Posts

Showing posts from January, 2020

ભૂપત બહારવટિયો

એક હતો ભૂપત  : ભૂપત બહારવટિયો                          ( ૧૯૨૨ - ૧૯૯૬ )            આજે તારીખ ૩૧ જાન્યુઆરી અને ગુજરાતના ઇતિહાસમાં દંતકથા સમા  બહારવટિયા ભૂપત મેરૂજી બૂબ  ઉર્ફે ભૂપત બહારવટિયાનો જન્મદિન અને કવિ મકરંદ દવે અને ગાયિકા તથા અભિનેત્રી સુરૈયાની પુણ્યતિથિ છે .           ગાયકવાડી પ્રાંત અમરેલીના બરવાળા બાવીસી ગામે જન્મેલા ભુપતસિંહનો બાહ્ય દેખાવ એકવડિયું શરીર ,પાણીદાર - ખુન્નસથી ભરેલી આંખોવાળો હતો . ક્રિકેટ અને રમત- ગમતમાં અત્યંત રુચિ ધરાવતા નિશાનબાજીમાં પ્રવીણ  ભૂપત માટે એમ કહેવાતું કે તે બે અશ્વો પર એક એક  પગ રાખી સવારી કરી શકતો . તેણે જૂનાગઢની આરઝી હકુમત આંદોલનમાં પણ ભાગ લીધો હતો .               ૧૯૪૮મા સૌરાષ્ટ્રમાં ઢેબર સરકાર આવ્યા પછી થયેલા  જમીન સુધારણામાં ભૂપતની બહારવટાના બીજ પડેલા હતા . વટ ,વચન અને વ્યવહાર માટે બહારવટિયો બનેલો ભૂપત સોરઠી બહારવટિયાઓની પરમ્પરામાં ચોરી-છુપી નહી  જાસો મોકલી બહાર...

ભોગીલાલ ગાંધી

વિશ્વ માનવ : ભોગીલાલ ગાંધી ( ૧૯૧૧ - ૨૦૧૧ )           આજે તારીખ ૨૬ જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિવસની સાથે કવિ -રાજવી કલાપી અને ભોગીલાલ ગાંધીનો જન્મદિવસ  તથા મુઘલ બાદશાહ હુમાયુ અને સમાજશાસ્ત્રી આઈ.પી.દેસાઈની પુણ્યતિથિ છે .          ગુજરાતના એક ખૂણામાં હોવા છતાં ગુજરાતના રાજકારણ અને શિક્ષણમાં જે નગરનું માતબર યોગદાન છે તેવા મોડાસામાં ભોગીલાલ ગાંધીનો જન્મ થયો હતો .મોડાસા ,અમદાવાદ ,ભરૂચ અને મુંબઈમાં ભણી અંતે તેઓ ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા હતા .          વિદ્યાપીઠના સંસ્કારોના બળે ભોગીલાલ ગાંધી નક્કર ગાંધીવાદી  અને ઉમદા રચનાત્મક કાર્યકર તરીકે તૈયાર થયા હતા .સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લઇ સાડા ત્રણ વર્ષથી વધુ સમય જેલમાં પણ રહ્યા હતા .માર્ક્સવાદના અભ્યાસ પછી તેમનામાં રશિયન સમાજવાદ તરફ આકર્ષણ વધ્યું હતું .૧૯૪૦ના અરસામાં સામ્યવાદી બન્યા ,પ્રગતિશીલ લેખક મંડળનું નેતૃત્વ પણ કર્યું .               ૧૯૫૬મા સામ્યવાદથી વિમુખ થયા અને વિનોબા ભાવે ,દાદા ધર્માધિકારી અને જયપ્રકાશ નારાયણના પ...

સુમન ભારતી

 એકલો જાને રે : સુમન ભારતી ( ૧૯૨૧ - ૨૦૦૬ )          આજે તારીખ ૨૪ જાન્યુઆરીના રોજ ઇતિહાસકાર દુર્ગાશંકર શાસ્ત્રી ,કવિપ્રિયકાંત મણિયાર ,જનનાયક કર્પૂરી ઠાકુર ,પ્રશિયાના શાસક ફ્રેડરિક દિગ્રેટ અને વંચિતોના નેતા સુમન ભારતીનો જન્મદિવસ અને હોમી ભાભા તથા સવ્યસાચી સારસ્વત ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિ છે .           કલોલ તાલુકાના નારદીપુર ખાતે જન્મેલા સુમન ભારતી  વર્નાક્યુલર સુધી ભણ્યા હતા .જુગતરામ દવે ,મામાસાહેબ ફડકે અને પરીક્ષિતલાલ મજુમદાર જેવા સ્વતંત્રતા સૈનિકો અને રચનાત્મક કાર્યકરોની નિશ્રામાં સુમન ભારતીનું વ્યક્તિત્વ ધડાયું હતું .દાંડીકુચ વખતે ઇન્કલાબ ઝીન્દાબાદ ,ટોપીવાળાના ટોળા ઉતર્યા ,ડંકો વાગ્યો રે શુરા જાગજો રે કાયર ભાગજો રે જેવા સુત્રો અને ગીતો દ્રારા તેઓ લોકજાગૃતિનું કામ કરતા હતા.                 ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં સુમન ભારતીને બારડોલી ખાતે લડતમાં ભાગ લેવા બદલ ૭ મહિનાની જેલની સજા થઇ હતી .           આઝાદી બાદ ગાંધીજીની કલ્પના મુજબના  સ્વરાજ્યને  ...

દલપતરામ

લોકહિત ચિંતક : દલપતરામ ( ૧૮૨૦ - ૧૯૯૮ )         આજે તારીખ ૨૧ જાન્યુઆરીના રોજ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનો જન્મદિવસ છે .           આપ શિક્ષણથી પિંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરનાર  દલપતરામનો જન્મ વઢવાણમાં થયો હતો .             તેમની સાહિત્યિક પ્રગતિ સ્વામિનારાયણ સંપ્રદાય અને અંગ્રેજ અધિકારી એલેક્ઝાંડર કિન્લોક ફોર્બ્સના સાનિધ્યમાં થઇ હતી .તેમનું સાહિત્ય સર્જનનું ક્ષેત્ર કવિતા ,નાટક ,નિબંધ ,છંદ શાસ્ત્ર ,સંપાદન વગેરે રહ્યું હતું .દલપત કાવ્ય ,બાપાની પીપર ,વેન ચરિત્ર ,હુન્નરખાનની ચઢાઈ ,ફાર્બસ વિલાસ ,ફાર્બસ વિરહ ,હરીલીલામૃત ,લક્ષ્મી ,મિથ્યાભિમાન ,ભૂત નિબંધ ,જ્ઞાતિ નિબંધ ,દલપત પિંગળ ,કાવ્યદોહન ,તાર્કિક બોધ વગેરે તેમના જાણીતા સર્જનો છે .            તેમના સર્જનો ગુજરાતના સમાજસુધારા આંદોલનની માધ્યમ માર્ગીય વિચારધારાને પોષક પણ રહ્યા હતા .તો તેમનું હુન્નરખાનની ચઢાઈ ગુજરાતના પ્રારમ્ભિક આર્થિક મિજાજને વ્યક્ત કરે છે .બુદ્ધિપ્રકાશ સામયિકના સંપાદક , હોપ વાંચનમાંળા અને ગુજરાત વર્નાક્...

મહેન્દ્ર કપૂર

 મેરે દેશ કી ધરતી : મહેન્દ્ર કપૂર ( ૧૯૩૪ -૨૦૦૮ )          આજે તારીખ  ૯ જાન્યુ .અને અમેરિકી પ્રમુખ રિચર્ડ નિકસન ,પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા ,વૈજ્ઞાનિક ડોકટર હરગોવિંદ ખુરાના અને પાશ્વ  ગાયક મહેન્દ્ર કપૂરનો જન્મદિવસ અને અવાજના સ્થાપક ઇલાબેન પાઠકની પુણ્યતિથિ  છે .          પંજાબના અમૃતસરમાં જન્મેલા મહેન્દ્ર કપૂર ,મહમંદ રફીથી અત્યંત પ્રભાવિત હતા .મેટ્રો મર્ફી ઓલ ઇન્ડિયા સિંગિંગ કમ્પીટેશન જીત્યાં પછી  તેઓની સંગીતકાર તરીકેની યાત્રા શરુ થઇ હતી.           ૧૯૫૮મા નવરંગ ફિલ્મના "આધા હૈ ચંદ્રમાં રાત આધી " ગીતથી કપૂરની ફિલ્મી સંગીત કારકિર્દી આરંભાઈ અને સડસડાટ દોડી હતી . ગીતકાર તરીકેની કારકિર્દીમાં મહેન્દ્ર કપૂરે હિન્દી ,ગુજરાતી ,પંજાબી ,મરાઠી અને ભોજપુરી જેવી ભાષાઓના અઢી હજારથી વધુ ગીતો ગાયા હતા .હિદી ચલચિત્રોમાં મહેન્દ્ર કપૂરે નવરંગ ,ધૂલ કા ફૂલ ,ગુમરાહ ,વક્ત ,હમરાઝ ,ધુંધ ,નિકાહ ,ઉપકાર ,પૂરબ ઔર પશ્રિમ ,બંધન ,આદમી ઔર  ઔરત અને તવાયફ અવાજ આપ્યો છે .તેમાંના ચાળો એક બાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો ,...

પરીક્ષિતલાલ મજુમદાર

સેવામૂર્તિ  : પરીક્ષિતલાલ મજમુદાર ( ૧૯૦૧  - ૧૯૬૫ )           આજે તારીખ ૮ જાન્યુઆરી અને મહાન રચનાત્મક પરીક્ષિતલાલ  લલ્લુભાઈ મજમુદાર મજમુદાર ,જ્ઞાનપીઠ પુરસ્કૃત  આશાપૂર્ણાદેવીનો જન્મદિવસ અને બ્રહ્મોસમાજી કેશવચંદ્ર સેન , વિદેશી પ્રવાસી માર્કો પોલોની  પુણ્યતિથિ છે .            પરીક્ષિતલાલનો જન્મ પાલીતાણામાં થયો હતો .૧૯૨૦ - ૨૨ની અસહકાર આંદોલનમાં હજારો યુવાનોની પેઠે સરકારી કોલેજનો ત્યાગ કરી અભ્યાસ છોડી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા , સ્નાતક થયા અને ગાંધી - સરદારના પ્રભાવમાં સાબરમતી આશ્રમમાં જોડાયા અને હરીજન સેવાને જ જીવન વ્રત બનાવ્યું તે પછી નાગપુર ઝંડા સત્યાગ્રહ ,સવિનય કાનુન ભંગ આંદોલન જેવા અનેક આંદોલનોમાં ભાગ લઇ જેલવાસ ભોગવ્યો હતો .દાંડીકુચ વેળાએ પરીક્ષિતલાલને ૨ વર્ષની સજા થઇ હતી.            પરીક્ષિતલાલ મજમુદારના જીવનનું બીજું ઉજળું પાસું તે તેઓની રચનાત્મક પ્રવુતિઓ .દુષ્કાળ રાહત ,અસ્પૃશ્યતા નિવારણ અને અંત્યજ ઉદ્ધાર જેવી અનેક રચનાત્મક પ્રવુતિઓમાં પરીક્ષિતલાલ જીવનભર પ્રવુત રહ્યા હતા .અસ્પ...

જાનકી દેવી બજાજ

       જાનકી દેવી બજાજ ( ૧૮૯૩ -૧૯૭૯ )               આજે તારીખ ૭ જાન્યુઆરીના રોજ સ્વતંત્રતા સૈનિક જાનકી દેવી બજાજ ,અભિનેતા ચંદ્રકાંત ગોખલેનો જન્મદિવસ અને શંકરલાલ બેન્કર તથા ભીલ સેવક લક્ષ્મીદાસ શ્રીકાંતની પુણ્યતિથિ છે .             મધ્યપ્રદેશના જાવરામાં વૈષ્ણવ પરિવારમાં જન્મેલા જાનકી દેવી બજાજનો  લગ્ન ૮ વર્ષની વયે જમનાલાલ બજાજ સાથે થયા હતા . " મહાત્મા ગાંધીના પાંચમા પુત્ર " જમનાલાલ બજાજના પ્રભાવમાં ગાંધીવાદી વિચારોનું અનુસરણ શરુ કર્યું .ઘરેણા ,વૈભવી જીવન ,ઘૂંઘટપ્રથાને તિલાંજલિ આપી ખાદી અપનાવી ,ખાદી કાંતતા પણ શીખ્યા હતા . વર્ધામાં વિદેશી વસ્ત્રોની હોળી કરી હતી .રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો .             જાનકી દેવીએ ખાદી ,ચરખા ,અસ્પૃસ્યતા નિવારણ ,હરિજનોનો મંદિર પ્રવેશ ,સ્ત્રી શિક્ષણ અને ગૌ સેવાને પોતાનું વિશેષ કાર્યક્ષેત્ર બનાવ્યું હતું . ભારતમાં  દલિતો માટે પારિવારિક મંદિરો  અને ઘરના રસોડા તો સહુપ્રથમ વખત બજાજ પરિવારે ખુલ્લા કર્યા...

રમણ લાંબા

દિ ડોન ઓફ ઢાકા : રમણ લાંબા (૧૯૬૦-૧૯૯૮) અત્યંત સોહામણા પણ ક્રિકેટ વિશ્વમાંથી અકાળે વિદાય લેનાર  ક્રિકેટર રમણ લાંબાનો આજે જન્મદિન છે.ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનું યોગદાન ભલે ઓછું હોય પણ ઘરેલું ક્રિકેટ અને બાંગ્લાદેશમાં  ક્રિકેટને પાટા પર લાવવામાં રમણ  લાંબાનું મસમોટું પ્રદાન રહ્યું છે.ઉત્તરપ્રદેશના મેરઠમાં જન્મેલા રમણ લાંબા ટેસ્ટ ક્રિકેટમાં કારકિર્દી(૧૭ જાન્યુ.૧૯૮૭ થી ૨૫ નવે.૧૯૮૭ )અત્યંત ટૂંકી રહી હતી.વન-ડે ક્રિકેટમાં અંદાજે અઢી વર્ષ સુધી રમ્યા તેમાં કઈ વિશેષ સીમા ચિહ્નો પણ તેમના ખાતે નથી તેનું કારણ લાંબાનું સતત ઈજાગ્રસ્ત થતા રહેવું પણ હતું પણ રણજી ટ્રોફીમાં અંદાજે ૧૭ વર્ષની કારકિર્દીમાં  ૫૩.૯૧ ની સરેરાશ ૨૨ સદી,૫ બેવડી સદી,૩૧૨ના સર્વોચ્ચ સ્કોર સાથે ૬૨૬૨ રન બનાવ્યા હતા.ભારતીય ક્રિકેટમાં પર્યાપ્ત અવકાશ પ્રાપ્ત ન થતા રમણ લાંબા બાંગલાદેશમાં ઢાકા પ્રીમિયર લીગમાં જોડાયા હતા અને ખાસ્સા લોકપ્રિય ક્રિકેટર નીવડયા હતા  બાંગ્લાદેશના નવા ક્રિકેટરોને આગળ ધપાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તેમની રમત જોવા બાંગલાદેશી દર્શકો ખાસ ઉત્સુક રહેતા પણ તેમની ઉત્સુકતા લ...

ધીરુભાઈ અંબાણી

                  દંતકથારૂપ ઉદ્યોગપતિ :          ધીરુભાઈ અંબાણી  ( ૧૯૩૨ - ૨૦૦૨ )           ૧૮૮૫ના વર્ષે આજ દિવસે હિન્દી રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ની સ્થાપના થઇ હતી તો   ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી ,અરુણ જેટલી ,અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન અને નેપાળના રાજા બિરેન્દ્રનો જન્મદિન  તથા અભિનેતા ફારુખ શેખ ,સમાજશાસ્ત્રી  જી.એસ .ઘુર્યે અને સુમિત્રાનંદન પંતની પુણ્યતિથિ  છે.            ધીરુભાઈનું મુળનામ ધીરજલાલ હીરાચંદ અંબાણી અને જન્મ જુના જુનાગઢ રાજ્યના ચોરવાડમાં તેમનું ભણતર થયું ચોરવાડ અને જૂનાગઢમાં.અભ્યાસકાળમાં  સામાન્ય મંત્રી તરીકે ચૂંટાઈ નેતૃત્વ શક્તિનો અણસાર આપી દીધો હતો.ધીરુભાઈ ૧૭ વર્ષની વયે  નવાબી શાસનમાં મનાઈનું  ઉલ્લઘન કરી આઝાદીની ઉજવણી કરી હતી.          ધીરુભાઇયુવાવસ્થામાં છાપા પુષ્કળ વાંચતા,નહેરુ અને સરદાર તેમના પ્રિય નેતાઓ હતા .ધીરુભાઈની ઉદ્યોગપતિ તરીકેની યાત્રા અત્યંત  કઠીન રહી હતી.બચપણમાં ગ...