Posts

Showing posts from February, 2020

મોરારજી દેસાઈ

    રાજપુરુષ : મોરારજી દેસાઈ ( ૧૮૯૬ - ૧૯૯૫ )        આજે તારીખ ૨૯ ફેબ્રુઆરી અને અંગ્રેજી મહિના પ્રમાણે દર ચાર વર્ષે જેઓની જન્મતારીખ આવે છે તેવા  મોરારજી દેસાઈ ,ભારતના પ્રથમ એડવોકેટ જનરલ જમશેદજી બહેરામજી કાંગા અને ખિસ્તી વડા ધર્મગુરુ પોપ જોન પોલ ત્રીજાનો જન્મદિન છે.        વલસાડ જીલ્લાના ભડેલી ગામે જન્મેલા મોરારજી રણછોડજી દેસાઈએ સાવરકુંડલા ,વલસાડ અને મુંબઈની વિલ્સન કોલેજથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું .તેઓની વ્યવસાયી અને રાજકીય કારકિર્દી ગોધરામાં ડેપ્યુટી કલેકટર ,મુંબઈ સરકારમાં પ્રધાન , કેન્દ્ર સરકારમાં વેપાર-નાણા પ્રધાન , ભારતના નાણાપ્રધાન અને ભારતના વડાપ્રધાન સુધી રહી હતી.         મોરારજી દેસાઈ ૧૯૩૦માં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા . દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો . આઝાદી પછી ભારતના રાજકારણમાં મોખરાનું સ્થાન ધરાવતા મોરારજી દેસાઈએ ડિસે .૧૯૬૯મા અલગ કોંગ્રેસ અને ૧૯૭૭મા જનતા પક્ષની રચના કરી હતી . વચ્ચે ગુજરાતના અલગ રાજ્યની રચના સામે ઉપવાસ પર પણ ઉતર્યા હતા .     ...

શ્રીકાંતાદત્તા નરસિંહરાજા

શ્રીકાન્તાદતા નરસિંહરાજા ( ૧૯૫૩ - ૨૦૧૩ )          આજે તારીખ ૨૦ ફેબ્રુઆરીના રોજ દક્ષિણ ભારતના મૈસુર રાજ્યના ૨૬મા શાસક શ્રીકાન્તાદતા નરસિંહરાજાનો જન્મદિવસ છે .          માતા-પિતાના એકમાત્ર સંતાન શ્રીકાન્તા રજવાડી શાળા મૈસુર અને મહારાજા કોલેજમાં શિક્ષણ લીધું હતું .૧૯૭૪મા માનસ ગંગોત્રી યુનિ .માં અંગ્રેજી અને રાજ્યશાસ્ત્ર જેવા વિષયોમાં  સુવર્ણચંદ્રક સાથે અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી .         વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ અચ્છા ક્રિકેટર હતા .ક્રિકેટના બેટ સંઘરવાનો શ્રીકાન્તાદતાને અનહદ શોખ હતો .પશ્રિમી  સંગીત શીખવાની સાથે તેઓએ વેદનું શિક્ષણ પણ લીધું હતું .તેમના વ્યક્તિત્વમાં પાશ્રત્ય અને પુર્વાત્ય પરમ્પરાઓનો સુભગ સમન્વય હતો . ફેશન ડીઝાઈનર હોવાના નાતે તેઓ મૈસુર સિલ્ક સાડીના પ્રમોટર પણ બન્યા હતા.         રજવાડી પરિવારના હોવા છતાં આઝાદી બાદ તેઓ વૈભવ વિલાસી જીવન શૈલીથી દુર રહ્યા હતા .  શ્રીકાન્તાના જીવનનું એક પાસું એટલે રાજકારણી .૧૯૯૬ અને ૧૯૯૯ એમ બે વખત તેઓ મૈસુરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હત...

ભૂપત વડોદરિયા

આઠ અક્ષરનું નામ :  ભૂપત વડોદરિયા                           ( ૧૯૨૯ - ૨૦૧૧ )          આજે તારીખ ૧૯ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા ,આર.એસ.એસના સરસંઘ સંચાલક માધવ સદાશિવ ગોલવલકર ,વિખ્યાત અભિનેત્રી અને ગાયિકા અમીરબાઈ કર્ણાટકી ,ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનિકસ અને પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર ભૂપત વડોદરિયાનો જન્મદિવસ અને ગોપાલકૃષ્ણ ગોખલે ,આચાર્ય નરેન્દ્ર દેવની પુણ્યતિથિ છે .         મૂળ પાળીયાદના પણ  સૌરાષ્ટ્રના ધાન્ગ્રધા ખાતે જન્મેલા ભૂપત છોટાલાલ વડોદરિયાએ ત્રણ વર્ષની વયે માતાની છત્રછાયા ગુમાવી હતી .૧૯૪૬મા  વિજ્ઞાન સ્નાતક થઇ લોક શક્તિ દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયા ૧૯૫૫મા ૨૬ વર્ષની વયે ફૂલછાબ દૈનિકના સૌથી યુવા તંત્રી બન્યા .તે પછી ગુજરાતી ભાષાના વિવિધ સામયિકો અને દૈનિકોમાં ભુપતભાઈ સંપાદક તરીકે સેવાઓ આપતા રહ્યા હતા .૧૯૮૨ થી ૧૯૮૬ દરમિયાન તેઓ ગુજરાત સરકારના ઇન્ફર્મેશન વિભાગના માહિતી નિયામક  તરીકે રહ્યા હતા . તેઓએ સમભાવ મીડિયા ગ્રુપની ...

પુષ્કર ચંદરવાકર

      લોક્સંસ્કૃતિકાર : પુષ્કર ચંદરવાકાર                   ( ૧૯૨૧ - ૧૯૯૫ )           આજે તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ ગુજરાતી લોકસાહિત્યના સીમાચિન્હ રૂપ સંશોધક પુષ્કર ચંદરવાકાર ,મરાઠી સેનાપતિ માધવરામ પહેલા ,શાયર આરઝુ લખનવીનો જન્મદિવસ અને દાદાસાહેબ ફાળકેની પુણ્યતિથિ છે .          અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના ચંદરવા ગામે જન્મેલા પુષ્કર પ્રભાશંકર ત્રિવેેેદીએ ગામના નામને અટક તરીકે ધારણ કરી ચંદરવાકર બન્યા હતા . બોટાદ ,લીંબડી અને અમદાવાદમાં અભ્યાસ કરી તેઓ અધ્યાપક થયા હતા .પુષ્કર ચંદરવાકરની અધ્યાપક તરીકે કારકિર્દી ગુજરાતમાં અનેક ઠેકાણે રહી હતી .           તેઓનું મહત્વપૂર્ણ યોગદાન ગુજરાત અને ભારતના લોકસાહિત્યના સશોધન અને લેખનના ક્ષેત્રે છે .પુષ્કર ચંદરવાકરે રાંકના રતન ,પ્રિયદર્શિની ,ઘર જ્યોત ,નંદવાયેલા હૈયા ,બાવડાના બળે ,ભવની કમાણી ,માનવીનો મેલો ,લીલુડા લેજો ,,નવા ચીલે ,ધરતી ભાર શે ઝીલશે , ઝાંઝવાના નીર ,બાંધણી ,અંતરદીપ ,શુકનવંતી , પિયરનો પડોશી ,મહીના ઓ...

જગન્નાથ સમરસેટ

             મુંબઈના આદ્ય શિલ્પકાર :           જગન્નાથ શંકરસેટ (૧૮૦૩-૧૮૬૫)           મુંબઈ અને થાણા વચ્ચે દોડેલી પહેલવહેલી ટ્રેનમાં ૪૫ મીનીટની મુસાફરી કરનાર,મુંબઈમાં નેટીવ એજ્યુકેશનનો  પાયો નાંખનાર, સ્ત્રી શિક્ષણના હિમાયતી ,મોટા સખાવતી અને મુંબઈમાં જાહેરજીવનની મોટાભાગની પ્રવુતિઓમાં પોતાનું યોગદાન આપનાર  જગન્નાથ શંકરસેટનો આજે જન્મદિવસ છે.          અત્યંત ધનિક કુટુંબમાં જન્મેલા જગન્નાથ ,દાદાની ઈચ્છા વિરુદ્ધ વ્યાપારમાં ઝંપલાવી મોટા બિઝનેસમેન બન્યા ,આરબો અને અફઘાનો સાથે પણ વેપાર કરતા.પુષ્કળ ધન કમાયા અને તેનો સુયોગ્ય ઉપયોગ પ્રજાકલ્યાણ અને ભાવિ સમાજના નિર્માણ માટે કર્યો.તેમાં શિક્ષણ ,વાહનવ્યવહારનો વિકાસ એ  એક દીર્ઘદ્રષ્ટા તરીકે તેમની પ્રાથમિકતા હતી.           મુંબઈમાં રેલ્વે નાંખવી જોઈએ તેવો પ્રસ્તાવ મુકનાર તેઓ શરૂના ભારતીયો પૈકીના એક હતા.અને રેલ્વે દોડતી થઇ તે પછી રચાયેલા ગ્રેટ ઇન્ડિયન પેનીનસુલા રેલ્વેના માત્ર બે ભારતીય ડીરેકટરો પૈકીના એક ...

થોમસ આલ્વા એડિશન

આવિષ્કારક : થોમસ અલ્વા એડિશન ( ૧૮૪૭ - ૧૯૩૧)           આજે થોમસ આલ્વા એડિશનનો જન્મદિન અને જમનાલાલ બજાજ ,ફખરુદિન અલી એહમદ,પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ઇતિહાસકાર રમેશચંદ્ર મજુમદારની પુણ્યતિથિ છે.          થોમસ અલ્વા એડિશનનો જન્મ અમેરિકાના ઓહીયોના મિલાનમાં થયો હતો. થોમસનો પૈતુક પરિવાર ડચ અને પરંપરાથી તેમનું ઉપનામ એડિશન હતું. પ્રાથમિક શિક્ષણના પ્રારંભે શિક્ષકે થોમસને "મંદબુદ્ધિના બાળક"કહ્યા અને માતાએ બાળક થોમસને કેળવવાની શરૂઆત ઘરમાં જ કરી.તેને અંજલિ  આપતા થોમસે તેમની ડાયરીમાં લખ્યું હતું કે એક મહાન માતાએ કમજોર બાળકને સદીનો મહાન વૈજ્ઞાનિક બનાવ્યો.         એડિશને તાર કર્મચારી તરીકે પણ કામ કર્યું હતું.નોકરી સિવાયનો સમય તેઓ પ્રયોગશાળામાં પસાર કરતાં હતા.  અદ્દભૂત કલ્પનાશક્તિ અને સખત પરિશ્રમના બળે અનેક શોધખોળો કરી ,અનેક ભાવિ શોધો માટે પીઠીકા રચી હતી. તેમની મુખ્ય શોધોમાં વિદ્યુત બલ્બ અનેં ફોનોગ્રાફનો સમાવેશ થાય છે. તે સિવાય ૧૦૯૩ પેટન્ટ તેમના નામે રજીસ્ટર્ડ થઈ હતી.         વિશાળ માત્રામાં ઉત્પાદનના...

સ્વામિ દયાનંદ સરસ્વતી

 મહર્ષિ : દયાનંદ સરસ્વતી  ( ૧૮૨૪ - ૧૮૮૩ )           આજે તારીખ ૧૨ ફેબ્રુઆરીના રોજ  મહર્ષિ દયાનંદ સરસ્વતી ,નાના ફડનવીસ ,અભિનેતા પ્રાણ , ચાર્લ્સ ડાર્વિન ,માનવ હિતોના  રખેવાળ અને અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન અને  મહાન ચિંતક ઇમેન્યુઅલ કાંટનો જન્મદિવસ છે  .             મોરબી પાસેના ટંકારા ગામે  મૂળશંકર તરીકે જન્મેલા દયાનંદ બાલ્યવયમાં સત્યની શોધમાં ગૃહત્યાગ કરી નીકળી ગયા હતા . ગુરુ વૃજાનંદની નિશ્રામાં પ્રાચીન ભારતીય ધર્મગ્રંથોનું ગહન અધ્યયન અને સંશોધન કર્યું સાથે ભારત ભ્રમણ કરતા રહ્યા અને તેમને વેદોમાં સાંપ્રત જીવન વ્યવસ્થાનું સમાધાન દેખાયું. " વેદો તરફ પાછા વળો "નું સૂત્ર આપ્યું .મૂર્તિપૂજા ,ધર્મના નામે થતા પાખંડો ,પશુ બલિ, અવતારવાદ ,વ્રત - ઉપવાસો વગેરેનો જબરદસ્ત વિરોધ કર્યો .              પોતાના વિચારોને વ્યવહારમાં અમલમાં મુકવા ૧૮૭૫ના વર્ષે મુંબઈમાં આર્યસમાજ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી. માત્ર પાશ્ર્ત્ય પરંપરા પર જ  ભારતીય સમાજ સુધારાઓ ...

આર્થર કીથ

આધુનિક રાષ્ટ્રવાદના જનક : આર્થર કીથ                 ( ૧૮૬૬ - ૧૯૫૫ )               આજે તારીખ ૫ ફેબ્રુઆરી , માનવવંશશાસ્ત્રી આર્થર કીથ અને " હિંદનો કોમી ત્રિકોણ " ના લેખક તથા સમાજવાદી વિચારક અચ્યુત પટવર્ધનનો જન્મદિવસ છે .              સ્કોટલેંડના કિસાન પરિવારમાં જન્મેલા આર્થરે મેડીકલની પદવીઓ મેળવી હતી .૧૮૮૮મા ખાણ કમ્પનીમાં મેડીકલ અધિકારી તરીકે કારકિર્દી શરુ કરનાર આર્થર કીથ યુનિ.ઓમાં પ્રોફેસર પણ રહ્યા હતા . કીથ ઉત્ક્રાંતિવાદના જનક ચાર્લ્સ ડાર્વિનથી અત્યંત પ્રભાવિત હતા .મેડીકલ ક્ષેત્રમાં તેઓએ sinoartrial node નામથી હદયના પેસમેકરની શોધ કરી હતી .              માનવ અવશેષોના આધારે સંશોધન એ કીથના અભ્યાસનું વિશેષ કાર્યક્ષેત્ર રહ્યું હતું .તેના આધારે કિથે માનવવિકાસ અને આધુનિક રાષ્ટ્રવાદની થિયરી રજુ કરી હતી .the myology of the catarrhini : a study in evolution ,Ancient type of man ,evolution and ethics ,Anew theory of human evolution ,the Antiquity of ...