Posts

Showing posts from November, 2019

કાકાસાહેબ કાલેલકર

                     સવાઈ ગુજરાતી :          કાકાસાહેબ કાલેલકર  (૧૮૮૫ -૧૯૮૧ )             આજે પહેલી ડીસેમ્બર અને પરમવીરચક્ર વિજેતા મેજર શૈતાનસિંહ ,ક્રાંતિકારી રાજા મહેન્દ્ર પ્રતાપ અને સવાઈ ગુજરાતી તરીકે જાણીતા બનેલા કાકાસાહેબ કાલેલકરનો જન્મદિવસ છે .              દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ મહારાષ્ટ્રમાં સતારામાં થયો હતો અનેક ઠેકાણે શિક્ષણ મેળવતા તેઓ આખરે ગાંધીપ્રભાવમાં ગુજરાત વિદ્યાપીઠમાં સ્થાયી થયા હતા .              ગુજરાતમાં રચનાત્મક પ્રવુતિઓ અને રાષ્ટ્રીય સંગ્રામ નિમિત્તે મહાત્મા ગાંધીની સમાંતર કામ કરી તેમની સૌથી નજીકના વ્યક્તિ બન્યા હતા . ગુજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબે ગુજરાત મહાવિદ્યાલયના આચાર્ય ,કુલનાયક તરીકેની જવાબદારી કુશળતાપૂર્વક વહન કરી હતી .                 કાકાસાહેબ ગુજરાતમાં તેમના સાહિત્ય સર્જનો અને પત્રકારત્વના લીધે વિશેષ જાણીતા બન્યા હતા ...

ઇન્દુમતી શેઠ

૨૮ નવેમ્બર સંસ્કારમૂર્તિ :ઇન્દુબેન શેઠ ( ૧૯૦૬ -૧૯૮૫ )            સાહિત્યકાર પ્રબોધ જોશી ,કાર્લ માર્ક્સના સાથી ફેડરિક એન્જલ્સ ,ઓસ્ટ્રલિયન ક્રિકેટર કિથ મિલર અને ગુજરાતના પહેલા  મહિલા મંત્રી ઇન્દુબેન શેઠનો આજે તારીખ ૨૮ નવેમ્બરના રોજ જન્મદિવસ છે .             અમદાવાદમાં જન્મેલા ઇન્દુબેનના પિતાનું તેમની ૨ વર્ષની ઉમરે અવસાન થયું હતું . તેમના પિતાએ મૃત્યુ પહેલા મોટાભાગની સંપતિ શૈક્ષણિક પ્રવુતિઓ માટે દાન કરી દીધી હતી .અમદાવાદની જ સરકારી શાળામાં ભણેલા ઇન્દુબેનને   ૧૯૨૧માં મેટ્રિકની પરીક્ષામાં આખા મુંબઈ ઇલાકામાં પ્રથમ આવવા બદલ ચેટફિલ્ડ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું .               ઇન્દુબેન ગાંધી પ્રભાવમાં ઉચ્ચ અભ્યાસ  વિદ્યાપીઠમાં જોડાયા અને સ્નાતક થયા અને ત્યાં માનદ અધ્યાપક પણ બન્યા હતા .૧૯૨૦-૨૨ના અસહકાર આંદોલન અને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઇ તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો .               ઇન્દુબેન શેઠનું કાર્યક્ષેત્ર કોમી એકતા અને મહિલા ઉત્કર્ષ...

વર્ગીસ કુરિયન

 મિલ્કમેન ઓફ ઇન્ડિયા : વર્ગીસ કુરિયન ( ૧૯૨૧ - ૨૦૧૨ )  આજે તારીખ ૨૬ નવેમ્બર અને ક્રિકેટર જશુ પટેલ , સાહિત્યકાર વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી , જયંત ગાડીત ,ઇતિહાસકાર રામશરણ શર્મા ,ડો.હરિસિંહ ગૌર અને શ્વેત ક્રાંતિના જનક વર્ગીસ કુરિયનનો જન્મદિવસ છે .ડો.વર્ગીસ કુરિયનનો જન્મ કેરળમાં કોઝીકોડ ખાતે થયો હતો .સ્નાતક અને ડેરી ઇજનેરીનો અભ્યાસ પ્રાપ્ત કુરિયન ૧૯૪૯મા આણંદમાં ડેરી ઈજનેર તરીકે કાર્યરત થયા હતા આ સમયે ખેડા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ     ખાનગી માલિકીની પોલસન ડેરી સામે ઝઝૂમી રહી હતી .આવા વિકટ સંજોગો ડો.કુરિયન ઈજનેરની નોકરી છોડી શ્રી ત્રિભુવનદાસ પટેલ સાથે જોડાયા અને ટેસ્ટ ઓફ ઇન્ડિયા "અમુલ"નો જન્મ થયો .તેનો ઉદેશ્ય ભારતને દૂધ ઉત્પાદનમાં સ્વાશ્રયી બનાવવાની સાથે ખેડૂતોની દશા સુધારવાનો પણ હતો .અમૂલની સફળતાના પાયા પર  રાષ્ટ્રીય દૂધ વિકાસ બોર્ડ -એન.ડી .ડી .બી અને ગુજરાત કોર્પોરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેવી સંસ્થાઓ સ્થપાઈ જેનું સુકાન પણ ડો.કુરિયને સંભાળ્યું  આ બધા સહિયારા પ્રયત્નોથી ટૂંક સમયમાં જ ભારત દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું .ભારતના દૂધ ઉત્પાદનમા...

બેફામ

૨૫ નવેમ્બર બેફામ : બરકત વિરાણી ( ૧૯૨૩ - ૧૯૯૪ ) "રડ્યા હતા સૌ "બેફામ " મુજ મૃત્યુ  પર એજ કારણથી , હતો મારો જ એ અવસર ને મારી હાજરી ન હતી " અને " તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને જગત સામે જ ઉભું હતું દર્દો નવા લઈને " જેવી  અનેક અમર કાવ્યપંક્તિઓના સર્જક અને પોતાના તખલ્લુસ "બેફામ"નો ગઝલમાં બખૂબી ઉપયોગ કરનાર ગઝલકાર બરકતઅલી ગુલામઅલી વિરાણી  ઉર્ફે બેફામનો આજે જન્મદિવસ છે .         ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના ધાંધળી  ગામે જન્મેલા બેફામ બચપણથી જ ગઝલો લખતા થયા હતા .૧૯૪૨માં હિન્દ છોડોના જુવાળમાં અભ્યાસ અધુરો છોડ્યો હતો .તત્કાલીન ગુજરાતી સામયિકો અને આકાશવાણીમાં સ્ક્રીપ્ટ એડિટર તરીકેની કામગીરીમાંથી બેફામની ગઝલકાર તરીકે કારકિર્દી ઘડાઈ હતી .         સાહિત્ય ક્ષેત્રે માનસર ,ઘટા ,પ્યાસ અને પરબ જેવા ગઝલસંગ્રહો થકી  તેઓએગુજરાતી ગઝલ સાહિત્યને રળિયાત કર્યું છે . ગઝલ ઉપરાંત ટૂંકીવાર્તાઓ અને રેડિયો નાટકો પણ તેઓએ રચ્યા હતા . ગુજરાતી ગઝલોમાં જીવનનું દર્દ ઘૂંટવામાં અને ગઝલના મક્તાના શેરમાં મૃત્યુ અંગેનો શેર મૂકી જીવનની ઊંડી ફિલસુફી રજુ કરવ...

પાંડુરંગ દેશપાંડે

             ૮ નવેમ્બર             પાંડુરંગ દેશપાંડે (૧૯૧૯ - ૨૦૦૦ )        આજે તારીખ ૮ નવેમ્બરના રોજ માદામ રોલા અને મરાઠી સાહિત્યકાર પાંડુરંગ લક્ષ્મણ દેશપાંડેનો જન્મદિવસ છે .        મુંબઈ પાસે ગઉદેવીમાં જન્મેલા પાંડુરંગ અનુસ્નાતક અને વિનયન કાયદામાં સ્નાતક થયા હતા . સાહિત્યિક વર્તુળોમાં પુ .લ તરીકે પ્રસિદ્ધ થયેલા મરાઠી ભાષાના આ સાહિત્યકારનું  નાટક ,ફિલ્મ ,સંગીત વગેરે ક્ષેત્રે  મહત્વનું યોગદાન રહ્યું છે . હાસ્યલેખન ક્ષેત્રે પાંડુરંગ દેશપાંડેની વિશેષ ખ્યાતિ હતી .          પાંડુરંગ દેશપાંડેએ કાન્હોજી આંગ્રે ,નસ્તી ઉઠાવેવ , વંગચિત્રે ,તી ફૂલરાણી ,ભાગ્યવાન ,પાચામુખી ,એકા કોલીયાને , ભાવગંધ  ,ગાઠોડ ,ખોગીર ભરતી ,ગોલા બેરીજ ,અપુર્વાઈ ,જાયે ત્યાચ્યા  દેશા ,ખિલ્લી ચિત્ર હો , પુરુષરાજ અલુરપાંડે , ગાંધીજી ,ગણગોત ,પુરચુંડી આપલ કી ,મૈત્ર ,રસિક હો વગેરે પુસ્તકો લખ્યા છે .           સ્વતંત્ર લેખન ઉપરાંત અનુવાદ ,નાટક અને પટકથા લ...

મણિકર્ણીકા

૧૯ નવેમ્બર મણિકર્ણિકા : રાણી લક્ષ્મીબાઈ ( ૧૮૨૮ -૧૮૫૮ )           આજે તારીખ ૧૯ નવેમ્બરના રોજ ભારતના પહેલા મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ,પુરાતત્વવિદ ડી.આર.ભાડારકાર, સિને અભિનેત્રી ગોહરબાનું ,દારાસિંઘ અને  મનુ ,મણીકર્ણિકા ,મર્દાની ,વીરાંગના ,છબીલી જેવા અનેક ઉપનામોથી જાણીતા બનેલા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ  તથા રંગ અવધૂત મહારાજની પુણ્યતિથિ છે .            વારાણસીમાં જન્મેલા લક્ષ્મીબાઈના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ નેવાલકર સાથે થયા હતા .પ્રથમ પુત્રના અવસાન પછી અંગ્રેજોએ દત્તક પુત્ર લેવાનો અધિકાર નકારતા લક્ષ્મીબાઈ અંગ્રેજો વિરુદ્ધ મેદાને પડ્યા હતા . પ્રતિક્રિયારૂપે ઝાંસી રાજ્ય પર  પર ૭ માર્ચ ૧૮૫૪ના રોજ કબજો કરી બ્રિટીશ શાસને કડક નિયંત્રણો લાદ્યા .                અંગ્રેજો સામે લડવા રાણીએ મહિલાઓના મોરચા સમેત શક્તિશાળી સેના તૈયાર કરી . " મૈ અપની ઝાંસી નહિ દુંગી " ના નારા  સાથે કાલપી વગેરે જેવા અનેક સ્થાનોએ અંગ્રેજો સાથે યુદ્ધો કર્યા .આખરે પોતાના ઝાંસી માટે લડતી રાણી ૧૮ જ...

જયંતિ દલાલ

   પાદરના તીરથ : જયંતિ દલાલ (૧૯૦૯ ..૧૯૭૦ ) આજે તારીખ ૧૮ નવેમ્બર અને વી. શાંતારામ , બટુકેશ્વર દત્ત અને આપણી ભાષાના ગણમાન્ય સાહિત્યકાર અને કર્મશીલ જયંતિ દલાલનો જન્મદિવસ છે.  જયંતિ દલાલનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા દેશી નાટક સમાજ ચલાવતાં તેથી અનેક જગ્યાએ ભટકવું પડતું . જયંતિ દલાલ ૧૯૨૫ માં મેટ્રિક પાસ થયા કોલેજ શિક્ષણ માટે ગુજરાત કોલેજમાં દાખલ થયા પણ દાંડીકુચના જુવાળમાં અભ્યાસ છોડ્યો . ૧૯૩૯ માં પ્રકાશન ગૃહ શરૂ કર્યું. સોયનું નાકું , દ્રોપદી , જીવન દીપ , જવનિકા , પ્રવેશ બીજો , પ્રવેશ ત્રીજો , ચોથો પ્રવેશ , રંગ તોરણ , અવતરણ , અડખે પડખે ,શહેરની શેરી , કાચા લાકડાંની માયા , ધીમું અને વીભા , જૂનું છાપું , પાદરનાં તીરથ અને મહાગુજરાત નાં નીરક્ષીર જેવાં એકાંકી , ટુંકીવાર્તા , નાટક , નવલકથા અને ઇતિહાસ વિષયક પુસ્તકો લખ્યાં છે. તેમની સાહિત્ય સર્જનનું નર્મદ ચંદ્રક , રણજિતરામ સુવર્ણચંદ્રકથી થયું હતું . રેખા , ગતિ અને નવગુજરાત જેવાં સામયિકોમાં પણ જયંતિ દલાલનું  નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.  ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી ચાલેલા મહાગુજરાત આંદોલનનાં નેતા તરીકે પણ જયંતિ દલાલનું સ્મરણ થાય છે. ...

સોહરાબ મોદી

        ૨ નવેમ્બર               સોહરાબ મોદી (૧૮૯૭ - ૧૯૮૪ )          આજે તારીખ ૨ નવેમ્બર અને અભિનેતા સોહરાબ મોદી અને ફ્રાંસની  રાણી આન્ત્વાઈનનો જન્મદિવસ છે .         માતા-પિતાના ૧૧મા બાળક તરીકે જન્મેલા સોહરાબ મોદીના પિતા  મધ્યપ્રદેશના રામપુરના નવાબના સુપ્રિટેન્ડટ હતા .બચપણથી જ અભિનયનો શોખ ધરાવતા સોહરાબ મોદી ૧૯૧૪મા મુંબઈથી મેટ્રિક થઇ પારસી થિયેટરમાં સક્રિય થયા હતા .નાટક કંપનીમાં કામ કર્યું ,આર્ય સુબોધ થિયેટ્રીકલ કંપનીની સ્થાપના કરી .            ૧૯૩૫મા સ્ટેજ કંપની દ્રારા ખૂન કા ખૂન નામની ફિલ્મનું નિર્માણ -દિગ્દર્શન કર્યું હતું . મિનરવા મુવિટોન નામની ફિલ્મ કંપની બનાવી . તેના નેજા નીચે ૩૭ થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું .પુકાર યાને દિ ગ્રેટ મુઘલ સોહરાબ મોદીની સીમાસ્તંભ ફિલ્મ હતી .           સોહરાબ મોદી અભિવ્યક્તિ અને કંઠને અભિનયકળાના બે મહત્વના સિદ્ધાંતો માનતા હતા .તેમની સિકંદર ફિલ્મ પર સ્વતંત્રતા આંદોલન દરમિયાન અંગ્રેજ...

બિરસા મુંડા

      ૧૫ નવેમ્બર         ઉલગુલાન : બિરસા મુંડા  (૧૮૭૨ - ૧૯૦૧ )          ભારતમાં જેના જેટલી  કોઈ આદિવાસી ક્રાંતિકારીને  પ્રતિષ્ઠા અને બહુમાન નથી મળ્યા  તેવા આદિવાસી નાયક બિરસા મુંડા અને આપણી ભાષાના પ્રસિદ્ધ કવિ રાવજી પટેલનો આજે જન્મદિવસ છે .            ઝારખંડના ચલકદ ગામે જન્મેલો  બિરસા જન્મે ઈસાઈ હતો પણ પાછળથી વૈષ્ણવ સંપ્રદાય સ્વીકાર્યો હતો . બચપણમાં તે એવી તો મધુર વાંસળી વગાડતો કે તેના પશુઓ પણ બિરસાની વાંસળીના તાલે ડોલતા હતા . બ્રિટીશ શાસન દરમિયાન અંગ્રેજો અને સ્થાનિક શોષણખોર વર્ગો દ્રારા આદિવાસીઓના થતા  બેસુમાર શોષણ અને અન્યાયો વિરુદ્ધ " ઉલગુલાન " ( મહાન વિદ્રોહ ) શરુ કર્યું હતું .             તેના નેજા નીચે તેણે આદિવાસી વિસ્તારોમાં આર્થિક શોષણ અને સામાજિક અન્યાય સામે જબરદસ્ત મોરચો ખોલ્યો હતો . બિરસા અને તેના અનુયાયીઓ  અંગ્રેજો અને શાહુકારોને " દીકું " અને " સફેદ બકરા " તરીકે ઓળખાવી તેમના ખાત્મો બોલાવવા માટે તત્પર  રહે...