Posts

Showing posts from November, 2020

ઠક્કરબાપા

      ભગવા વિનાના સંન્યાસી : ઠકકરબાપા               ( ૧૮૬૯ -૧૯૫૧ ) ગણ્યાગાંઠ્યા ગુજરાતીઓમાં બિરાજે તેવા અને જેમના વિષે આપણી ભાષામાં આઠ ,હિન્દીમાં ૧ અને અંગ્રેજીમાં ૧  જીવન ચરિત્રાત્મક ગ્રંથો પ્રકટ થઇ ચુક્યા છે છતાં તેમના કામથી ગુજરાત પૂરું અવગત નથી તેવા અમૃતલાલ  વિઠલદાસ ઠક્કર ઉર્ફે ઠક્કરબાપાનો આજે જન્મદિવસ છે .  ભાવનગરમાં લોહાણા પરિવારમાં જન્મેલા ઠક્કરબાપાનું કાર્યક્ષેત્ર આખું ભારત અને દુનિયાભરના વંચિતો હતા .ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા ઠક્કરબાપાએ ભારત અને યુગાન્ડામાં રેલ્વે ઈજનેર તરીકે વ્યવસાયી જીવનની શરૂઆત કરી હતી .તે પછી ૧૯૦૪મા ગોપાલ કૃષ્ણ ગોખલે સ્થાપિત હિન્દી સેવક સમાજના સભ્ય બન્યા હતા ,આ સંસ્થાના આશ્રયે ઠક્કરબાપાએ કરેલી સેવા પ્રવુતિઓ અને તૈયાર કરેલા નિષ્ઠાવાન સેવકોનો ગુજરાતના ઇતિહાસમાં જોટો જડે તેમ નથી .  " અમને ચારે દિશાઓમાંથી સારા અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ "ના વેદ વાક્યનું પ્રત્યક્ષ પ્રમાણ કયાંય જોવું હોય તો  તે ઠક્કરબાપાનું જીવન છે . દાહોદનું ભીલ સેવા મંડળ ,ગુજરાત અંત્યજ સેવા મંડળ જેવી સંસ્થાઓ...

રમેશ પારેખ

છ અક્ષરનું નામ : રમેશ પારેખ ( ૧૯૪૦ - ૨૦૦૬ )           આજે તારીખ ૨૭ નવેમ્બર અને આઝાદ ભારતના પહેલાં સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર , બૃસલી ,ઉદ્યોગપતિ નાનુભાઈ અમીન , હાસ્યકાર બકુલ ત્રિપાઠી , હરિવંશરાય બચ્ચન અને કવિ રમેશ પારેખનો જન્મદિન છે .             અમરેલીમાં જન્મેલાં રમેશ મોહનલાલ પારેખ ૧૯૫૮માં મેટ્રિક થઇ સરકારી નોકરીમાં જોડાયા હતાં . કવિ , વાર્તાકાર , બાળ સાહિત્યકાર રમેશ પારેખે ખડિંગ , ત્વ , વિદાન સુદ બીજ , સનનન , ક્યાં , સ્તનપૂર્વક , છાતીમાં બારસાખ , ચશ્માના કાચ પર જેવાં અનેક પુસ્તકો લખ્યાં છે .             મૂળભૂત રીતે કવિ એવાં રમેશ પારેખનો કાવ્યમિજાજ જુઓ : " ત્રાજવે તોળ્યા હતાં એ નખશીખ હલકા નીકળ્યા , શખ્શ - જે રહેતાં હતાં બહુ ભારમાં ,  " " પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ? એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર "           રમેશ પારેખની ' ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે , તમને ફૂલ દીધાનું યાદ ' જેવી અનેક  રચનાઓ ચિરસ્મરણીય છે .        ...

રંગ અવધૂત

નારેશ્વરનો નાથ : રંગ અવધૂત ( ૧૮૯૮ - ૧૯૬૮ ) " પ્રતિશ્વાસ શ્રીદત્તનું , જેણે તને બધું જ આપ્યું છે તે પરમાત્માનું નામસ્મરણ કર ,હંમેશા પ્રભુની યાદમાં જીવન વ્યતીત કર " જેવી વાણી દ્રારા લાખો અનુયાયીઓના હદયમાં બિરાજમાન શ્રીરંગ અવધૂત અને ફ્રેંચ ચિંતક વોલ્તેરનો આજે જન્મદિવસ અને નોબેલ પારિતોષિક વિજેતા સી.વી.રમણની પુણ્યતિથિ છે . પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે જન્મેલા રંગ અવધૂતનું મુળનામ પાંડુરંગ વિઠ્ઠલપંત વાલમે હતું . બચપણથી જ ધર્મની લગની ધરાવતા શ્રીરંગ અવધૂત મેટ્રિક સુધી ભણ્યા પછી ૧૯૨૧મા અસહકારના જુવાળમાં ભણતરને અલવિદા કીધું , શિક્ષક પણ થયા ,સામાજિક સેવાઓ શરુ કરી અને ૧૯૨૩ થી તો સંન્યાસ લઇ લીધો હતો .  નર્મદા કિનારે નારેશ્વરમાં વાસુદેવાનંદ સરસ્વતીને ગુરુ માની તેમના ચરણે બેઠા હતા .  રંગ અવધૂતનું ગુજરાતમાં દત્ત પંથ (દત્તાત્રેયનો પંથ )ના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે .અવધૂતજી એ દત્ત બાવની ,રંગ હદયમ ,રંગ તરંગ અવધૂતી આનંદ ,શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર ,પત્ર મંજુષા અને નામસ્મરણ જેવા પુસ્તકો લખ્યા છે .  પરસ્પર દેવો ભવ : ,સત્ય મેવ પરમ તપ ,જેવા સુત્રો પણ રંગ અવધૂતે પ્રચલિત કર્યા હતા . રંગ અવધૂત...

કવિ કાન્ત

ગુજરાતી કવિતાની ઘટના  : કવિ  કાન્ત                     ( ૧૮૬૭ - ૧૯૨૩ )            આજે તારીખ ૨૦ નવેમ્બર અને કવિ કાન્ત , સ્વતંત્રતા સૈનિક મીનુ મસાણી , પરિચય પુસ્તિકાના આદ્ય સ્થાપક વાડીલાલ ડગલી ,અને ટીપું સુલતાનનો જન્મદિવસ તથા વ્યંગ્ય ચિત્રકાર ચંદ્ર ત્રિવેદી અને સાહિત્યકાર લિયો ટોલ્સટોયની પુણ્યતિથિ છે .             ગાયકવાડી રાજ્યના અમરેલી પ્રાંતના ચાંવડ ગામે જન્મેલા મણિશંકર રત્નજી ભટ્ટનું શિક્ષણ માંગરોળ , મોરબી અને રાજકોટમાં થયું હતું . તેઓ અધ્યાપક  અને  ભાવનગર રાજ્યના શિક્ષણાધિકારી પણ રહ્યાં હતા . થીઓસોફીનો કવિ કાન્ત પર ગાઢ પ્રભાવ હતો . મોરબી નગરમાં ચાલતી કાવ્ય પ્રવુતિઓ અને અંગ્રેજી કવિતાના પ્રભાવમાં કાન્તની કાવ્ય રુચિ ઘડાઈ હતી .                મૂળભૂત રીતે કવિ કાન્તે ખરી મોહોબત , ગુલબાસનું ફૂલ , પૂર્વાલાપ , રોમન સ્વરાજ્ય , ગુરુ ગોવિંદસિંહ , દુઃખી સંસાર , જાલિમ ટુલિયા ,હીરા માણેકની મોટી ખાણ , કુમાર અને ગૌરી , સિદ્ધાંત...

રાણી લક્ષ્મીબાઈ

મણિકર્ણિકા : રાણી લક્ષ્મીબાઈ ( ૧૮૨૮ -૧૮૫૮ )            આજે તારીખ ૧૯ નવેમ્બરના રોજ ભારતના પહેલા મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંંધી , સિને અભિનેત્રી ગોહરબાનું ,દારાસિંઘ અને  મનુ ,મણીકર્ણિકા ,મર્દાની ,વીરાંગના ,છબીલી જેવા અનેક ઉપનામોથી જાણીતા બનેલા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ  તથા રંગ અવધૂત મહારાજની પુણ્યતિથિ છે .              વારાણસીમાં જન્મેલા લક્ષ્મીબાઈના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ નેવાલકર સાથે થયા હતા .પ્રથમ પુત્રના અવસાન પછી અંગ્રેજોએ દત્તક પુત્ર લેવાનો અધિકાર નકારતા લક્ષ્મીબાઈ અંગ્રેજો વિરુદ્ધ મેદાને પડ્યા હતા . પ્રતિક્રિયારૂપે ઝાંસી રાજ્ય પર  પર ૭ માર્ચ ૧૮૫૪ના રોજ કબજો કરી બ્રિટીશ શાસને કડક નિયંત્રણો લાદ્યા .                 અંગ્રેજો સામે લડવા રાણીએ મહિલાઓના મોરચા સમેત શક્તિશાળી સેના તૈયાર કરી . મૈ અપની ઝાંસી નહિ દુંગીના નારા  સાથે કાલપી વગેરે જેવા અનેક સ્થાનોએ અંગ્રેજો સાથે યુદ્ધો કર્યા .આખરે પોતાના ઝાંસી માટે લડતી રાણી ૧૮ જુન ૧૮૨૮ના રોજ યુદ્ધ મોર...

કિશનસિંહ ચાવડા

જીપ્સી  : કિશનસિંહ ચાવડા  (૧૯૦૪ - ૧૯૭૯ )        આજે ૧૭ નવેમ્બર અને ગુજરાત -રાજસ્થાનની સરહદે અંગ્રેજો સામે લડતા શહીદ થયેલા સેંકડો આદિવાસીઓનો બલિદાન દિવસ ( ૧૭ નવેમ્બર ૧૯૧૩ ) અને ગુજરાતી સાહિત્યકાર કિશનસિંહ ચાવડાનો જન્મદિવસ છે .           કિશનસિંહ ચાવડાનો જન્મ વડોદરામાં થયો હતો પણ તેમનું વતન જુના સચિન રાજ્યનું ભાંજ ગામ હતું . લેખક ,પત્રકાર અને અનુવાદક એવા કિશનસિંહ ચાવડા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને શાંતિનિકેતનમાં ભણ્યા હતા . પ્રેસ ટેકનોલોજી શીખવા અમેરિકા ગયા ૬ મહિનાના અભ્યાસ પછી અહી સાધના મુદ્રણાલય શરુ કર્યું હતું .દેશી રાજ્યોમાં અંગત મદદનીશ અને મુંબઈમાં શિક્ષક તરીકે  તરીકે પણ કામ કર્યું .            મહર્ષિ અરવિંદના પ્રભાવમાં થોડો સમય અરવિંદ આશ્રમ પોન્ડેચેરીમાં રહ્યા હતા .કિશનસિંહ ચાવડાએ ઉમાશંકર જોશીના આગ્રહથી લખવાની શરૂઆત કરી હતી .ગુજરાતી ઉપરાંત હિન્દી ,મરાઠી  અને બંગાળીનો તેમને સારો પરિચય હતો ." ક્ષત્રિય " અને" નવગુજરાત " જેવા સામયિકોમાં સંપાદક -સહ સંપાદક તરીકે કામ કર્યું હતું .કિશનસિંહ ચાવડાએ ...

પી.પી . પંડ્યા

પુરાતત્વવિદ : પી.પી. પંડયા ( ૧૯૨૦ - ૧૯૬૦ )          ગુજરાતનો પ્રાચીન વારસો અને સંસ્કૃતિ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના ઉદ્યમ અને સમર્પણની ફલશ્રુતિ છે . આજે એવાં એક પુરાતત્વવિદ પી.પી.પંડયાનો જન્મદિવસ છે .            પી.પી. પંડ્યાના નામે જાણીતા બનેલાં પુરુષોત્તમ પ્રેમશંકર પંડયાનો જન્મ રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણીમાં તે રાજ્યના મુખ્ય જમીન માપણી અધિકારીને ત્યાં થયો હતો .પ્રાથમિક , માધ્યમિક શિક્ષણ વતનમાં મેળવ્યા પછી તેઓએ ઉચ્ચ અભ્યાસ ભાવનગરની શામળદાસ કોલેજ અને અમદાવાદની ભો.જે . વિદ્યાભવનથી કર્યો હતો . ભારતીય સંસ્કૃતિ સાથે અનુસ્નાતક થનાર પી.પી . પંડયા પુરાતત્વશાસ્ત્રના બધા પેપરોમાં મુંબઈ યુનિ . માં પ્રથમ આવ્યાં હતાં .           અભ્યાસકાળ દરમિયાન મહાત્મા ગાંધીના પ્રભાવમાં રચનાત્મક કાર્યક્રમો અને અહિંસક વ્યાયામ તાલીમ સંઘમાં પણ સક્રિય રહ્યાં હતાં .           અવિરત સંશોધક પી.પી પંડયાએ સૌરાષ્ટ્રમાં ૨૦૦ જેટલાં પુરાતત્વીય સ્થળો શોધ્યા હતાં . જેમાં લાખા બાવળ , આમરા , સોમનાથ - પ્રભાસ , રોઝડી , ...

દેવવ્રત પાઠક

પાઠક સાહેબ : દેવવ્રત પાઠક ( ૧૯૨૦ - ૨૦૦૬ )          આજે તારીખ ૫ નવેમ્બરનાં રોજ દેશબંધુ ચિતરંજનદાસ , બાળાસાહેબ દેવરસ , ઇતિહાસકાર વીલ ડયુરા અને ગુજરાતમાં પાઠક સાહેબ તરીકે પંકાયેલા દેવવ્રત પાઠકનો જન્મદિવસ તથા નિર્માતા બી. આર . ચોપરા , કવિ છોટમ અને ઉસ્તાદ ફૈયાઝ ખાનની પુણ્યતિથિ છે .           રાજ્યશાસ્ત્રી દેવવ્રત પાઠક સ્નાતક મુંબઈ યુનિ . માં પ્રથમ ક્રમે અને અનુસ્નાતક શિકાગો યુનિ . થી થયાં હતાં .પાઠક સાહેબે રાજ્યશાસ્ત્રનાં અધ્યાપક તરીકે એલ.ડી . આર્ટસ કોલેજ અને ગુજરાત યુનિ .ના રાજ્યશાસ્ત્ર વિભાગમાં  ગૌરવવંતી સેવાઓ આપી હતી . અહી તેઓ રાજનીતિશાસ્ત્રના અધ્યક્ષ અને સમાજવિદ્યાભવનના નિયામક પણ રહ્યાં હતાં .              ગુજરાતના રાજ્યશાસ્ત્ર મંડળ જેવી અનેક  ગાંધીવાદી અને લોકશાહીવાદી સંસ્થાઓના તેઓ સ્થાપક અને સંવર્ધક રહ્યાં હતાં .કોમી સંવાદિતાના પ્રખર હિમાયતી દેવવ્રત પાઠકે ૧૯૭૫ માં કટોકટીનો વિરોધ કર્યો હતો .ગુજરાતના પ્રથમ હરોળના આ શિક્ષણશાસ્ત્રી સૌરાષ્ટ્ર યુનિ . ના કુલપતિ પણ રહ્યાં હતાં .      ...

ગનીખાન ચૌધરી

 એ.બી.એ. ગનીખાન ચૌધરી (૧૯૨૭ - ૨૦૦૬ )           આજે તારીખ ૧ નવેમબર અને બંગાળના જાણીતા રાજનીતિજ્ઞ એ.બી.એ.ગનીખાન ચૌધરીનો જન્મદિવસ છે .          પશ્રિમ બંગાળના માલ્દામાં જન્મેલા ગનીખાનનું આખુંનામ અબુબકર અતાઉર ગનીખાન ચૌધરી હતું .પણ સમર્થકોમાં બરકંડા તરીકે ઓળખાતા હતા .બંગાળના આ જુજારું નેતાએ ૧૯૫૭ થી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો .ગનીખાન ૧૯૫૭ થી ૧૯૮૦ સુધી બંગાળ વિધાનસભામાં સભ્ય રહ્યા હતા .બંગાળ મંત્રીમંડળમાં  ૧૯૭૨ થી ૧૯૭૭ સુધી કેબિનેટ મંત્રી પણ બન્યા હતા .૧૯૮૦ પછી ગનીખાનનું કાર્યક્ષેત્ર રાષ્ટ્રીય રાજકારણ રહ્યું હતું .લગભગ આઠેક વખત તેઓ બંગાળથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા .ટૂંકા સમય માટે રેલ્વેમંત્રી પણ બન્યા  ત્યારે બંગાળથી રેલ્વે મંત્રી બનનાર તેઓ સહુપ્રથમ હતા .            કોલકતામાં મેટ્રો રેલ પ્રોજેક્ટ વગેરેમાં  ગનીખાન ચૌધરીનો પુરુષાર્થ મુખ્ય હતો ..પછાત માલ્દા વિસ્તારમાં શિક્ષણનો વિકાસ , ગ્રામીણ બેંકોની રચના , માળખાકીય સુવિદ્યાઓનો વિકાસ   અને કુદરતી આફતો વખતે  રાહતકાર્યો વગેરે લ...