડા જીલ્લાના કરમસદ ગામે જન્મેલા વિઠ્ઠલભાઈ બચપણમાં અને યુવાનીમાં ઘણી રમુજી વૃતિના વ્યક્તિ હતા . તેમની યુવાનીના રમુજી કિસ્સાઓ વાંચ્યા પછી ભાગ્યે જ કોઈને એવી કલ્પના આવે કે આ યુવાન બંધારણીય બાબતોનો નિષ્ણાત થશે  !               બ્રિટનમાં બેરિસ્ટર થઇ જમાનાની તાસીર મુજબ વકીલાત શરુ કરી ,ગોધરા ,બોરસદ વગેરે ઠેકાણે તેઓએ વકીલાતનો પરચમ દેખાડ્યો હતો .વકીલાતના નિમિત્તે જ વિઠ્ઠલભાઈ જાહેરજીવન અને આઝાદીના જંગમાં પણ જોડાયા હતા .૧૯૧૨માં મુંબઈ લેજીસ્લેટીવ એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા હતા ..૧૯૨૦મા ભારતીત સ્વતંત્રતા સંગ્રામનો પ્રચાર કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા .                વિઠ્ઠલભાઈ પ...