Posts

Showing posts from December, 2019

Happy New year

🤗😇 Have you seen this???  ARUN VAGHELA send you a surprise message  💁 *Open this* 👇👇🏻👇👇   wish-you.co/2020/?n=ARUN-VAGHELA&t=w

કનૈયાલાલ મુનશી

૩૦ ડિસે.માટે  ગુજરાતની અસ્મિતા: કનૈયાલાલ મુનશી(૧૮૮૭-૧૯૭૧) ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા  લેખકો પૈકીના એક,બહુમુખી પ્રતિભા ધરાવતાના ધની,સ્વતંત્રતા સૈનિક અને બીજી અનેક ઓળખ ધરાવતા કનૈયાલાલ માણેકલાલ મુનશીનો આજે જન્મ દિવસ છ્વે.ભરૂચમાં જન્મેલા મુનશીએ બી.એ,એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો હતો.બી.એ માં તો તેઓએ એલીસ પ્રાઈઝ પ્રાપ્ત કર્યું હતું..૧૯૧૩મા મુનશીએ વકીલાત શરુ કરી.ગાંધીજીના પ્રભાવમાં આવ્યા,આઝાદીના અન્દોલનમાં જોડાયા .૧૯૩૭ માં રચાયેલા મુંબઈ સરકારના પ્રધાન મંડળના મંત્રી પણ  બન્યા હતા.આઝાદી પછી સરદાર પટેલ સાથે હેદ્રાબાદના વિલીનીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી..બંધારણ સભાના સભ્ય,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ,કેન્દ્ર સરકારમાં પ્રધાન જેવા હોદ્દાઓ પણ શોભાવ્યા હતા.મુંબઈમાં ભારતીય વિદ્યાભવન નામની સંસ્થા પણ મુનશીની ઉત્તમ કૃતિ છે.  ગુજરાત અને ભારતના જાહેરજીવન ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં સર્જન અને સંશોધનના ક્ષત્રે પણ તેમનું માતબર યોગદાન રહ્યું છે.મુનશીના ઐતિહાસિક અને સંસ્કૃતિક કથાનક કેન્દ્રી સર્જનો અતિ લોકપ્રિય થયા છે..ગુજરાતનો નાથ,પાટણની પ્રભુતા,રાજાધિરાજ,કૃષ્ણઅવતાર ,લોપામુદ્રા,તપસ્વિની,...

શંકરલાલ બેન્કર

શંકરલાલ બેન્કર (૧૮૮૯ - ૧૯૮૫ )             આજે તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ ગઝલ સમ્રાટ મિર્ઝા ગાલીબ ,વેદ મંદિરોના સ્થાપક સ્વામિ ગંગેશ્વરનંદ ,હડકવાની રસીના શોધક લુઈ પાશ્વર અને મજુર-ગાંધીવાદી નેતા શંકરલાલ બેન્કરનો જન્મદિવસ તથા કવિ પૂજાલાલ દલવાડી ,અમરીશ પૂરી અને બેનજીર ભુટ્ટોની પુણ્યતિથિ છે .              સુરતમાં જન્મેલા શંકરલાલ અનુસ્નાતક થઇ બ્રિટન ગયા હતા .૧૯૧૫મા સ્વદેશ આવ્યા અને ગાંધીજી સાથે જોડાયા હતા .૧૯૧૭-૧૮ ની અમદાવાદના કાપડ મિલ મજદૂરોની  ચળવળથી પોતાની પ્રવુતિઓ શરુ કરનાર શંકરલાલ બેન્કરે રોલેટ સત્યાગ્રહ ,અસહકાર આંદોલન ,હોમરુલ આંદોલન જેવા અનેક આંદોલનોમાં સક્રિય ભૂમિકા અદા કરી હતી .                મહાત્મા ગાંધી સંચાલિત યંગ ઇન્ડિયા અને નવજીવન જેવા સામયિકોના સંચાલનમાં તેઓનો મોટો ફાળો હતો .યંગ ઇન્ડિયામાં સરકાર વિરોધી લખાણ લખવા બદલ ગાંધીજીને છ વર્ષની સજા થઇ ત્યારે ગાંધીજીની સાથે બેન્કરને પણ એક વર્ષની સજા થઇ હતી.                  સ્વતંત્રતા આંદ...

લિયોપોન્ડ વૉન રાંકે

વસ્તુલક્ષી  ઈતિહાસકાર : રાંકે ( ૧૭૯૫ - ૧૮૮૬ )              આજે તારીખ ૨૧ ડીસેમ્બર અને બ્રિટીશ વડાપ્રધાન ડીઝરાયેલી , સરમુખત્યાર જોસેફ સ્ટાલિન ,ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન અને " હું પહેલા ઈતિહાસકાર છું અને પછી કેથોલિક છું" એમ માની જીવનભર ઈતિહાસલેખનમાં પ્રવુત રહેનાર લિયોપોન્ડ વોન રાંકેનો આજે જન્મદિવસ છે.                જર્મનીના સેકસની પરગનામાં વિશ ખાતે જન્મેલા રાંકેના પિતા વકીલ હતા.લેઈપઝીગ યુનિ.માં ક્લાસિક શબ્દશાસ્ત્ર અને ધર્મ સાથે પદવી લઇ રાંકે  અનુવાદો કરવામાં પ્રવુત થયા.૧૮૧૭ થી ૧૯૨૫ સુધી શિક્ષક બન્યા જ્યાં તેમના કામથી અત્યંત પ્રભાવિત થઇ જર્મન સરકારે ૧૮૨૫મા તેમની નિયુક્તિ  બર્લિન યુનિ.માં પ્રોફેસર તરીકે કરી હતી. જ્યાં ૫૦ વર્ષ સુધી રહ્યા.                રાંકેનું પહેલું પુસ્તક લેટીન અને ટ્યુટોનિક પ્રજાનો ઈતિહાસ હતું,તે  પછી તો યુરોપ અને વિશ્વ ઈતિહાસને લગતા ૧૦૦થી વઘુ પુસ્તકો લખ્યા જેમાં history of pops,french history,reformation in germani,history of engl...

દરબાર ગોપાળદાસ

                ગુજરાતના રાજકુમાર  :          ગોપાળદાસ દેસાઈ ( ૧૮૮૭ - ૧૯૫૧ )          આજે કસ્તુરભાઈ લાલભાઈ ,પાંડુરંગ ગણેશ દેશપાંડે ,શૂન્ય પાલનપુરી અને દરબાર ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈનો જન્મદિવસ તથા  ઉમાશંકર જોશી ,ચુનીભાઈ વૈધ ,અશફાકઉલ્લાખાન અને રામપ્રસાદ બિસ્મિલની પુણ્યતિથિ છે .            વસોમાં જન્મેલા ગોપાળદાસ ઢસા પાસે રાય સાંકળીના જાગીરદાર હતા . તેમના વિચાર ,વાણી અને વર્તનમાં રાષ્ટ્રપ્રેમ ઝળકતો રહેતો હતો .૧૯૨૦ -૨૨ ના અસહકારના આંદોલનમાં ભાગ લેવા બદલ અંગ્રેજોએ તેમની રાય સાંકળીની જાગીર છીનવી લીધી હતી .તે પછી મહાત્મા ગાંધીના ગઢ પરિચયમાં આવ્યા અને ગુજરાત કક્ષાએ થયેલી મોટાભાગની સંસ્થાકીય પ્રવુંતિઓ જેવી કે વડોદરા  રાજ્ય પ્રજા પરિષદ ,કાઠીયાવાડ રાજકીય પરિષદ ,હરીપુરા કોંગ્રેસ   અને  સ્વાતંત્ર્યની બધી જ લડતોમાં સક્રિય યોગદાન આપ્યું હતું .આઝાદીની લડતોમાં ભાગ લેવા બદલ ઘણી વખત જેલમાં પણ ગયા હતા .             દરબાર સાહેબનો ...

જીમી લી જેકસન

             નાગરિક અધિકારોનો શહીદ :           જીમ્મી લી જેક્શન ( ૧૯૩૮ - ૧૯૬૫ )              આજે   માનવ હક્કોના રખેવાળ  જીમ્મી લી જેક્શન , વિવેચક ઉત્તમલાલ ત્રિવેદીનો જન્મ દિવસ અને સ્વતંત્રતા સૈનિક છગનલાલ જોશી  અને કવિ શ્યામ સાધુની પુણ્યતિથિ પણ છે .                 અલાબમાં રાજ્યના સીલ્માં પાસેના નાના નગર મેરિયનમાં જીમ્મીનો જન્મ થયો હતો.જીમ્મીએ વિયેતનામ વિરુદ્ધ અમેરિકાના યુદ્ધમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેની જીંદગી એક સામાન્ય મજુર અને કઠિયારા તરીકે રહી હતી                  જેક્શન અમેરિકામાં નાગરિક હક્કોની લડતથી પ્રોત્સાહિત થઇ મતદાતા માટેની ઝુબેશમાં સક્રિય થયા હતા   તારીખ ૧૮ ફેબ્રુઆરી ૧૯૬૫ના રોજ મેરિયનમાં યોજાયેલી અહિંસક કુચના તેઓ  પણ એક સભ્ય હતા.નાગરિક અધિકારોની આ લડતને કચડતા પહેલા વહીવટીતંત્રએ શેરીઓની વીજળી ગુલ કરી  અને પોલીસ તથા સૈનિકો આન્દોલનકારીઓ  પર તૂટી ...

ટી. એન.શેષાન

ચુંટણી કમિશ્નર  : ટી .એન.શેષાન ( ૧૯૩૨ - ૨૦૧૯ )           આજે તારીખ ૧૫ ડીસેમ્બરના રોજ પુરાતત્વશાસ્ત્રી રમણલાલ નાગરજી મહેતા " હિંદુ "નાં તંત્રી એસ.કસ્તુરી આયંગર અને ચુંટણી કમિશ્નરના પર્યાય સમા ટી.એન.શેષાનનો જન્મદિવસ તથા  સરદાર પટેલ ,ડોકટર સુમંત મહેતા અને વાલ્મીકીઓના વહાલશેરી છબીલદાસ ગુર્જરની પુણ્યતિથિ  છે .              જુના મદ્રાસ રાજ્યના પલક્કડ ખાતે જન્મેલા ટી.એન.શેષાનનું આખુનામ તિરુનેલ્લાઈ નારાયણ ઐયર હતું .શેષાનનો અભ્યાસ ઇવેન્જીકલ મિશન હાયર સેકન્ડરી સ્કુલ , ગવર્નમેન્ટ વિક્ટોરિયા કોલેજ ,મદ્રાસ ક્રીશ્ર્યન કોલેજ અને હાર્વડ યુનિ.માં થયો હતો .ટી.એન .શેષાને થોડો સમય અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું .                ૧૯૫૪ની બેચના આઈ.એ.એસ શેષાને અનેક સ્થાનોએ અધિકારી તરીકે જવાબદારીઓ અદા કરી ૧૨ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ દેશના મુખ્ય ચુંટણી કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો .ચુંટણી કમિશનર તરીકે તેઓએ  ઈલેક્શન કાર્ડ ,ચુંટણી ખર્ચની મર્યાદા , ચુંટણી દરમિયાન રોજના ખર્ચા રજુ કરવા ,ઓબઝર્વરોની...

રાજકપુર

દિ ગ્રેટ શો મેન:રાજકપૂર (૧૯૨૪-૧૯૮૮)          આજે તારીખ ૧૪ ડીસેમ્બર અને ફ્રેંચ ભવિષ્યવેત્તા નોસ્ત્રાડોમસ ( ૧૫૦૩ -૧૫૬૬ ) અને હિન્દી ચિત્રપટ જગતના સીમા સ્તમ્ભરૂપ અભિનેતા,દિગ્દર્શક અને નિર્માતા રાજકપૂરનો આજે જન્મદિવસ છે.             જન્મ પાકિસ્તાનના પેશાવરમાં અભ્યાસ પેશાવર,દહેરાદુન,કલકતા અને મુંબઈ એમ અનેક ઠેકાણે.પિતા પૃથ્વીરાજ કપૂરને દીકરા રાજ તરફથી વિશેષ ઉમ્મીદ ન હતી .              રાજકપૂરે ૧૯૩૫માં "ઇન્કલાબ"થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી,૧૯૪૯માં ફિલ્મ "આગ"નું નિર્માણ કરી સૌથી નાની વયના નિર્દેશક બન્યા  અને આર.કે.સ્ટુડિયોનું નિર્માણ પણ કર્યું તે પછી તો અનાડી,જિસ દેશમાં ગંગા બહતી હૈ ,સંગમ,મેરા નામ જોકર,આવારા,શ્રી ૪૨૦,બોબી,સત્યમ,શિવમ,સુન્દરમ,પ્ રેમ રોગ,રામ તેરી ગંગા મૈલી જેવી અનેક ફિલ્મોમાં અભિનય અને નિર્દેશન કર્યું .               મહાન માણસો કદી સરળ ન હોય તે ન્યાયે તેઓ પોતાના નાયક-નાયિકાઓ અને ભાઈઓ સુદ્ધા સાથે કામ કરતી વખતે અત્યંત કઠોર રહેતા અને તેનું જ પરિણામ રાજક...

એમ.એસ. કોમિશેરીયેટ

ધ્યાનસ્થ ઇતિહાસકાર:એમ.એસ.કોમીસેરિયટ [૧૮૮૧-૧૯૭૨] ગુજરાતના ઈતિહાસ વિષે ગુજરાતી ભાષામાં અઢળક લખાયું છે પણ ગુજરાતના ઈતિહાસ વિષે વૈશ્વિક જીજ્ઞાસા સંતોષી શકે તેવા ગ્રંથો નહીવત છે ,તેમાં અપવાદરૂપ ગણાય તેવા કદાવર ઇતિહાસકાર એમ.એસ. કોમીસેરીયેટનો આજે જન્મદિવસ છે.મુળનામ માણેકશા સોરાબજી કોમીસેરિયટ.માણેકશાનું શિક્ષણ ભરૂચ અને મુંબઈમાં થયું હતું.૧૯૦૫મા તેઓ ઈતિહાસ અને રાજકીય અર્થશાસ્ત્ર સાથે મુંબઈ યુનિ.થી અનુસ્નાતક થયા હતા.તે પછી તરત જ ગુજરાતની સૌથી જૂની કોલેજ ,ગુજરાત કોલેજમાં ઈતિહાસના પ્રોફેસર તરીકે નિમાયા હતા.ગુજરાત કોલેજના મેગેઝીનના પહેલા સંપાદક પણ તેઓ જ બન્યા હતા.અધ્યાપકનું કામ જ્ઞાનપ્રાપ્તિની સાથે જ્ઞાનસર્જનનું પણ છે તે ન્યાયે પ્રોફ.કોમીસેરીયેટે "history of gujarat [in 3 vols.],studies in history of gujrat,અને જર્મનીથી ભારતની મુલાકાતે આવેલા મુસાફર મેન્ડેલ્સ્લોના યાત્રાવુંતાન્ત [૧૬૩૮]medelslos travel in western indiaનું સંપાદન કર્યું છે.સાથે ગુજરાતના ઈતિહાસને લગતા અનેક લેખો તો ખરા જ!"नामुलम लिख्यते किंचित i "અને "no documents no history"જેવા ઈતિહાસ સંશોધનના પાયાના સુત્રોને ...

હસમુખ સાંકળીયા

   પુરાતત્વવેત્તા  : હસમુખ સાંકળિયા ( ૧૯૦૮ - ૧૯૮૯ ) ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઈતિહાસકારો - પુરાતત્વવિદોમાં શીર્ષસ્થ એવા હસમુખ ધીરજલાલ સાંકળિયાનો આજે જન્મદિવસ છે .મુંબઈમાં જન્મેલા આ ગુજરાતી વણિકને ચોપડામાં નહિ ચોપડીઓમાં રસ પડ્યો અને પ્રાચીન ગુજરાત તેઓના પુરાતત્વીય સ્પર્શથી ઝળહળી ઉઠ્યું .બાલ્યાવસ્થાથી જ પુરાણો અને મહાકાવ્યોમાં અનહદ રસ ધરાવતા  હસમુખ સાંકળિયાએ સ્નાતક સંસ્કૃત -ઈતિહાસ સાથે અને અનુસ્નાતક પુરાતત્વશાસ્ત્ર સાથે મુંબઈ યુનિ .થી કર્યું હતું .લંડન યુનિ .૧૯૩૬મા પીએચ.ડીની પદવી હાંસલ કરનાર ડો.સાંકળિયાએ ૧૨થી વધુ પુરાતત્વીયસ્થળોનું ઉત્ખનન ,૧૨થી વધુ  પુસ્તકો અને પ્રોજેક્ટ રીપોર્ટસ અને ૨૦૦ જેટલા સ્તરીય સશોધન લેખો દ્રારા ગુજરાત-ભારતના જ્ઞાનજગતમાં માતબર યોગદાન આપ્યું છે .તેમના મહત્વપૂર્ણ શોધકાર્યોમાં the Archaeology of gujarat end kathiavad ,historical geography and cultural ethnography of gujarat ,investigations into prehistoric Archaeology of gujarat ,the Godavari palaeolithic industry ,from history to pre -history at nevasa ,indian archaeology today ,pre histo...

જોશ મલિહાબાદી

                     શાયર - ઈ -ઇન્કલાબ   :              જોશ મલીહાબાદી (  ૧૮૯૪ - ૧૯૮૨ ) " કામ હૈ મેરા તવય્યુર નામ હૈ મેરા શબાબ , મેરા નારા ઇન્કલાબ ,ઇન્કલાબ ,ઇન્કલાબ " " બાજ આયા મૈ તો ઐસે મજહબી તાઉન સે , ભાઈઓ કા હાથ તર હો ભાઈઓ કે ખૂન સે "               આવી જોશીલી કવિતાના કવિ જોશ મલીહાબાદીનો આજે જન્મદિવસ છે .             કવિતાનો ખાનદાની વારસો ધરાવતા જોશ મલીહાબાદીનું   મુળનામ શબ્બીર હસનખાન હતું.બ્રિટીશ ભારતના સયુંકત પ્રાંતના મલીહાબાદમાં જન્મેલા મલીહાબાદી અરેબીક ,પ્રર્શીયન ,ઉર્દુ અને અંગ્રેજી જેવી ભાષાઓ ઘરમાં જ શીખ્યા હતા .તેમનો આભ્યાસ સેન્ટ પીટર્સ કોલેજ આગ્રા અને શાંતિ નિકેતનમાં થયો હતો .                જોશ મલીહાબાદીએ પ્રારંભિક કારકિર્દી અનુવાદક અને કલીમ (વક્તા)નામના સામયિકથી કરી હતી .આ ગાળો સ્વતંત્રતાપ્રાપ્તિનો હોવાથી જોશ ક્રાંતિકારી કવિતાઓ અને લેખો લખતા હતા .તેમની કવિતાના ...