Posts

Showing posts from December, 2017

વેડછીની વડવાઈ : મકનજીબાબા ( ૧૯૦૫- )

વેડછીની વડવાઈ : મકનજીબાબા ( ૧૯૦૫-      )     આજે ૨૦૧૮નો પહેલો દિવસ.આજે જેમનો જન્મ દિવસ છે તેવા મકનજી કોટાભાઈ ચૌધરી ઉર્ફે મકનજીબાબા નું નામ ઘણા ખરાએ સાંભળ્યું પણ નહિ હોય ,કઈ વાંધો નહિ આજે   તેમના વિષે થોડુક જાણીએ.ભારતના ઇતિહાસમાં ૧૯૨૦થી ૧૯૪૭ સુધીનો ગાળો ગાંધીયુગ તરીકે ઓળખાય છે.આ દરમિયાન શહેરોથી લઇ ગામડાઓ અને સમાજના ભદ્ર વર્ગથી વંચિતો સુધી ગાંધીવાદી કાર્યકરોની સુંદર શ્રેણી તૈયાર થઇ હતી .આ યાદીમાં એક ગૌરવવંતુ નામ મકનજી કોટાભાઈ ચૌધરીનું છે.દક્ષિણ ગુજરાતમાં સુરત જીલ્લાના બેડ્કુવા ગામે જન્મેલા મકનજી વેડછી ગામની શાળામાં શિક્ષક હતા,ભાવનાશીલ,ચીવટવાળા ,ચારિત્રવાન , સ્વાશ્રયી અને સાદાઈ જેવા અનેક સદગુણો ધરાવતા મકનજીભાઈ સુરત જીલ્લામાં ગાંધી પ્રવુંતિઓનો સીમાસ્તંભ હતા.ચુનીલાલ મહેતા અને જુગતરામ દવે જેવા ગાંધીવાદીઓ મકનજી જેવા આદિવાસી કાર્યકર્તાઓની મદદથી તેમની પ્રવુંતિઓ વિસ્તારી શક્યા હતા.ખાદીનો પ્રચાર હોય કે રેંટીયા પ્રવુંતિઓ   હોય તેઓ દરેક બાબતોમાં આગેવાની કરતા હતા. ગાંધીવાદી હોય એટલે આઝાદીના આન્દોલનો સાથે સીધો નાતો હોય જ.   દાંડીકૂચમાં તેમણે “ અ...

સુધારાના સારથી :મહીપતરામ રૂપરામ (૧૮૨૯-૧૮૯૧)

સુધારાના સારથી :મહીપતરામ રૂપરામ (૧૮૨૯-૧૮૯૧) ૧૯મા સૈકામાં પશ્રિમના પંથે ગુજરાતના સમાજને સુધારવા મથતા સુધારકો પૈકીના એક મહીપતરામ રૂપરામનો આજે જન્મ દિવસ છે.સુરતમાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મેલા મહિપતરામે શિક્ષણ સુરત અને મુંબઈથી લીધું હતું. દોઢ વર્ષની ઉમરે માતાનું અવસાન થયું અને ચાર વર્ષની વયે તો તેમના લગ્ન ત્રણ વર્ષના પાર્વતીકુંવર સાથે થઇ ગયા.મહિપતરામ મુંબઈ નિવાસ દરમિયાન જ્ઞાન પ્રસારકસભા અને બુદ્ધિવર્ધકસભા જેવી સંસ્થાઓમાં સક્રિય થયા હતા.સન ૧૮૫૭ના વર્ષે મહીપતરામ અમદાવાદની હાઈસ્કુલમાં આચાર્ય તરીકે આવ્યા.આ પૃષ્ઠભૂમિ પર તેમને ઇંગ્લેન્ડનો શૈક્ષણિક પ્રવાસ કરવાની તક મળી આ સમય કાળું પાણી ઓળગવું અર્થાત વિદેશગમનની  સામાજિક મનાઈનો સમય હતો છતાં તેને અવગણી પત્ની,રસોઈઓ અને સીધું-સામાન લઇ બ્રિટનના પ્રવાસે નીકળી પડ્યા પણ પાછા આવ્યા કે તરત જ સુરતની વડનગરા નાગર જ્ઞાતિએ તેમને નાત બહાર મુક્યા મહીપતરામેં નાતની માફી માગી ,ભારે રકમનો દંડ ભરી પ્રાયશ્ચિત પણ કરવું પડ્યું. સુરતની શેરીઓમાં તો  આ દરમિયાન તેમની "વિલાયતી વાંદરું"કહીને મજાક પણ ઉડાવવામાં આવતી હતી. તેમના વિલાયતગમનનો પસંગ ગુજરાત...

રાષ્ટ્રવાદી ઉદ્યોગપતિ :કસ્તુરભાઈ લાલભાઈ[૧૮૯૪-૧૯૮૦]

રાષ્ટ્રવાદી ઉદ્યોગપતિ :કસ્તુરભાઈ લાલભાઈ[૧૮૯૪-૧૯૮૦] અમદાવાદ નગરશેઠ કુટુંબના વંશજ,રાષ્ટ્રવાદી ઉદ્યોગપતિ અને દાનવીર કસ્તુરભાઈ લાલભાઈનો આજે જન્મદિવસ છે.પ્રાથમિક,માધ્યમિક અને થોડુક ઉચ્ચ શિક્ષણ મેળવી કસ્તુરભાઈ પિતાના વારસાગત મિલ ઉદ્યોગમાં જોડાયા હતા.વ્યવસાયની સાથે તેઓને ગુજરાતના જાહેરજીવનમાં પણ ઊંડો રસ હતો.૧૯૨૩-૧૯૨૬ દરમિયાન દિલ્હીની વડી ધારાસભામાં મીલમાંલીકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા.વડી ધારાસભામાં તેમની કામગીરીના વખાણ તો" ટાઈમ્સ ઓફ ઇન્ડીયા" જેવા અખબારે પણ કર્યા  હતા કસ્તુરભાઈએ એક નવાચારી ઉદ્યોગપતિ તરીકે વારસાગત ઉદ્યોગ-ધંધાઓનો વિકાસ તો કર્યો જ સાથે ગુજરાતની મહાજન પરમ્પરાના પ્રતિનિધિ તરીકે કેળવણીની સંસ્થાઓના વિકાસમાં પણ રસ દાખવ્યો હતો.કારણકે તેઓ જાણતા હતા કે આઝાદ ભારતમાં શિક્ષણનું મહત્વ શું રહેવાનું છે! આઝાદી પછીના ત્રણ દાયકાઓમાં તેમના પરિવારે માત્ર કેળવણીની સંસ્થાઓને દોઢ કરોડ કરતા વધુ રકમનું દાન કર્યું હતું ધાર્મિક સંસ્થાઓ અને જૈન સંસ્થાઓને કરેલા દાન તો જુદા .અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત નિર્માણ પામેલી શાળા-કોલેજો ઉપરાંત ગુજરાત યુનિ.,અટીરા વગેરેમાં કસ્ત...

મોટા બેન :અનસુયાબેન સારાભાઇ[૧૮૮૫-૧૯૫૮]

મોટા બેન :અનસુયાબેન સારાભાઇ[૧૮૮૫-૧૯૫૮] અમદાવાદ એક બંગલા પાસેથી ચિંતાતુર ચ્હેરે પસાર થઇ રહેલા મજુરોને એક મહિલાએ તેમની ચિંતાનું કારણ પૂછયું મજુરોએ કહ્યું "સતત ૩૬ કલાક કામ કરી અમારા ઘરે જઈ રહ્યા છીએ"-સતત ૩૬ કલાક કામ સાંભળીને એ સવેન્દનશીલ મહિલા હચમચી ગયા ,તેમનું હૈયું કરાહી ઉઠ્યું ,મજુરોને આ અન્યાય  અને તેમને મળતા વળતર બાબતે સંગઠિત કર્યા ,પોતાના સગા ભાઈ સહિતના અમદાવાદના મિલમાલિકો સામે લગભગ ૨૧ દિવસ હડતાલ પાડી અને મજુરોને તેમના વ્યાજબી હક્કો અપાવ્યા .આ નારાયણીનું નામ અનસુયાબેન સારાભાઇ .જન્મ અમદાવાદના પસિદ્ધ સારાભાઇ પરિવારમાં ,નવ વર્ષની વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવી ,૧૩ વર્ષની ઉમરે બાળલગ્ન નિષ્ફળ રહ્યું ૧૯૧૨મા બ્રિટન મેડિકલનું ભણવા ગયા પણ તેમાં જીવહત્યા થતી હોવાથી અને ખાસ તો જૈન હોવાથી  એ ભણવાનું માંડી વાળ્યું પણ ત્યાંથી ફેબિયન સમાજવાદથી ગાઢ રીતે પ્રભાવિત થયા હતા.અમદાવાદમાં આવી હોમરુલ આન્દોલનથી રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો.તે પછી તો ગુજરાતમાં થયેલા મોટા ભાગના આદોલનો અને જાહેરજીવનની પ્રવુંતિઓમાં અનસુયાબેન સક્રિય રહ્યા હતા.૧૯૧૪મા અમદાવાદમાં અમરપુરામાં જ્યુબીલી મિલ...

દાદાસાહેબ :ગણેશ વાસુદેવ માવલંકર [૧૮૮૮-૧૯૫૬]

દાદાસાહેબ :ગણેશ વાસુદેવ માવલંકર [૧૮૮૮-૧૯૫૬]   આજે  આઝાદ ભારતની લોકસભાના પહેલા સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર સમેત ક્રાંતિકારી  સુધારક જોતિબા ફૂલે,કવિ શ્રી હરિવંશરાય બચ્ચન અને ઇતિહાસકાર કે.પી.જયસ્વાલનો જન્મદિવસ છે.દાદાસાહેબના હુલામણા નામથી જાણીતા થયેલા શ્રી માવલંકરનો જન્મ વડોદરામાં થયો હતો.તેઓ ૧૯૦૪માં  મેટ્રિક અને ૧૯૦૬મા અમદાવાદની સૌથી જૂની કોલેજ ગુજરાત કોલેજથી બી.એ થયા હતા.તત્પશ્યાત વકીલાત ,ગુજરાતના જાહેર જીવન અને રાષ્ટ્રના આઝાદીના  સંગ્રામમાં જોડાઈ અનેકવિધ ક્ષેત્રોમાં માતબર યોગદાન આપ્યું હતું .તેમની  બહુવિધ પ્રવુંતિઓ હોવા છતાં તેમાં કેળવણી ક્ષેત્રની કામગીરી સરસાઈ ભોગવે છે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને ગુજરાત યુનિ.ની સ્થાપનામાં તેમનો સિંહફાળો હતો ગુજરાત યુનિ.સ્થાપના સમયે તેઓ કહેતા હતા કે "ગુજરાત યુનિ.ની કલ્પનાને હું મારૂ સ્વપ્ન નહિ પણ જાગૃત અવસ્થા કહું છું."વિશ્વ વિદ્યાલય એ પોતાના દેશકાળનું પ્રતિબિંબ છે,તેમ દેશકાળને ઘડ્નારું એક બળ પણ છે આમ માનતા હોવાથી તેઓએ  એક વ્યક્તિના નામ સાથે ગુજરાત યુનિ.સંકળાય તેના બદલે હજારો ગુજરાતીઓની સખાવતથી ગુજરાત ...

ફ્રાંસની ક્રાંતિનું દર્પણ:જીન જેક રૂસો [૧૮૧૨-૧૮૭૮ ]

ફ્રાંસની ક્રાંતિનું દર્પણ:જીન જેક  રૂસો  [૧૮૧૨-૧૮૭૮ ] વિશ્વના અનેક દેશોની આઝાદી આંદોલનની પ્રેરકબળ  સમી ૧૭૮૯ની  ફ્રેંચ ક્રાંતિ  માટે કહેવાય છે કે  તે રેસ્ટોરાં અને હેર કટિંગ  સલુંનોમાંથી પેદા થઇ હતી .એનું કારણ  ક્રાંતિ પૂર્વે રચાયેલું બોદ્ધિક  વાતાવરણ હતું . વોલ્તેર ,મોન્તેસ્ક ,રૂસો અને દીદેરો જેવા  વિચારકો ફ્રાન્સની  વિપદા સમયે ઉભા થયા અને દેશને ક્રાંતિ સુધી દોરી ગયા .આ બોદ્ધીકોમાંના  એક રૂસોનો આજે  જન્મદિવસ છે .રૂસો જન્મીને  હજુ  જગતને જુએ તે પહેલા તેની માએ   અંતિમ શ્વાસ લીધા .૧૦ વર્ષની ઉંમરે  પિતા પણ  રુસોને છોડીને ચાલ્યો ગયો .લગભગ અનાથ સમો રૂસોને  પારિવારિક પરવર્રીશને  અભાવે  અશ્લીલ  સાહિત્ય વાંચવાની  બુરી લત વળગી .પરિણામે  અનેક આનુશંગીક દોષો પણ રૂસોના જીવનમાં  પ્રવેશ્યા  .જુઠૂં  બોલવું ,ચોરી કરવી ,વ્યભિચાર વગેરે તેના માટે સહજ બાબતો હતી .લગભગ ૩૦ વર્ષ સુધી  તેના જીવનમાં મહાનતાના કોઈ  લક્ષણો ન હતા .પરંતુ તે પછી મહાપુરુષોના ...

ઇતિહાસકાર ડો.સતીશચંદ્ર મિશ્ર [૧૯૨૫-૧૯૮૪]

૨૨ જુલાઈ માટે                       ઇતિહાસકાર ડો.સતીશચંદ્ર મિશ્ર [૧૯૨૫-૧૯૮૪   સર જદુનાથ સરકારે એવું લખ્યું છે કે "આખા ભારતમાં ઈતિહાસલેખનના સાધનોની  વિવિધતા અને વિપુલતાની દ્રષ્ટીએ ગુજરાત સૌથી સમૃદ્ધ છે ".આ વિધાનના હિસાબે ગુજરાતમાંથી સૌથી વધુ અને પ્રતિભાશાળી ઈતિહાસકારો પાકવા જોઈએ ,પણ કમનસીબે એમ થઇ શક્યું નથી.છતાં ગુજરાત ગૌરવ લઇ શકે તેવા કેટલાક ઈતિહાસકારો તો ગુજરાતમાં નીપજયા છે.તેમાં ડો.સતીશચંદ્ર મિશ્રનું નામ અગ્રણી છે.મધ્યપ્રદેશના હોશંગાબાદમાં જન્મેલા પ્રોફે..મિશ્રએ આગ્રા અને  બનારસ યુનિ.ઓમાંથી શિક્ષણ મેળવ્યું હતું .૧૯૫૦માં શેરશાહ સૂરિ પર તેમણે પીએચ.ડીની પદવી મેળવી હતી.તેઓ ૧૯૫૨માં વડોદરાની એમ.એસ .યુનિ.માં અધ્યાપક તરીકે જોડાયા હતા. મધ્યકાલીન ઇસ્લામી ઇતિહાસકાર તરીકે પંકાયેલા પ્રોફ. મિશ્રએ rise of muslim power in gujarat[1963]"muslim communities of gujarat"[1964],જેવા વિદ્વતાપૂર્ણ ઈતિહાસગ્રંથો લખ્યા છે.મુસ્લિમ કોમ્યુનીટીઝ ઓફ ગુજરાત ગ્રથમાં તેમને ૬૯ મુસ્લિમ ક...

રસાયણશાસ્ત્રી :ટી.કેગજ્જર [૧૮૬૩-૧૯૨૦]

          રસાયણશાસ્ત્રી :ટી.કેગજ્જર [૧૮૬૩-૧૯૨૦] ટી.કે ગજ્જરના ટૂંકા નામે જાણીતા થયેલા ત્રિભુવનદાસ કલ્યાણરાય ગજ્જરનો આજે જન્મ દિવસ છે સુરતમાં જન્મેલા ગજજરના પૂર્વજો મૂળ અમદાવાદના હતા તેમના પિતા કલ્યાણરાય શિલ્પશાસ્ત્રી હતા તેમણે આને લગતું એક્ પુસ્તક પણ લખ્યું હતું .ટી .કે ગજ્જરે શરુનું શિક્ષણ સુરતમાં લીધું  અને મેટ્રિક મુંબઈથી કર્યું હતું ૧૮૮૨માં પ્રથમ વર્ગમાં બી.એસ.સી કર્યું ડિસે .૧૮૮૬માં વડોદરા કોલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે નિમાયા દરમિયાન પોતાની વિદ્વતાથી સયાજીરાવ ગાયકવાડને પણ પ્રભાવિત કર્યા હતા મહારાજાએ તેમણે રંગ અને છાપકામના ઉદ્યોગોનો અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું આના પાયા પર તેમણે વડોદરા ,સુરત અને અમદાવાદમાં રંગકામની  શાળાઓ શરુ કરી હતી.ટી.કે ગજ્જર આજે ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ તરીકે પસિદ્ધ થયેલી "કલાભવન"ના પ્રયોજક તરીકે પણ જાણીતા છે.૧૮૯૦માં સ્થપાયેલી આ સંસ્થામાં ચિત્ર,રસાયણ અને રંગશાળા ,યંત્રશાળા ,શિલ્પ અને ઈજનેરી ,ખેતી અને માતૃભાષા એમ છ વિભાગો રાખ્યા હતા .પણ સ્થાનિક કાવાદાવાઓથી તંગ આવી તેઓ મુંબઈ...

સાક્ષરવર્ય :ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ[૧૮૫૩-૧૯૧૨]

                  સાક્ષરવર્ય :ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ[૧૮૫૩-૧૯૧૨] આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વી.વી. ગીરી ,અર્થશાસ્ત્રી કે .ટી.શાહ ,એ.કે ફોર્બ્સ કૃત "રાસમાળા "ના અનુવાદક રણછોડરામ ઉદયરામ દવે ,નવલકથાકાર પીતાંબર પટેલ અને જેઓની  વાત અહી કરવામાં આવી છે તે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનો  જન્મદિવસ છે સુરતમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં ૧૮૫૩ના વર્ષે તેમનો જન્મ થયો હતો તેમના પૂર્વજ નારાયણ દેસાઈને બાદશાહ અકબરે જમીન મહેસુલ આકારણીમાં કરેલી મદદ બદલ ભરૂચ અને સુરત જીલ્લાઓમાં મીઠાના અગર પર વેરો ઉઘરાવવાની  સત્તા આપી હતી ત્યારથી તેમની અટક દેસાઈ પડી હતી   છટ્ઠા ધોરણમાં હતા ત્યારે પિતાનું અવસાન થતા કમને અભ્યાસ છોડવો પડ્યો હતો જુદાજુદા ઠેકાણે નોકરીઓ કરી ,જુના કવિઓની હસ્તપ્રતો અને ગ્રંથો વાંચ્યા ,"મુંબઈ સમાચાર"માં  પ્રૂફ રીડરનું કામ પણ કર્યું તેમણે સુરતમાં શારદાપૂજક મંડળી નામની સંસ્થા પણ સ્થાપી હતી,ગુજરાતમાં  ઈચ્છારામની  મુખ્ય ઓળખાણ સાહિત્યકાર અને પત્રકાર તરીકે છે "સ્વત્રંતતા " અને "ગુજરાતી "નામના સામયિકો સફળતાપૂર્વક ચલાવ્યા ...

પ્રથમ સુપરસ્ટાર :રાજેશ ખન્ના [૧૯૪૨-૨૦૧૨]

પ્રથમ સુપરસ્ટાર :રાજેશ ખન્ના [૧૯૪૨-૨૦૧૨] "પુષ્પા એય પુષ્પા ,ઈન આસુઓ કો પોંચ ડાલો ,આઈ હીટ ટીયર્સ ............જેવા વિશિષ્ટ લહેકાવાળા  સંવાદો ,અને બાબુ મોશાય જેવા  અમર ચરિત્રો દ્રારા વર્ષો સુધી હિન્દી ચિત્રપટ જગત પર રાજ કરનાર રાજેશ ખન્નાનો આજે જન્મ દિવસ છે.પંજાબના અમૃતસરમાં જન્મેલા રાજેશ  ખન્નાનું મૂળનામ જતીન અને તેમનો ઉછેર ચુનીલાલ ખન્નાએ કર્યો હતો.રાજેશ ખન્નાને શાળા-કોલેજજીવનથી જ થીએટરમાં રસ હતો.જ્યાં જાણીતા અભિનેતા જીતેન્દ્ર પણ તેમના સહપાઠી હતા.ખન્ના નાટકોમાં અનેક પુરસ્કારો પણ જીત્યાં  હતા.૧૯૫૯-૬૧ દરમિયાન પુનાની નવરોજી વાડિયા કોલેજથી કલાના સ્નાતકની પદવી પણ લીધી હતી.૧૯૬૨મા "અંધાયુગ"નાટકમાં ધાયલ સૈનિકની ભૂમિકા  પછી ઇનામ વિતરણ પસંગે મુખ્ય મહેમાને ફિલ્મોમાં કામ કરવા સૂચવ્યું અને "કાકા" નીકળી પડ્યા સુપરસ્ટાર બનવાની દિશામાં.પહેલી ફિલ્મ આખરી ખતથી શરૂઆત કરનાર ખન્નાજીએ પછી તો સચ્ચા-જુઠા,ઇત્તેફાક,દો રાસ્તે,ડોલી,સફર,આરાધના,આન મિલો સજના,ટ્રેન,આનંદ,મહેબુબ કી મહેંદી,ખામોશી,હાથી મેરે સાથી,અમર પ્રેમ,દાગ,બાવરચી,મેંરે જીવનસાથી,નમક હરામ,રોટી,આવિષ્કાર જેવી અનેક સફ...

૪૨નો શહીદ:વિનોદ કિનારીવાલા(૧૯૨૪-૧૯૪૨)

૪૨નો શહીદ:વિનોદ કિનારીવાલા [૧૯૨૪-૧૯૪૨] "તમારો આદર્શ વિનોદ  જે શહીદ થઇ ગયો છે એ છે.એણે જે બહાદુરી અને હિંમત બતાવી દેશદાઝનો નમુનો આપ્યો છે તેને તમારે સંગ્રહી રાખવાનો છે,તેમાંથી જીવનના પાઠ શીખવાના છે."પ્રસ્તુત શબ્દો  સરદાર પટેલે ૧૯૪૨ના આન્દોલનમાં શહીદ થયેલા વિનોદ કિનારીવાળા માટે પ્રયોજ્યા  હતા.ગુજરાતની સૌપ્રથમ કોલેજ, ગુજરાત કોલેજમાં ઇન્ટર આર્ટસમાં ભણતો વિનોદ ૧૯૪૨ના હિન્દ છોડો આન્દોલનમાં રાષ્ટ્રવાદના રંગે રંગાયો મહાત્મા ગાંધી અને રવિશંકર મહારાજથી પ્રભાવિત વિનોદ દેશ માટે ચંદ્રશેખર આઝાદ જેવું કરી બતાવવા માંગતા હતા..તારીખ ૧૦ ઓગસ્ટ ૧૯૪૨નો દિવસ સર એલ.એ.શાહ લો કોલેજમાં વિદ્યાર્થીઓની સભામાં પ્રવચનો થયા,ધ્વજવંદન થયુ બે હાજર ભાઈ-બહેનોનું એક સરઘસ "ઇન્કલાબ ઝીન્દાબાદ"ના નારા સાથે નીકળ્યું તેમનામાં ગંભીર કર્તવ્યભાવના હતી.મિશન ચર્ચ પાસે તેમના પર લાઠીઓ વીંઝાઇ .ધ્વજધારી વિનોદને ધ્વજ છોડી દેવા હુકમ થયો પણ વિનોદ એટલે મક્કમતાનું બીજું નામ.પરિણામે ગોરા અફસરોએ ગોળીઓ છોડી તેમની એક વિનોદને પેટ નીચે પેઢાના ભાગે વાગીઅને શહીદ થયા.વિનોદની શહીદી પછી સમગ્ર અમદાવાદ  ઉશ્કેરાટ ફેલાયો વ...

સાધયામિ વા યાતયામિ :શહીદ ભગતસિંહ [૧૯૦૭-૧૯૩૧]

સાધયામિ વા યાતયામિ :શહીદ ભગતસિંહ [૧૯૦૭-૧૯૩૧] "સુની પડી કબર પર દિયા જલાકે જાના , ખુશીઓ પર અપની  હમ પર ઝંડા લહેરા કે જાના ,  બહતે હુએ રુધિર મેં દામન ભીગો કે જાના , દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના " પ્રસ્તુત પંક્તિ જેમને સાગોપાંગ લાગુ પડી શકે તેવા આજે પણ યુવાનોના આદર્શ સમા ભગતસિંહનો આજે જન્મદિવસ છે.આજના પાકિસ્તાનના બંગા જીલ્લાના લાયલપુર ગામે જન્મેલા ભગતસિંહ બચપણથી જ ચપળ,કુશાગ્ર બુદ્ધિશક્તિ અને અજબ ગ્રહણ શક્તિ ધરાવતા હતા.દેશ ભક્તિ અને ફનાગીરીના વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો.રામપ્રસાદ બિસ્મિલ્લ અને ચંદ્રશેખર આઝાદ અને સચિન્દ્રનાથ  સન્યાલના "બંદી જીવન" પુસ્તકે  તેમને ક્રાંતિનો રાહ ચીંધ્યો હતો.૧૯૧૭ની રશિયન ક્રાંતિ,અને કાર્લ માકર્સે તેમના વિચારોને ઉર્જા પૂરી પડી હતી.હિન્દુસ્તાની સોશ્યાલીસ્ટ રીપબ્લીકન એસોસિએશનની સ્થાપના કરી.ભગતસિંહ શ્રમિક ક્રાંતિનું સ્વપ્ન જોતા હતા.પણ પરિવારે ક્રાંતિના માર્ગેથી પાછા વાળવા લગ્ન કરાવવાનું વિચાર્યું તો ભગત ઘર છોડી નીકળી પડ્યા .૩૦ ઓકટો.૧૯૨૮ના રોજ સાયમન કમિશનના વિરોધમાં લાલા લજપતરાયની  શહીદીએ તેમને હલબલાવી મુક્યા હતા. લાલાજીના ...

પૌર્વાત્યવાદી :સર વિલિયમ જોન્સ[૧૭૪૬-૧૭૯૪]

પૌર્વાત્યવાદી :સર વિલિયમ જોન્સ[૧૭૪૬-૧૭૯૪] ૧૮મા સૈકાના ઉતરાર્ધમાં" ભારતવિદ્યા" [-પાશ્ચાત્ય વિદ્વાનોનું પૂર્વદર્શન -indology}પાયો નાંખનાર સર વિલિયન જોન્સનો આજે જન્મદિવસ છે જન્મ લંડનમાં,પિતા ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક ન્યુટનના મિત્ર હતા.ત્રણ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતા માતા મેરીનીક્સે અભ્યાસની તમામ જવાબદારી ઉપાડી હેરો સ્કુલ અને ઓક્સફડ યુનિ. માં ભણાવ્યા તો ખરા સાથે બૌદ્ધિક વાતાવરણ પૂરી પાડી જોન્સને પ્રતિભાશાળી વ્યક્તિ બનાવ્યા.૧૭ વર્ષની વયે ઓક્સફર્ડમાં હિબ્રુ,ગ્રીક,લેટીન અને અરબી જેવી ભાષાઓ શીખ્યા પાછળથી સંસ્કૃત અને ફારસી પર પણ પ્રભુત્વ મેળવ્યું.માર્ચ ૧૭૮૩મા ભારત આવ્યા કલકતા સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ બન્યા .ગવર્નર વોરન હેસ્ટીગ્ઝની સહાયથી ૧૭૮૪ના જાન્યુ.મહિનામાં  ભારતના જ્ઞાનક્ષેત્રમાં અભૂતપૂર્વ ગણાય તેવી બંગાળ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી .આ સંસ્થાના આશ્રયે ભારતશાસ્ત્રના વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિનો પાયો નાખ્યો .ભગવત ગીતા,અભિજ્ઞાન શાન્કુન્તલ ,ગીત ગોવિંદ ,મનુંસ્મૃતિ જેવા અનેક પ્રાચીન સંસ્કૃત ગ્રંથોના અનુવાદો કરાવ્યા તેમાં શાકુન્તલ  અને ઋતુસંહારનો અનુવાદ તો ખુદ વિલિ...

સિદ્ધહસ્ત ઇતિહાસકાર:ડો.હરિપ્રસાદ શાસ્ત્રી[૧૯૧૯-૨૦૧૪]

સિદ્ધહસ્ત ઇતિહાસકાર:ડો.હરિપ્રસાદ શાસ્ત્રી[૧૯૧૯-૨૦૧૪] ગુજરાતના જ્ઞાનવિશ્વમાં અન્ય વિદ્યાશાખાઓની તોલે ઈતિહાસશાખા એટલી સમૃદ્ધ નથી છતાં કેટલાક ઈતિહાસકારોએ સ્વબળે ગુજરાતની ઈતિહાસલેખનવિદ્યાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અપાવી છે આવું ગૌરવવતું નામ એટલે ડો.હરિપ્રસાદ શાસ્ત્રી.ખેડા જીલ્લાના મલાતજ ગામે જન્મેલા હરિપ્રસાદ શાસ્ત્રી અમદાવાદ અને મુંબઈમાં ભણ્યા હતા.તે પછી રામાનંદ[આજની એચ.કે કોલેજ]અને શેઠ ભોળાભાઈ જેશીંગભાઈમાં અધ્યાપક તરીકે જોડાયા .ભો.જે.વિદ્યાભવનમાંથી તેઓ નિયામક તરીકે નિવૃત થયા હતા.અધ્યાપક ,અધ્યયન -અદ્યાપન અને સશોધનમાં કેવો હોવો જોઈએ તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ડો.શાસ્ત્રી છે.મૈત્રક્કાલીન ગુજરાત(ભાગ ૧-૨),ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ,ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાધન સામગ્રી,ઇતિહાસના સાધન તરીકે ગુજરાતના અભિલેખ,A historical and cultural study of the inscriptions of gujarat,ઇતિહાસની આરસીમાં ચરોતરનું પ્રતિબિંબ,અધ્યયન અને સંશોધન તેમના કીર્તિદા કામો છે તો ગુજરાતનો રાજકીય અને સાસ્કૃતિક ઈતિહાસ ભાગ ૧-૯ અને ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ ૪-૫ અને બુદ્ધિપ્રકાશ,સામીપ્ય અને પથિક જેવા સા...

સરદાર પટેલ

સરદાર પટેલ[૧૮૭૫-૧૯૫૦] "કણબી પાછળ કરોડો કણબી કોઈની પાછળ નહિ "ગુજરાતના પાટીદારોના સંદર્ભમાં આ કહેવત કોઈએ સાર્થક કરી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે .આટલી ઓછી જગ્યામાં તો તેમના માટે વપરાયેલા વિશેષણો પણ સમાઈ ન શકે ત્યાં આ ભારત નિર્માતા વિષે શું લખવું?સરદારે ૭૫ વર્ષની આવરદામાં જે કામ કર્યા છે તે સેંકડો વર્ષોમાં ન કરી શકાય તેવા હતા.તેમની વ્યક્તિમત્તાની ખાસિયત એ છે કે આ દેશમાં જીવતો દરેક માણસ સરદારને પોતાના નેતા માને છે તે તેમના પાયાના અને રચનાત્મક કાર્યોને લઈને.. ખેડા સત્યાગ્રહથી લઇ હિન્દ છોડો આન્દોલન અને પ્લેગ- દુષ્કાળથી લઇ ભારત માતારૂપી હિન્દુસ્તાનના શરીરે પીળા ગુમડા રૂપી દેશી રજવાડાઓને એક કરવાની વાત હોય સરદારનો તેમાં સિહ ફાળો રહ્યો છે.૩,૪,૫ નવે.૧૯૧૭ના રોજ  ગોધરાની રાજકીય પરિષદથી પોતાની રાજકીય કારકિર્દી આરભનાર સરદારે ૧૯૫૦મા દેશી રીયાસતોનું વિલીનીકરણ સંપન્ન થયું ત્યાં સુધી શરીર પર અત્યાચાર ગણાય તે હદે અને સાસારિક જીવનની તમા રાખ્યા વિના  દેશસેવામાં પ્રવુત રહ્યા હતા .ખેડૂતો,મહિલાઓ,દલિતો આદિવાસીઓ,લઘુમતીઓ, કોના ન હતા સરદાર?સામાજિક પરિવર્તન અને અર્થતંત્રમાં સુધારા વિષે પણ ત...

ગુણવંતી ગુજરાત:અરદેશર ખબરદાર[૧૮૮૧-૧૯૫૩]

ગુણવંતી ગુજરાત:અરદેશર ખબરદાર[૧૮૮૧-૧૯૫૩] "ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી  ગુજરાત"અને "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત"જેવી અમર અને કહેવતરૂપ કાવ્યપંક્તિઓના સર્જક અરદેશર ખબરદારનો આજે જન્મદિવસ છે.દમણમાં જન્મેલા કવિની પહેલી અટક હિંગવાલા અને બીજી પોસ્ટવાલા હતી.પણ તેમના દાદાને  તેમની કાર્યદક્ષતા અને બાહોશીને લઇ મિત્રો "ખબરદાર" કહેતા .તેનાથી પોત્સાહિત થઇ છટ્ઠા ધોરણમાં દાખલ થતી વખતે અરદેશરે  જાતે જ ખબરદાર અટક ધારણ કરી લીધી.મેટ્રિક સુધી જ ભણેલા ખબરદાર વર્ષો શોધી મદ્રાસમાં વ્યવસાય અર્થે રહ્યા હતા.૧૬ વર્ષની વયે કાવ્યસર્જન આરંભનાર ખબરદારનો સર્જન કાળ લગભગ ૫૫ વર્ષનો છે.તે દરમિયાન પ્રકાશિકા,સંદેશિકા,ભારતનો ટંકાર,દર્શનિકા રાષ્ટ્રિકા,ગાંધીબાપુનો પવાડો ,ગાંધીબાપુને જેવા ૨૦ કાવ્યસંગ્રહો અને ૨ અગ્રેજી કાવ્યસંગ્રહો પણ લખ્યા.અગ્રેજીમાં પણ કવિતાઓ લખનારા ગણ્યા-ગાંઠયા ગુજરાતી કવિઓમાં તેમનો સમાવેશ થાય છે.તેમની કવિતામાં રાષ્ટ્રવાદ,અધ્યાત્મ ,ગાંધીપ્રેમ  અને ગુજરાત પ્રીતિ મુખ્યત્વે દેખાય છે.તેમણે જે રીતે અને જે સંખ્યામાં રાષ્ટ્રવાદ અને ગુજરાતનું ગૌરવગા...

કલ્યાણજી મહેતા

વિધાનસભા પહેલા સ્પીકર :કલ્યાણજી મહેતા [૧૮૯૦-૧૯૭૩] "જગતના આસુરી શસ્ત્રો ,થશે જુઠા પડી હેઠા, છુટ્યા જ્યાં સત્યના બાણો,અમારા રામના છોડ્યા' આ પક્તિના લેખક શ્રી કલ્યાણજી મહેતા દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં પણ જાહેરજીવન અને સ્વતંત્રતા આન્દોલનનું મોટું નામ .જન્મ સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે.૧૯૦૭મા સુરતમાં કોન્ગ્રેસ  ભરાઈ ત્યાંથી તેમના રાજકીય જીવનનો પ્રારંભ થયો હતો ૧૯૧૧માં સુરતમાં પાટીદાર આશ્રમની સ્થાપના કરી તેના ગૃહપતિ બન્યા આ આશ્રમ સુરત જીલ્લમાં રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બન્યો હતો.૧૯૧૬માં હોમરુલ આન્દોલનથી તેઓ વધુ સક્રિય થયા હતા શિક્ષક તરીકે રાજીનામું આપી જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું.તે પછી તો દેશનું એક પણ આન્દોલન એવું ન હતું કે જેમાં કલ્યાણજીભાઈ ન હોય !બારડોલી સત્યાગ્રહમાં તો તેમનો સિંહ ફાળો હતો.તો નમક સત્યાગ્રહમાં દાંડીની પસંદગી કરવામાં તેમની જ મહત્વની ભૂમિકા હતી.આઝાદીના આદોલનમાં ભાગ લેવાને કારણે તેમણે અનેકવાર જેલવાસ પણ ભોગવ્યો હતો.તેમની માલ મિલકતો પણ જપ્ત થઇ હતી. "નવયુગ"સામયિકના લેખો બદલ પણ તેમને જેલની સજા થઇ હતી. ૧૯૩૭મા મુંબઈ વિધાનસભામાં તેઓ ચ...

વીરાંગના: ઝલકારીબાઇ

Image
વીરાંગના :ઝલકારીબાઈ [૧૮૩૦-૧૯૫૮] આજે  અહી જેની વાત કરવામાં આવી છે તે ૧૮૫૭ની વીરાંગના ઝલકારીબાઈ ઉપરાંત ઓરિસ્સાના નાગરિક હિતચિંતક લક્ષમણ નાયકનો જન્મ દિવસ છે.ઝલકારીબાઈનો જન્મ ઝાંસી પાસેના ભોજલા ગામે ગરીબ કુટુંબમાં થયો હતો.બચપણ માં જ માતાનું મૃત્યુ થયું હતું.પિતા એ તેમનો ઉછેર પુત્રની જેમ કર્યો હતો.બચપણથી જ ઘોડેશ્વારી અને હથિયારો ચલાવવાનો અનહદ શોખ હતો.ઝાંસી રાજ્યના બહાદુર તોપચી પુરણસિંહ સાથે તેમના લગ્ન થયા તેમના માટે કહેવાય છે કે જુવાનીમાં તેમણે ચિત્તાને કુહાડીથી મારી નાંખ્યો હતો.આવી શુરવીર યુવતી પુરણસિંહના કહેવાથી ઝાંસીના રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં સામેલ થયા અને તેમની સલાહકાર પણ બન્યા .૨૩ માર્ચ ૧૯૫૮ના રોજ અંગ્રેજ સેનાપતિ હ્યુરોજે ઝાંસી પર હુમલો કર્યો રાણી ૫ હજારના સૈન્ય સાથે ઝઝૂમી રહી હતી.ત્યારે રાણીને બચાવવા માટે પોતાને રાણી લક્ષ્મીબાઈ જાહેર કરી અંગ્રેજોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું દુશ્મનો ઝલકારીબાઈ પર હુમલાઓ કરવા લાગ્યા આખરે તે પકડાઈ ગયા તેમને ફાંસી થઇ ,પણ આ દરમિયાન  લક્ષ્મીબાઈને ત્યાંથી નીકળવાનો અને બીજો મોરચો ખોલવાનો અવસર મળી ગયો . ઝલકારીબાઈને અનેક ઈતિહા...

સહુનો લાડકવાયો: બિરસા મુંડા

સહુનો લાડકવાયો:બિરસા મુંડા[૧૮૭૨-૧૯૦૧]   એક ક્રાંતિકારીને શોધવા અંગ્રેજ અને દેશી સૈનિકો આકાશ પાતાળ એક કરી રહ્યા હતા.તેઓ  ઘનઘોર જંગલમાં એક ગુફા પાસે ઉભેલા યુવાનને તેના વિષે પૃચ્છા કરી ,યુવાને કહ્યું ક્રાંતિકારી આ ગુફામાં ગયો છે ૨૫ સૈનિકોનું ધાડુ ગુફામાં ધસી ગયું એ જ વખતે ગુફા પાસે ઉભેલા યુવાને એક વિશાલ પથ્થરને ગબડાવી ગુફાના દ્રાર પાસે મૂકી દઈ ગુફાને બંધ કરી દીધી પરિણામેં ૨૫ સૈનિકો ગૂંગળાઈને મૃત્યુ પામ્યા.ગુફા પાસે ઉભેલો આ યુવાન તે ભારતમાં આદિવાસીઓનો વીરનાયક બિરસા મુંડા.આજના દિવસે ઝારખંડ રાજ્યના ચલકદ ગામે  તેનો જન્મ થયો હતો.બચપણમાં  તે એવી તો મધુર વાંસળી વગાડતો કે તેના પશુઓ  પણ બિરસાની વાંસળીના સુરે ડોલતા.બિરસા જન્મે ઈસાઈ હતો પણ પછી તેણે વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો .પાંચ ફૂટ ચાર ઇંચની ઊંચાઈ ધરાવતા બિરસાનું  મહત્વનું કામ તે "ઉલગુલાન "[મહાન વિદ્રોહ]આન્દોલનનું નેતૃત્વ .બિરસાએ તેના બાહુબળ અને નેતૃત્વશક્તિથી આદિવાસી વિસ્તારોમાં આર્થિક અને સામાજિક શોષણ માટે તત્પર રહેતા પરિબળો વિરુદ્ધ મોરચો ખોલ્યો મુંડાઓના શોષકો  એવા અંગ્રેજો અને શાહુકારોને તે "દીકું" ...

ગઝલ સમ્રાટ :મિર્ઝા ગાલીબ [૧૭૯૭-૧૮૬૯]

ગઝલ સમ્રાટ :મિર્ઝા ગાલીબ [૧૭૯૭-૧૮૬૯] ઉર્દુ-પર્શિયનના મહાનતમ  અને લોકપ્રિય કવિ  મિર્ઝા ગાલિબનો જન્મ તારીખ ૨૭ ડિસે.ના રોજ થયો હતો.મુળનામ મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન સાહેબ અને જન્મ આગ્રામાં.તેમના પિતા લખનૌ નવાબની નોકરી કરતા હતા.૧૧ વર્ષની વયે જ કવિતાલેખનનો પ્રારંભ કરનાર ગાલીબ ૧૮૫૪માં છેલ્લા મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરના મુખ્ય દરબારી બન્યા હતા.ઝફરને કવિતા લખવાનું પણ ગાલિબે જ શીખવ્યું હતું. તેમના બે તખલ્લુસ "ગાલીબ"નો અર્થ "પ્રભાવી" અને "અસદ"નો મતલબ "સિંહ"થાય છે.મુઘલાઈના પતન પછી  ગાલીબ દિલ્હી છોડી આગ્રામાં વસ્યા હતા.જ્યાં જીવનનિર્વાહના પણ પ્રશ્નો સર્જાયા હતા છતાં ગાલીબ લોકોને ગઝલો સંભળાવી તેમનું મનોરંજન કરતા હતા.ગાલીબ ને જ સાંભળીએ: "ઈશ્કને ગાલીબ નિકમ્મા કાર દિયા , વરના હમ ભી આદમી થે કામ કે" મૈ નાદાન થા જો વફા કો તલાશ કરતા રહા ગાલીબ, યહ ન સોચા કી એક દિન અપની સાંસ ભી બેવફા હો" "બે-વજહ નહિ રોતા ઈશ્ક મૈ કોઈ ગાલીબ, જિસે ખુદ સે બઢકર ચાહો વો રુલાતા જરૂર હૈ" "હમ કો માલુમ હૈ જન્નત કી હકીકત લેકિન; દિલ કો ખુશ રખને કો ગા...

ભગવા વિનાના સન્યાસી :ઠક્કરબાપા [૧૮૬૯-૧૯૫૧]

Image
ભગવા વિનાના સન્યાસી :ઠક્કરબાપા [૧૮૬૯-૧૯૫૧] ૧૯૧૭-૧૮ના વર્ષે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો તેમાય પછાત પંચમહાલની સ્થિતિ તો ઉપર આભ અને નીચે ધરતી જેવી હતી આ સમયે  ઝાલોદ તાલુકાના શંકરપુરા ગામેં એક કર્મશીલ એક ઝુંપડામાં કપડા અને અનાજ આપવા પહોચ્યા ત્યાં જ ઝુપડામાં રહેતી વુંદ્ધા એક ખૂણામાં જતી રહી ,કર્મશીલે તેમને વિંનતીના સુરમાં બહાર આવવા અને કપડા તથા અનાજ ગ્રહણ કરવા કહ્યું ,અંદરથી અવાજ આવ્યો "કેવી રીતે બહાર આવું ,ઝુંપડી ઓઢીને બેઠી છું "અને કર્મશીલનો આત્મા કરાહી ઉઠ્યો "મારી ભારતમાતા ને ઓઢવા કપડું પણ નહિ "અને ત્યાં પ્રશ્યાતાપનું એક આસુ પડ્યું ,પંચમહાલને કાયમ માટે દુષ્કાળના ખપ્પરમાંથી મુક્ત કરવા ૧ ડિસે.૧૯૨૨ના રોજ દાહોદ ખાતે ભીલ સેવા મંડળની સ્થાપના કરી  .આ કર્મશીલ અને મહામાનવ એટલે ઠક્કરબાપા .આજના દિવસે તેમનો જન્મ ભાવનગરમાં લોહાણા પરિવારમાં થયો હતો.મુળનામ અમૃતલાલ વિઠલદાસ ઠકકર .તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા અમૃતલાલ ઈજનેર હતા .યુગાન્ડા રેલ્વે બંધાતી હતી ત્યારે ત્યાં પણ કામ કર્યું હતું ભારત પરત ફરી ગોખલે સ્થાપિત ભારત સેવક સમાજ(૧૯૦૪)માં જોડાયા હતા,.અને દેશમાં જ્...

અવધૂત: મામાસાહેબ ફડકે

  અવધૂત :મામાસાહેબ ફડકે [૧૮૮૭-૧૯૭૪]               આજથી ૧૦૦ વર્ષ પહેલા તમે કલ્પના કરી શકો કે ભારતની સૌથી ઉચ્ચ બ્રાહ્મણ જ્ઞાતિનો વ્યક્તિ હિંદુ સમાજની કહેવાતી નીચી ગણાતી વાલ્મીકી જ્ઞાતિના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરી દે ?અનાથ બાળકની બીમારી વખતે તેનો ઝાડો તપાસવાથી લઇ તેના લગ્ન સુકન્યા સાથે થાય તેની કાળજી રાખે ?જી હા! આશ્ચર્ય અવશ્ય થાય પણ આ મહામાનવ હતા મામાસાહેબ ફડકે.આજના દિવસે મહારાષ્ટ્રમાં નેતૃત્વની ખાણ ગણાતા રત્નાગીરી જીલ્લાના જામ્બુલઆડ ગામે તેમનો જન્મ થયો હતો,મુળનામ વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે પણ જાણીતા થયા મામાસાહેબના નામે .શાળાજીવનથીજ દેશસેવાની એવી તો લગની લાગેલી કે સ્વદેશીનો દાખલો બેસાડવા શાળામાં સ્વદેશી ધાબળો ઓઢીને ગયેલા.ગામમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ મેળવી વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં જોડાયા .ગાંધીજીના સ્વરાજ્ય અને સુરાજ્યના  વિચારોથી ભારે પ્રભાવિત થયા ,હિંદુ ધર્મમાં પ્રચલિત અસ્પુશ્યતાનું પાપ કોઈ બ્રાહ્મણ જ ધોઈ શકે તેવું ગાંધીજી માનતા હતા.આ વિચારને માથે ચડાવી મામાસાહેબ ૧૯૧૯થી ગોધરાના અંત્યજ આ...

17, November, 1913 :Mangadh Massacre: The Jaliyanwala of Gujarat

Image
Arun Vaghela                                                                                                     Prof.,& Head , Department of History Gujarat University , Ahmedabad-380009 Email - arun.tribalhistory@gmail.com M. – 09638981388 17, November, 1913 :Mangadh Massacre: The Jaliyanwala of Gujarat The moment the word massacre hits our ears, we shudder with unknown fear, pain, and agony. Those acquainted with history may immediately be reminded of the Fall of the Bas...

રંગભૂમિ કલાકાર :શાંતા ગાંધી [૧૯૧૭-૨૦૦૨]

રંગભૂમિ કલાકાર :શાંતા ગાંધી [૧૯૧૭-૨૦૦૨] ગુજરાતી રંગભૂમિના ઉચ્ચ દરજ્જાના કલાકાર શાંતા ગાંધીનો આજે જન્મ દિન છે.મહારાષ્ટ્રના નાસિકમાં જન્મેલા શાંતાબેન મુંબઈ અને પુનામાં ભણ્યા હતા.અહી તેઓ ઇન્દિરા ગાંધીના સહાધ્યાયી અને મિત્ર પણ બન્યા હતા.વિદ્યાર્થીવસ્થામાં સામ્યવાદી વિચારધારાનો રંગ પણ લાગેલો.એન્જીનીયર પિતાની ઈચ્છા મુજબ મેડીસીનનો અભ્યાસ કરવા  ઇંગ્લેન્ડ ગયા પણ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરુ થતા તેમનો મેડીકલનો અભ્યાસ અધુરો રહ્યો હતો.શાંતા ગાંધીનો જીવ નાટકનો હતો.યુવાવસ્થામાં સંસ્કૃત નાટકો પ્રત્યેના લગાવને લઇ ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી લઇ કાલિદાસ,ભાસ,ભવભૂતિ જેવા અનેક પ્રાચીન નાટ્યકારોને આત્મસાત કર્યા  તેમના વિષે ભણ્યા અને ભણાવ્યું .નાટકોમાં તેમને  લોકનાટ્યનું ભવાઈ સ્વરૂપ વિશેષ પસંદ હતું  તેમના રઝીયા સુલતાન અને જસમા ઓડણ નાટકો વિશેષ પસિદ્ધિ પામ્યા હતા .તેમાય જસમા ઓડણ નાટક તો સમકાલીન નાટકોમાં સીમાચિન્હરૂપ લેખાયું હતું.શાંતાબેન ઇન્ડિયન પીપલ્સ થીયેટર એસોસિએશન [IPTA]ના સ્થાપક સભ્ય પણ હતા તેમણે ૧૯૮૧મા અવેહી નામની સંસ્થા પણ ઉભી કરી હતી.તારીખ ૬ મેં ૨૦૦૨ના રોજ  મ...

ભારત જોડો:બાબા આમ્ટે [૧૯૧૪-૨૦૦૮ ]

ભારત જોડો:બાબા આમ્ટે [૧૯૧૪-૨૦૦૮ ] મહાત્મા ગાંધીના અવસાન પછી ગાંધીવાદીઓએ તેમની વિચારધારાને અખંડ રાખી તેમાંના એક બાબા આમ્ટેનો આજે જન્મદિવસ છે.મુળનામ મુરલીધર દેવીદાસ આમ્ટે અને જન્મ મહારાષ્ટ્રના વર્ધા પાસે હિંગલગઢ ખાતે.અત્યંત શ્રીમંત કુટુંબમાં જન્મેલા મુરલીધરને બાબા નામ તેમના પિતાએ આપ્યું હતું ધનિક પરિવારમાં બાબાનું શરુનું જીવન વૈભવી રહ્યું હતું.અભ્યાસની રીતે બી.એ ,એલ.એલ.બી થયા અને પછી વકીલાત શરુ કરી.દરમિયાન  ગાંધીજીના પ્રભાવમાં આઝાદીની  લડતોમાં જોડાયા ૧૯૪૨ના હિન્દ છોડો આન્દોલનમાં જેલવાસ પણ ભોગવ્યો. ખાદી અને ચરખાનું અનુસરણ કર્યું.ખુદ ગાંધીજીએ તેમને "અભય સાધક"નામ આપ્યું હતું.આઝાદી પછી તેમનું કાર્યક્ષેત્ર બદલાયું કલકતાથી રક્તપિતીયાઓની સેવાની ભાવના જન્મી તે માટે ૧૫ ઓગસ્ટ ૧૯૪૯ના રોજ વર્ધામાં સેવા યજ્ઞ કરી આનંદવન નામની સંસ્થા શરુ કરી જે જમાનામાં રક્તપીતીયાઓ પ્રત્યે સમાજ જોજનોનું અંતર રાખતો હતો ત્યારે બાબાએ પોતાની સંસ્થા થકી દર્દીઓ પ્રત્યેનો અભિગમ જ સમૂળગો બદલી નાંખ્યો.આગળના ક્રમમાં ચંદ્રપુરમાં આદિવાસીઓ માટે લોકબિરાદરી નામની સંસ્થા સ્થાપી ગઢચીરોલીના આદિવાસીઓમાં તેમનું...

વસ્તુનિષ્ઠ ઈતિહાસલેખનના પિતા:રાંકે [૧૭૯૫-૧૮૮૬]

૨૧ ડિસે.માટે વસ્તુનિષ્ઠ ઈતિહાસલેખનના  પિતા:રાંકે [૧૭૯૫-૧૮૮૬] "હું પહેલા ઈતિહાસકાર છું અને પછી કેથોલિક છું 'એમ માંની જીવનભર ઈતિહાસ લેખનમાં પ્રવુત રહેનાર લિયોપોન્ડ વોન રાંકેનો આજે જન્મ દિવસ છે.જર્મનીના સેકસની પરગનામાં વિશ ખાતે જન્મેલા રાંકેના પિતા વકીલ હતા.શરૂના જીવનમાં તેને પ્રાચીન ગ્રીક અને લેટીન ભાષાઓમાં પુષ્કળ રસ હતો.લેઈપઝીગ યુનિ.માં ક્લાસિક શબ્દશાસ્ત્ર અને ધર્મ સાથે પદવી લઇ રાંકે  અનુવાદો કરવામાં પ્રવુત થયા.૧૮૧૭ થી ૧૯૨૫ સુધી શિક્ષક બન્યા  જ્યાં તેમના કામથી અત્યંત પ્રભાવિત થઇ જર્મન સરકારે  ૧૮૨૫મા તેમની નિયુક્તિ  બર્લિન યુનિ.માં પ્રોફેસર તરીકે કરી હતી. જ્યાં ૫૦ વર્ષ સુધી રહ્યા.રાંકેનું પહેલું પુસ્તક લેટીન અને ટ્યુટોનિક પ્રજાનો ઈતિહાસ હતું,તે  પછી તો યુરોપ અને વિશ્વ ઈતિહાસને લગતા ૧૦૦થી વઘુ પુસ્તકો લખ્યા જેમાં history of pops,french history,reformation in germani,history of englend,would history,serbian revolution,history of prussia,the thiory and practice of history વગેરે મુખ્ય છે.ઈતિહાસને તેની હકીકતો કહેવા ડો તેમ માનનાર રાંકે પ્રાથમિક સ...

રસકવિ:રઘુનાથ બહ્મભટ્ટ ૧૮૯૨-૧૯૮૩]

રસકવિ:રઘુનાથ બહ્મભટ્ટ ૧૮૯૨-૧૯૮૩] રસકવિ  અને નાટ્યકાર તરીકે પસિદ્ધ થયેલા રઘુનાથ બહ્મભટ્ટનો આજે જન્મદિવસ છે.નડિયાદમાં જન્મેલા રઘુનાથ અત્યંત તેજસ્વી વિદ્યાર્થીપણ પિતાની ગરીબ સ્થિતિને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યા.ડોકટરને ત્યાં કમ્પાઉડરની નોકરી કરતા સંસ્કૃતમાં કવિતાઓ લખતા,ભગવાન બુદ્ધ પર ૧૬ વર્ષની ઉમરે નાટક લખ્યું જેનું મંચન મુંબઈની પસિદ્ધ નાટક કંપનીએ કર્યું હતું. આ નાટક એટલું તો લોકપ્રિય થયું કે તત્કાલીન મુંબઈના ગવર્નર અને લેડી ગવર્નર પણ તે નાટક માણવા પધાર્યા હતા.જેનાથી તેઓ મુંબઈમાં પણ નાટ્યકાર તરીકે સ્થાપિત થયા  તેમની બીજી અને મહત્વની ઓળખ તે ગીતકાર તરીકેની. તેમણે  લખેલા ગીતોમાં  સૂર્યકુમારી,ભાવી પ્રભાતિયા,ઉષાકુમારી,સ્નેહમુદ્ રા,અજાતશત્રુ,અને જય સોમનાથ જેવા નાટકોનો સમાવેશ થાય છે.રસકવિએ લખેલા ગીતોમાં મધુવનમાં ઝૂલે તારી બાલા જોગણ કોઈ તરસ્યાને પાણી પાશો,એક જ લટ વિખરાણી ,નવી દુનિયા વસાવીશું,મોહે પનઘટ પર નંદલાલ છેડ  ગયો રે ,સાહ્યબો મારો ગુલાબનો છોડ ગીતોએ જનમાનસને વિશેષ આકર્ષિત કર્યા  હતા."મોહે પનઘટ પે નંદલાલ છેડ  ગયો રે "ગીત પોતાનું  છે...

દુર્ગારામ મહેતા

૨૫ ડિસે માટે દીસે  અરુણું પ્રભાત :દુર્ગારામ મહેતાજી[૧૮૦૯-૧૮૭૬] આજે નાતાલ અને આજ દિવસે ગુજરાતના સમાજ સુધારાના આદ્ય સુધારક,પોકારચી દુર્ગારામ મંછારામ મહેતાજીનો જન્મ સુરતમાં થયો હતો.વડનગરા નગર જ્ઞાતિમાં જન્મેલા દુર્ગારામના માતા ૧૧ વર્ષની ઉમરે મૃત્યુ પામતા માસીએ તેમનો ઉછેર કર્યો હતો.શરૂમાં કઈ ભણેલા નહિ પણ ૧૮૨૫માં મુંબઈ ગયા ત્યાં શાળા જોઈ અને ભણવા બેસી ગયા.ત્યાંથી મહેતાજી બની સુરત પરત આવ્યા તેમની શાળાની એવી તો છાપ હતી  કે "દુર્ગારામ મહેતાનો કોઈ વિદ્યાર્થી ઠોઠ હોઈ જ ન શકે!૧૯માં સૈકાના પ્રારંભમાં આપણો સમાજ અનેક કુરિવાજોથી ખદબદતો હતો ત્યારે મહેતાજીએ પુસ્તક પ્રસારક મંડળી,માનવધર્મસભા જેવી સંસ્થાઓના માધ્યમથી વિધવા વિવાહ ,નાત-જાતના બંધનો,ભૂત-પ્રેતના ચમત્કારો વગેરે મુદ્દે જબરદસ્ત વાતાવરણ તૈયાર કર્યું હતું.ભૂત-પ્રેત છે એવું સાબિત કરનારાઓ માટે તો તેઓએ ઇનામ સહીતનો જાહેર પડકાર ફેંક્યો હતો.૧૮૪૪માં મીઠા વેરા વિરુદ્ધ સુરતમાં આન્દોલન પણ ચલાવ્યું હતું તો માનવધર્મસભા[૨૨ જુન ૧૮૪૪]જેવી સંસ્થા તો તર્કબુદ્ધિવાદના[retionalism] પાયા પર ચલાવી હતી. અસ્પુશ્યતાના વિરોધમાં તેમણે વ્યક્ત કરેલા વિચ...

ગાંધીજીનો બાબલો : નારાયણ દેસાઈ (૧૯૨૪-૨૦૧૫)

ગાંધીજીના હનુમાન અને અંગત સચિવ મહાદેવ દેસાઈના પુત્ર,ગાંધીજીનો બાબલો અને પસિદ્ધ ગાંધીવાદી ચિંતક નારાયણ દેસાઈનો આજે જન્મદિવસ છે.જન્મભૂમિ વલસાડ અને કર્મભૂમિ ગાંધીવિચારનો ફેલાવો એટલેકે આખું જગત.મહાત્મા ગાંધી,વિનોબા અને જયપ્રકાશ નારાયણથી અત્યંત પ્રભાવિત રહેલા નારાયણદાદાનો ઉછેર અને વિકાસ અમદાવાદના ગાંધી આશ્રમ,અને સેવાગ્રામમાં થયો હતો.કોલેજનો દરવાજો ભાળ્યો ન હોવા છતાં ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, ઉડિયા, અને સંસ્કૃતના જ્ઞાતા હતા.તેમનું નામ અને કામ શિક્ષણ, કાંતણ, નઈ તાલીમ, સર્વોદય,ભૂદાન આન્દોલન, ગાંધીકથા ,ગ્રામ સ્વરાજ અને લોકતાંત્રિક સસ્થાઓ એમ અનેકવિધ ક્ષેત્રોમાં ફેલાયેલુ હતું.આઝાદી પછી કહેવાતા ગાંધીવાદીઓ પાટનગરોમાં આરૂઢ થયા ત્યારે દાદાએ જુગતરામ દવેના પગલે દક્ષીણ ગુજરાતના વેડછીને પોતાની કર્મભૂમિ બનાવી હતી.ગાંધીવાદી ચિંતકોની માફક નારાયણ દેસાઈએ પણ ગીતો, નાટક, ચરિત્રો અને અનુવાદો થકી ગાંધીવિચારને ધબકતો રાખ્યો હતો.પાવન પસંગો,જયપ્રકાશ નારાયણ,સામ્યયોગી વિનોબા, સોનાર બાંગ્લા, અહિંસક પ્રતિકારની કહાણી, વેડછીનો વડલો[સંપા.] અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ અને મારું જીવન એજ મારી વાણી[ચાર ...

ઔધોગિક ક્રાંતિના પિતા : રિચાર્ડ આર્કરાઈટ (૧૭૩૨-૧૭૯૨)

આજે જગત ટેકનોલોજીકલ ક્રાંતિમાંથી ગુજરી રહ્યું છે પણ તે રાતોરાત થયું નથી ટેક્નોલોજીકલ પરીવર્તનોની પૂર્વાવસ્થા ઔધોગિક ક્રાંતિ હતી તેના પ્રણેતા રિચાર્ડ આર્કરાઈટનો આજે જન્મદિન છે.ઇંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટીના પ્રિસ્ટન ખાતે તેમનો જન્મ થયો હતો ૧૩ સંતાનોમાં સૌથી મોટા પુત્ર રિચાર્ડને દરજીનું કામ કરતા પિતા ભણાવી શકે તેમ ન હતા તેથી ભણેલા પિતરાઈઓ પાસેથી અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યું .તેમણે હજામ તરીકે કામ શરુ કર્યું જ્યાં વાળની વીગ બનાવવા માટે વાળ ભેગા કરવાનું કામ શરુ કર્યું વોટરપ્રૂફ વીગ પણ બનાવી દરમિયાન વણકરો અને સ્પીનર્સના પરિચયમાં આવ્યા અને વિશ્વને કાપડ ઉદ્યોગના ક્ષત્રે ક્રાંતિ ગણી શકાય તેવા સંશોધનનો પાયો નંખાયો.આર્કરાઈટે ૧૭૬૦ના અરસામાં કાપડ વણવાનું મશીન બનાવવાની શરૂઆત કરી જેનું વિકસિત સ્વરૂપ સ્પીનીગ ફ્રેમ અને વોટર ફ્રેમ હતા ૧૭૭૫માં ઓછા બળથી ચાલતા કારડીન્ગ મશીન બનાવ્યા તેણે યુરોપમાં કારખાના પદ્ધતિનો આવિષ્કાર કર્યો.અને યુરોપ સડસડાટ ઔધોગિક પ્રગતિના માર્ગે ચાલી પડ્યું.પોતાની શોધખોળોના પાયા પર કારખાના અને મિલો સ્થાપી અને વિશ્વમાં ફેક્ટરી પદ્ધતિના પિતાનું બિરુદ પામ્યા.જે બાળક પૈસાના અભાવે ભણી ...